06/21/2025
PM Modi on International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં છે. તેઓ અહી યોગ દિવસની ઉજવણી માટે અહીં આયોજિત કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમમાં બોલતા છેલ્લા એક દાયકામાં યોગની વૈશ્વિક યાત્રાનો ઉલ્લેખ કર્યો. તેમણે એ ઐતિહાસિક ક્ષણને યાદ કરી જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. ખૂબ જ ઓછા સમયમાં 175 દેશ ભારત સાથે ઉભા થઈ ગયા. આજની દુનિયામાં આ પ્રકારનું સમર્થન સામાન્ય ઘટના નથી. તે માત્ર એક પ્રસ્તાવને સમર્થન જ નહોતું, તે માનવતાની ભલાઈ માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો.’
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘દુર્ભાગ્યથી આજે આખું વિશ્વ કોઈક ને કોઈક તણાવમાંથી પસાર થઈ રહ્યું છે. ઘણા ક્ષેત્રોમાં અશાંતિ અને અસ્થિરતા વધી રહી છે. એવામાં યોગથી આપણને શાંતિની દિશા મળે છે. યોગ એવું પોઝ બટન છે, જેની માનવતાને સંતુલનનો શ્વાસ લેવા અને ફરીથી નિયંત્રણ મેળવવાની જરૂર છે. આવો આ યોગ દિવસને માનવતા માટે ઓમ શોધવાની શરૂઆતના રૂપમાં ચિહ્નિત કરીએ, જ્યાં આંતરિક શાંતિ, સમગ્ર શાંતિનો માર્ગ બની જાય છે. આજે, 11 વર્ષ બાદ આપણે જોઈ રહ્યા છીએ કે યોગ વિશ્વભરના કરોડો લોકોની જીવનશૈલીનો હિસ્સો બની ગયો છે. જ્યારે હું જોઉં છું કે આપણા દિવ્યાંગ સાથી યોગ શાસ્ત્રો વાંચે છે. વૈજ્ઞાનિકો અવકાશમાં યોગ કરે છે ત્યારે મને ગર્વ થાય છે.’