04/29/2025
CR Patil: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે કહ્યું હતું કે, 'જો પાણી રોકવામાં આવ્યું તો નદીઓમાં ભારતનું લોહી વહેશે'. પાટીલે કહ્યું કે આવી ધમકીઓનો કોઈ અર્થ નથી. તેમણે બિલાવલને સીધે સીધી ધમકી આપી નાખી કે, ‘જો તારામાં હિંમત હોય તો ભારત આવીને તે બતાવ.’ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ બિલાવલ ભુટ્ટોએ આપેલા ઉશ્કેરણીજનક નિવેદનના જવાબમાં પાટીલે આ પ્રતિક્રિયા આપી હતી. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આ પગલું ભર્યું છે.