09/04/2025
પાણી આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ છે. માનવ શરીરના લગભગ ૭૦ ટકા ભાગમાં પાણી રહેલું છે. પાણી એ માત્ર આપણી તરસ જ નથી છીપાવતું છે, સાથે શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં, શરીરના દરેક ભાગમાં પોષક તત્વો પહોંચાડવામાં અને ઝેરી તત્વો દૂર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણીવાર લોકો વિચારે છે કે, ચોમાસામાં ડિહાઇડ્રેશન નથી થતું, પરંતુ આ માન્યતા ખોટી છે. જો કોઈ ઓછું પાણી પીતું હોય, તો કોઈપણ ઋતુમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે.
જ્યારે પણ કોઈ વ્યક્તિના શરીરમાં પાણીની કમી હોય, ત્યારે શરીર ઘણા બધા પ્રકારના સંકેતો આપવાનું શરૂ કરે છે. આ સ્થિતિને ડિહાઇડ્રેશન કહેવામાં આવે છે. ઘણા લોકો આ સંકેતોને સામાન્ય થાક અથવા અન્ય કોઈ કારણ સાથે જોડીને અવગણે છે. જેના કારણે સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ડિહાઇડ્રેશન હળવું અથવા ગંભીર હોઈ શકે છે. અને તે બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈપણને અસર કરી શકે છે. જો તેને સમયસર ઓળખી તેની સારવાર કરવામાં ન આવે તો તે કિડની ફેલ્યોર અથવા હીટ સ્ટ્રોક જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.