07/05/2024
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તો કેટલાક વિસ્તારમાં 'સ્થળ ત્યાં જળ'ની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 50 ટકાથી વધુ જળસંગ્રહ થઈ ગયો છે. જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 32.48 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.