04/02/2022
ગુજરાત ડેસ્ક : લગ્નસરાની મોસમ ચાલી રહી છે. પતિ-પત્ની એકબીજાને અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી જન્મોજન્મ સાથ નિભાવવાના વચન આપે છે. પરંતુ પ્રેમ, સમર્પણ, ત્યાગ, સહકાર અને આદરના વચનો સમય જતાં હવામાં બાષ્પીભવન પામે છે અને લગ્નનો સાક્ષી 'અગ્નિ' રોજબરોજના ઝગડાથી ઘરકંકાસનો દાવાનળ બની જાય છે. ઘણીવાર આ દાવાનળની જવાળાઓ એટલી ભયાનક હોય છે, જે બેમાંથી એકને મોતને ઘાટ ઉતારીને જ શાંત થાય છે. આવો જ એક ભયાવહ કિસ્સો ભાવનગરનાં (Bhavnagar) તળાજા તાલુકાના સરતાનપર ગામે બન્યો છે. જ્યાં પત્નીએ પતિને જીવતો સળગાવી દેતા ખળભળાટ મચી ગયો હતો.