પાછો ડરાવવા લાગ્યો કોરોના! દેશમાં કોરોનાના સક્રિય કેસો 2700ને પાર, 24 કલાકમાં આટલા લોકોના મોત

પાછો ડરાવવા લાગ્યો કોરોના! દેશમાં કોરોનાના સક્રિય કેસો 2700ને પાર, 24 કલાકમાં આટલા લોકોના મોત

05/31/2025 National

SidhiKhabar

SidhiKhabar

પાછો ડરાવવા લાગ્યો કોરોના! દેશમાં કોરોનાના સક્રિય કેસો 2700ને પાર, 24 કલાકમાં આટલા લોકોના મોત

દેશમાં ફરી એકવાર કોરોનાવાયરસ ડરાવવા લાગ્યો છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 2,710 સુધી પહોંચી ગઈ છે, જેમાં કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. કેરળમાં 1,147 કેસ નોંધાયા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 424 કેસ નોંધાયા.

30 મેના રોજ સવારે 8:00 વાગ્યા સુધીના આંકડા અનુસાર, દિલ્હીમાં 294 અને ગુજરાતમાં 223 દર્દીઓ મળી ચૂક્યા છે. કર્ણાટક અને તમિલનાડુમાં 148-148 કેસ નોંધાયા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં 116 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત પણ નોંધાયા છે. આ વર્ષના પ્રથમ 5 મહિનામાં મૃતકોની સંખ્યા 22 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2 મોત થયા છે. જ્યારે દિલ્હી, ગુજરાત, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુમાં 1-1 મોત નોંધાયું છે.


દિલ્હીમાં 24 કલાકમાં 77 દર્દીઓ મળ્યા

દિલ્હીમાં 24 કલાકમાં 77 દર્દીઓ મળ્યા

દિલ્હીમાં 60 વર્ષીય મહિલાનું મોત થયું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 24 કલાકમાં 77 દર્દીઓ મળ્યા છે. ત્યારબાદ કેરળમાં 24 કલાકમાં 72 અને મહારાષ્ટ્રમાં 34 દર્દીઓ મળ્યા. ગયા અઠવાડિયે (25 મે સુધી), કોરોનાના કેસોમાં 5 ગણો ઉછાળો જોવા મળ્યો હતો અને આંકડો 1,000ને વટાવી ગયો હતો. કેરળમાં સૌથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કદાચ આ કારણે, ત્યાં સૌથી વધુ દર્દીઓ ટ્રેસ થયા છે. મિઝોરમમાં પણ કોરોનાના 2 કેસ નોંધાયા છે. 7 મહિના બાદ અહીં કોરોનાના દર્દીઓ મળ્યા.

જોકે, આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, કોરોનાના મોટાભાગના કેસ સામાન્ય છે અને ગભરાવાની જરૂર નથી. નિષ્ણાતોએ સૂચવ્યું છે કે નવા વેરિયન્ટમાં અમુક અંશે પ્રતિરક્ષાથી બચવાની ક્ષમતા હોઈ શકે છે, પરંતુ એવા કોઈ પુરાવા નથી કે તેઓ લાંબા સમયા સુધી ગંભીર સંક્રમણનું કારણ બની શકે છે. તેના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા જ છે. કેટલાક લક્ષણોમાં તાવ, વહેતું નાક, ગળામાં દુઃખાવો, માથાનો દુઃખાવો અને થાકનો સમાવેશ થાય છે.


ઉછાળા પાછળનું કારણ શું છે?

એવું માનવામાં આવે છે કે ઓમિક્રોનના 2 નવા સબ વેરિયન્ટ LF.7 અને NB.1.8.1એ ચિંતા વધારી છે. કોરોનાના કેસોમાં આ અચાનક વધારા માટે આજ 2 વેરિયન્ટ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. જો કે, JN.1 હજુ પણ મુખ્ય વેરિયન્ટ છે. અત્યાર સુધી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ LF.7 અથવા NB.1.8.1ને ચિંતાજનક વેરિયન્ટના રૂપમાં ક્લાસિફાઇડ કર્યા નથી.

ઘણા રાજ્યોએ હોસ્પિટલોને બેડ, ઓક્સિજન સિલિન્ડર, ટેસ્ટિંગ કીટ અને રસીની ઉપલબ્ધતા જાળવવાનો નિર્દેશ આપ્યો છે. વૃદ્ધ અને પહેલાથી જ બીમાર લોકોને ભીડવાળા વિસ્તારોમાં જતી વખતે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યવાર કોરોનના કેસોની વાત કરીએ તો કેરળ 1147 કેસ, મહારાષ્ટ્ર 424 કેસ, દિલ્હી 294 કેસ, ગુજરાત 223 કેસ, કર્ણાટક-તમિલનાડુ  148-148 કેસ, પશ્ચિમ બંગાળ 116 કેસ, રાજસ્થાન 51 કેસ, ઉત્તર પ્રદેશ 42 કેસ પુડુચેરી 35 કેસ જોવા મળ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top