05/31/2025
પહેલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી દીધી હતી, જેના કારણે આખા દેશમાં રોષ ફેલાયો હતો. ત્યારબાદ ભારત સરકાર અને ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKની અંદર આવેલા 9 જેટલા આતંકી ઠેકણાઓને એરસ્ટ્રાઈક કરીને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો હતો. પાકિસ્તાન તો એટલું બોખલાઈ ગયેલું કે તેણે ભારતીય સિવિલિયનો, ભારતીય સેનાના એરબેઝો અને ભારતીય રેસિડેન્શિયલ વિસ્તારો પર એટેક કરવાનું ચાલુ કરી દીધું હતું. પરંતુ ભારતીય એર ડિફેન્સે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા તમામ નાપાક પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા હતા. અને સેનાએ જવાબી કાર્યવાહીમાં નૂર ખાન એર બેઝ સહિત 11 જેટલા એરબેઝ તબાહ કરીને પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું. પછી શું હતું. પાકિસ્તાન બીજા દેશો સામે આજીજી કરવા લાગ્યું. ત્યારબાદ પાકિસ્તાનના DGMOએ ભારતના DGMOને સંપર્ક કરીને સીઝફાયર કરવા કહ્યું અને બંને દેશોની સહમતિથી 10 મેની સાંજે સીઝ ફાયર થઈ ગયું, પરંતુ કહેવાય છે ને કે કૂતરાની પૂછડી વાંકી તે વાકી, ક્યારેય સીધી નહીં થાય, તેવી જ રીતે પાકિસ્તાનની આદતોની પૂછડી પણ વાંકી છે તેને ક્યારેય સીધી નહીં કરી શકાય. પાકિસ્તાને સીઝફાયર થયાના થોડા જ કલાકોમાં ભારતીય વિસ્તારોમાં ડ્રોન એટેક કરીને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું, પરંતુ ત્યારબાદ બંને દેશોની સીમા પર શાંતિ છવાઈ. ઓપરેશન સિંદૂર બાદ આતંકીઓના આકા પણ અકળાયા છે.