10/02/2023
બિહારમાં કરવામાં આવેલી જાતિ આધારિત વસ્તી ગણતરીનો અહેવાલ સોમવારે (02 ઓક્ટોબર) જાહેર કરવામાં આવ્યો હતો. ગાંધી જયંતિ નિમિત્તે બિહાર સરકારના અધિક મુખ્ય સચિવ વિવેક સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને જાતિ આધારિત વસ્તી ગણતરીનો અહેવાલ જાહેર કર્યો હતો. બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને ઘણો હોબાળો થયો હતો. આ મામલો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
બિહાર સરકાર દ્વારા જાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કરવા પર મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનવા પર જાતિ આધારિત વસતી ગણતરી કરાવવામાં આવશે.