05/31/2025
દેશમાં ફરી એકવાર કોરોનાવાયરસ ડરાવવા લાગ્યો છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 2,710 સુધી પહોંચી ગઈ છે, જેમાં કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. કેરળમાં 1,147 કેસ નોંધાયા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 424 કેસ નોંધાયા.
30 મેના રોજ સવારે 8:00 વાગ્યા સુધીના આંકડા અનુસાર, દિલ્હીમાં 294 અને ગુજરાતમાં 223 દર્દીઓ મળી ચૂક્યા છે. કર્ણાટક અને તમિલનાડુમાં 148-148 કેસ નોંધાયા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં 116 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત પણ નોંધાયા છે. આ વર્ષના પ્રથમ 5 મહિનામાં મૃતકોની સંખ્યા 22 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2 મોત થયા છે. જ્યારે દિલ્હી, ગુજરાત, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુમાં 1-1 મોત નોંધાયું છે.