09/01/2025
શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે પોષણયુક્ત આહાર ખૂબ જરૂરી છે. આજકાલ ખોટી ખાવાની આદતો અને બેઠાળી જીવનશૈલીને કારણે, ફક્ત વૃદ્ધોનું શરીર જ નહીં, પરંતુ યુવાનોનું શરીર પણ નબળું પડી રહ્યું છે. હવે લોકોના શરીરમાં પહેલા જેવું જીવન નથી. ઉપરાંત આજકાલ શરીરમાં લોહીનો અભાવ પણ એક મોટી સમસ્યા બની છે. સ્ત્રીઓ અને બાળકોમાં એનિમિયા સામાન્ય છે.
જો વારંવાર એનિમિયા, થાક, નબળાઈ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો આહારમાં તાત્કાલિક ફેરફાર કરવો જોઈએ. આહારમાં ગોળ અને ચણા જેવી કેટલીક સ્વદેશી વસ્તુઓનો સમાવેશ કરીને શરીરની આ કમીઓ દુર કરીને મજબુત બનાવી શકાય છે. કેમકે, ગોળ આયર્નનો ભંડાર છે અને ચણા કેલ્શિયમનો ભંડાર છે. આ બંને તત્વો શરીરને એનિમિયા અને નબળાઈથી બચાવી શકે છે.