09/25/2025
બદામ અને અખરોટ એ મોટાભાગના ભારતીય રસોડામાં જોવા મળતા ડ્રાયફ્રુટ છે. જે અનેક પોષક તત્વોથી ભરપુર છે. આ બંને વસ્તુ મગજ માટે ખૂબ ફાયદાકારક છે. બદામમાં ઓમેગા-3 ફેટી એસિડ રહેલું છે, જે મગજના કાર્યને જાળવવામાં મદદ કરે છે. બદામ અને અખરોટમાં વિટામિન ઇ અને પ્રોટીનનો સારો સ્ત્રોત મનાય છે. જેના સેવનથી અનેક સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે.
બદામ અને અખરોટને ડાયટમાં મધ્યમ માત્રામાં સામેલ કરી શકાય છે. તેની માત્રા ઉંમર, લિંગ, શારીરિક પ્રવૃત્તિ જેવા પરિબળો પર પણ આધાર રાખે છે. બદામનું સેવન સંતુલિત રીતે કરવું જોઈએ. બદામ અને અખરોટ હંમેશા પાણીમાં પલાળીને ખાવા જોઈએ. આ સિવાય બદામને છોલીને ખાવી વધારે સારી માનવામાં આવે છે.