07/01/2024
સુરત, તા.01 July, 2024: રોટી, કપડા ઔર મકાનને માણસની મૂળભૂત જરૂરિયાત ગણવામાં આવે છે. અને એટલે જ આ ત્રણ બાબતોમાં કોઈ ગરબડ થાય, તો વ્યક્તિઓ લાચાર પરિસ્થિતિમાં મૂકાઈ જતી હોય છે. ખાસ કરીને આજે જે રીતે મકાનના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે જીવનભરની મૂડી રોકીને મકાન ખરીદવા ઇચ્છનાર વ્યક્તિની આંખો ઉઘાડતો કિસ્સો સુરતના સૈયદપુરાથી સામે આવ્યો છે. સૈયદપુરા, રાજાવાડી વિસ્તારના નવા બંધાયેલા ઇસ્માઈલ પેલેસમાં એક જ ફ્લેટ બે વ્યક્તિને વેચવાના કેસમાં સંડોવાયેલા બિલ્ડરના જામીન અત્રેની કોર્ટે નામંજૂર કર્યાં છે.