10/25/2025
હળદર ન માત્ર ભારતીય રસોડાનો મહત્વપૂર્ણ હિસ્સો છે પરંતુ તે આયુર્વેદમાં પણ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. હળદર ન માત્ર ભોજન માટે નેચરલ કલરનું કામ કરે છે, પરંતુ દુનિયાની સૌથી શક્તિશાળી નેચરલ વસ્તુઓમાંથી એક છે. તેમાં રહેલું કર્ક્યુમિન તેને તેનો ચમકતો પીળો રંગ આપવાની સાથે તેને આરોગ્યપ્રદ બનાવે છે. કર્ક્યુમિન બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને હીલિંગ એટલે કે ઉપચાર કરવાની ક્ષમતા માટેના ગુણધર્મો ધરાવે છે. ઉપરાંત તે શરીરને ઈન્ફેક્શનથી બચાવવા, સાંધાના દુખાવામાં રાહત આપવા, પાચન સુધારવા અને આખા શરીરના આરોગ્યને સારું બનાવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
હળદરના ઉપચાર માટેના ઘરેલું ઉપયોગની પદ્ધતિઓમાં સૌથી વધુ લોકપ્રિય હળદરનું પાણી અને હળદરનું દૂધ છે. તેના અદભૂત ફાયદાઓના કારણે લોકો તેનો ઉપયોગ ઘણી રીતે ઉપયોગ કરે છે. શરીર પર તેની અસરો અલગ-અલગ છે. હળદરનું પાણી અને હળદરનું દૂધ એકબીજાના પૂરક છે. તેમનો પરસ્પર કોઈ મુકાબલો નથી. જો તમને ખબર ન હોય કે તેમની વચ્ચે શું તફાવત છે અને કયું તમારા માટે વધુ ફાયદાકારક છે ચાલો જાણીએ.