06/22/2025
Syria News: રવિવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક ચર્ચમાં પ્રાર્થના સભા ચાલી રહી હતી ત્યારે એક ભયાનક આત્મઘાતી વિસ્ફોટ થયો. આ હુમલામાં 15 લોકો માર્યા ગયા અને 13 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. આ હુમલો રાજધાનીના મધ્યમાં થયો હતો, જે સીરિયન શાસનનો સૌથી સુરક્ષિત વિસ્તાર માનવામાં આવે છે. સરકારી મીડિયાએ તેને કાયર આતંકવાદી હુમલો ગણાવ્યો છે, જોકે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, સીરિયાની રાજધાની દમાસ્કસના ડ્વેલા વિસ્તારમાં સ્થિત સેન્ટ એલિયાસ ચર્ચમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં 15 લોકો માર્યા ગયા. સીરિયાઈ સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોરે ચર્ચની અંદર જઈને પોતાને ઉડાવી દીધો.