04/01/2025
Myanmar Earthquake Update: મ્યાનમારમાં થોડા દિવસ અગાઉ ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેણે દેશમાં ખૂબ તબાહી મચાવી દીધી છે. ઠેર-છેર બરબાદીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. જેમ-જેમ રેસ્ક્યૂ ઓપરેશન આગળ વધી રહ્યું છે, તેમ-તેમ મૃત્યુઆંક વધી રહ્યો છે. જુન્ટા સરકારે સોમવારે (31 માર્ચ, 2025) નવા ધરતીકંપમાં મૃત્યુ પામનારા લોકોના આંકડા જાહેર કર્યા હતા.
પ્રચંડ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,056 થઇ ગયો છે, જ્યારે 3,900થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બચાવકર્મી ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાંથી બચાવ કામગીરી કરી રહ્યા છે. તો, મ્યાનમારે દેશમાં આવેલા વિનાશક ભૂકંપ માટે એક સપ્તાહનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તબાહ થઇ ચૂકેલી ઇમારતોના કાટમાળમાં બચેલા વધુ લોકોની મળવાની આશા ધૂંધળી થઈ ગઈ છે. શાસક જુંટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારના રોજ આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપથી થયેલા જાનહાનિ અને નુકસાન માટે શોક વ્યક્ત કરવા માટે 6 એપ્રિલ સુધી રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકેલો રહેશે.