06/10/2024
કૈલાશ પર્વતને ભગવાન શંકરનું ઘર કહેવામાં આવે છે. શિવ પુરાણથી લઈને વિષ્ણુ પુરાણ અને સ્કંદ પુરાણમાં કૈલાશ પર્વતનો ઉલ્લેખ મળે છે. ઘણા ગ્રંથોમાં તેને પૃથ્વીની ધુરી અને સ્વર્ગનો રસ્તો બતાવવામાં આવ્યો છે. કૈલાશ પર્વત, હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તીર્થ સ્થળોમાંથી એક તો છે જ, બૌદ્ધ, બૉન, જૈન અને સિખ ધર્મમાં પણ તેને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. કૈલાશ પર્વત ભારત, ચીન અને તિબેટની સીમાથી લગભગ 100 કિમી દૂર ચીન દ્વારા શાસિત પશ્ચિમ તિબેટ વિસ્તારમાં છે. તે 6656 મીટર (21,778 ફૂટ) ઊચી ટોચ છે, એટલે કે માઉન્ટ એવરેસ્ટથી નાની. એ છતા આજ સુધી કોઈ પણ વ્યક્તિ કૈલાશ પર્વત પર ચઢી શકી નથી.