01/04/2023
ગુજરાત ડેસ્ક : ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાની વાતો ચાલે છે, તેમ છતા તે ઓછો થયો નથી. સરકારી બાબુઓ કેટલાંક કામકાજ માટે નાગરિકો પાસેથી લાંચ માગતા હોય છે. લાંચ લેવાનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં એક કોર્પોરેશનના કર્મચારીએ લાંચ માગી હતી. ત્યારે ફરિયાદીએ એન્ટિ કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરીને લાંચિયા કર્ચચારીને લાંચ લેતા રંગેહાથ પકડાવી દીધો હતો. સુરત એસીબીએ આ લાંચિયા કર્મચારીને ટ્રેપ ગોઠવીને પકડી પાડ્યો હતો.