04/20/2024
ખાંડએ આપણા રોજીંદા ખોરાકમાં સામેલ એક મહત્તવપૂર્ણ વસ્તુ છે. ખાસ કરીને રોજીંદા દિવસમાં પીવાતી ચા કે કોફીમાં તેમજ મીઠી વાનગી બનાવવામાં તેનો ઉપયોગ વધુ થાય છે. અને ગુજરાતમાં તો તેનો ઉપયોગ રોજીંદા ખોરાક ગણાતા દાળ-શાકમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે મોટાભાગના ખોરાકમાં નેચરલ શુગર સમાયેલી હોય છે પરંતુ, તેમ છતાં આપણે તેમાં આર્ટિફિશ્યલ શુગર મિક્સ કરીએ છીએ. જેથી તેની મીઠાસ વધી શકે.
પરંતુ આ ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે, એક દિવસમાં કેટલી શુગર ખાવી જોઈએ અથવા તો તેને ડાયેટમાંથી બિલકુલ જ બાર કરવી યોગ્ય છે કે નહીં? તેણી સાથે એ જાણવું પણ જરૂરી છે કે ખાંડ ખાવાથી આપણા સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.