09/12/2025
E20 ઇંધણ અંગે સોશિયલ મીડિયા પર ઉઠાવવામાં આવેલી ચિંતાઓ પર કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે, તેમની છબીને નુકસાન પહોંચાડવાના હેતુથી તેમની વિરુદ્ધ એક સુનિયોજિત 'પેઇડ અભિયાનશ' ચલાવવામાં આવી રહી છે. નીતિન ગડકરીએ આ ટીકાઓને સ્પષ્ટપણે નકારતા અને તેને તથ્યોથી વિરુદ્ધ ગણાવી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ પગલાને પડકારતી અરજીઓ પહેલા જ ફગાવી દીધી છે.
65મા SIAM વાર્ષિક પરિષદમાં બોલતા ગડકરીએ કહ્યું હતું કે, ‘સોશિયલ મીડિયા પર મારી વિરુદ્ધ પેઇડ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી દીધી છે. તેમાં કોઈ તથ્ય નહોતું. દરેક જગ્યાએ કેટલીક લોબી હોય છે, અને તમે પણ કોઈક ને કોઈક લોબીનો હિસ્સો છો. સોશિયલ મીડિયા પર કઈક પ્રચાર ચાલી રહ્યો છે, કેટલાક લોકો તેનો પ્રચાર કરી રહ્યા છે. પેટ્રોલ લોબી ખૂબ જ અમીર અને તાકતવર છે.
આ મામલો E20 ઇંધણ સાથે જોડાયેલો છે. E20 ઇંધણમાં 80% સામાન્ય પેટ્રોલ અને 20% ઇથેનોલ હોય છે. ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ છે, જે સ્ટાર્ચ અને સુગરમાંથી બનાવવામાં આવે છે. જો તેને પેટ્રોલમાં ભેળવીને ઉપયોગમાં લેવામાં આવે તો તે પર્યાવરણ માટે સારું ઇંધણ માનવામાં આવે છે.