Sitaare Zameen Par: ‘સિતારે જમીન પર’ ફિલ્મમાં 10 એક્ટર છે ન્યૂરોડાઇવર્જન્ટ સ્પેક્ટ્રમના શિકાર,

Sitaare Zameen Par: ‘સિતારે જમીન પર’ ફિલ્મમાં 10 એક્ટર છે ન્યૂરોડાઇવર્જન્ટ સ્પેક્ટ્રમના શિકાર, જાણો આ શું હોય છે અને કેમ થાય છે

06/20/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

Sitaare Zameen Par: ‘સિતારે જમીન પર’ ફિલ્મમાં 10 એક્ટર છે ન્યૂરોડાઇવર્જન્ટ સ્પેક્ટ્રમના શિકાર,

Neurodivergent Syndrome: આમીર ખાનની ફિલ્મ સિતારે જમીન પર સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મ ખૂબ જ ખાસ છે. આ ફિલ્મમાં આમીર સાથે કામ કરી રહેલા 10 નવા ચહેરા ન્યૂરોડાઇવર્જન્ટ છે. આ કલાકારો સ્પેશિયલ ચાઇલ્ડ છે, જેમને વિવિધ પ્રકારના સિન્ડ્રોમ હોય છે. તેને જ ન્યૂરોડાઇવર્જન્ટ કહેવામાં આવે છે. નિષ્ણાતોના મતે, ન્યૂરોડાઇવર્જન્ટનો ઉપયોગ એવા બાળકો માટે થાય છે, જેમનું મગજ સામાન્ય બાળકો કરતા વિચારવામાં, સમજવામાં અને અનુભવવામાં થોડું અલગ હોય છે.


શું ન્યૂરોડાઇવર્જન્ટ બાળકો અભ્યાસમાં પાછળ રહે છે?

શું ન્યૂરોડાઇવર્જન્ટ બાળકો અભ્યાસમાં પાછળ રહે છે?

ક્લીવલેન્ડ ક્લિનિકના મતે, ન્યૂરોડાઇવર્જન્ટ કોઈ એક બીમારી કે સિન્ડ્રોમ નથી. બસ તેમાં મગજ થોડું અલગ રીતે કામ કરે છે. કેટલીક માનસિક સમસ્યાઓ એવી છે જે આ શ્રેણીમાં આવે છે. જેમ કે ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, ADHD, ડિસ્લેક્સિયા, ડિસકેલ્ક્યૂલિયા ડિસપ્રેક્સિયા, ટોરેટ સિન્ડ્રોમ હોય છે. આ બધા એ સિન્ડ્રોમ છે, જેના શિકાર બાળકો હંમેશાં સામાન્ય કરતા અલગ વ્યવહાર કરે છે. આ સિન્ડ્રોમનો કોઈ સ્થાયી સારવાર નથી. માત્ર તેમને કંટ્રોલ કરી શકાય છે.

દિલ્હી AIIMSના બાળરોગ વિભાગના પૂર્વ ડૉ. રાકેશ કુમાર બાગડી કહે છે કે, ન્યૂરોડાઇવર્જન્ટ હોવાનો અર્થ એ નથી કે બાળક ઓછું બુદ્ધિશાળી છે અથવા તેની માનસિક સ્થિતિ સારી નથી. એવું જરૂરી નથી કે ન્યૂરોડાઇવર્જન્ટ અભ્યાસમાં ખરાબ હશે. તેમનું મગજ પણ વધુ સર્જનાત્મક હોઈ શકે છે. તેમને કલા અને સંગીતમાં ઊંડો રસ હોઈ શકે છે. તેમને માત્ર થોડી અલગ રીતે શીખવવાની અને સમજાવવાની જરૂરિયાત હોય છે. તેમને સામાન્ય બાળકો કરતા થોડી વધુ કાળજી અને સારી સમજણની જરૂર છે. યોગ્ય માર્ગદર્શન અને સહયોગ સાથે, આવા બાળકો અસાધારણ સફળતા પ્રાપ્ત કરી શકે છે.


શું ન્યૂરોડાઇવર્જન્ટ અટકાવવાનું કે તેની સારવાર કરવી શક્ય છે?

શું ન્યૂરોડાઇવર્જન્ટ અટકાવવાનું કે તેની સારવાર કરવી શક્ય છે?

ડૉ. રાકેશ બતાવે છે કે ન્યૂરોડાઇવર્જન્ટનો અર્થ એ છે કે, એ વ્યક્તિનું મગજ જે રીતે વિકાસ થવું જોઈએ, એવું વિકસિત થતું નથી. તેનો મતલબ કે તેને રોકી શકાતું નથી અથવા તેની સંપૂર્ણ સારવાર કરી શકાતી નથી. કારણ કે તે આનુવંશિક કારણોસર થાય છે. બસ તેને નિયંત્રિત કરી શકાય છે. કેટલાક લોકો માટે, જેમ કે ADHDવાળા લોકો, વ્યવહાર થેરેપી અને દવાઓ તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. યોગ્ય માર્ગદર્શન અને સંભાળથી  આ બાળકો પણ સામાન્ય જીવન જીવી શકે છે. તેના માટે જરૂરી છે કે આ બાળકોને સમાજથી અલગ ન સમજવામાં આવે. તેમને મુખ્ય પ્રવાહમાં લાવીને તેમના જીવનને વધુ સારું બનાવવા માટે કાર્ય કરવું જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top