03/03/2025
2 માર્ચથી રમઝાનનો મહિનો શરૂ થઇ ગયો છે, પરંતુ વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રમઝાન મહિનાને લઈને જાહેર કરે એક કથિત આદેશને લઈને હોબાળો થઇ ગયો છે. તેના વિરોધના સૂર સુરતમાં પણ જોવા મળ્યા. VHP અને બજરંગ દળ દ્વારા સુરત રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને તાત્કાલિક પરિપત્ર રદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તૃષ્ટિકરણની નીતિ અપનાવી હોવાનો આક્ષેપ છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બહાર પડાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'રમઝાન મહિનો શરૂ થઈ રહ્યો હોવાથી. જે શાળાઓમાં મુસ્લિમ સમુદાયના બાળકોની સંખ્યા વધુ છે ત્યાં સમય બદલવામાં આવી રહ્યો છે. તેનો અમલ 1 માર્ચ, 2025થી રમઝાન દરમિયાન લાગૂ કરવામાં આવશે.
સવારની પાળીમાં શાળાનો સમય: સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી, રીસેસ-સવારે 9:30થી 10 વાગ્યા સુધી, બપોરની પાળીમાં શાળાનો સમય: 12:30 થી 4:30 વાગ્યા સુધી, રીસેસ-2:00થી 2:30 વાગ્યા સુધી.