04/02/2025
Waqf Amendment Bill: લોકસભામાં વક્ફ સુધારા બિલ 2025 લોકસભામાં રજૂ કરી દેવામાં આવ્યું. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ પ્રશ્નકાળ બાદ બપોરે ગૃહમાં ચર્ચા માટે રજૂ કર્યું હતું. સ્પીકર ઓમ બિરલાએ બિલ પર ચર્ચા માટે 8 કલાકનો સમય નક્કી કર્યો છે. તેમાંથી NDAને 4 કલાક 40 મિનિટનો સમય આપવામાં આવ્યો છે, જ્યારે વિપક્ષને બાકીનો સમય મળ્યો છે. લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કર્યા બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું હતું કેસ 'દિલ્હીમાં 1970થી ચાલી રહેલ એક કેસ CGO કોમ્પ્લેક્સ અને સંસદ ભવન સહિત ઘણી મિલકતો સાથે જોડાયેલો છે.
દિલ્હી વક્ફ બોર્ડે આ મિલકતોને વક્ફ પ્રોપર્ટી બતાવી હતી. આ કેસ કોર્ટમાં હતો, પરંતુ તે સમયે UPA સરકારે 123 મિલકતોને ડી-નોટિફાઈ કરીને વક્ફ બોર્ડને સોંપી દીધી હતી. જો અમે આજે આ સંશોધન બિલ રજૂ ન કર્યું હોત, તો આપણે જ્યાં બેઠા છીએ તે સંસદ ભવનમાં પણ વક્ફની મિલકત હોવાનો દાવો કરી શકાતો હતો. જો મોદી સરકાર સત્તામાં ન આવી હોત તો ઘણી મિલકતો ડી-નોટીફાઈડ થઈ ગઈ હોત.