કેમ બંધ થયું બિજલી મહાદેવનું મંદિર? દર 12 વર્ષે પડે છે વીજળી; ખંડિત થાય છે શિવલિંગ, જાણો રહસ્ય

કેમ બંધ થયું બિજલી મહાદેવનું મંદિર? દર 12 વર્ષે પડે છે વીજળી; ખંડિત થાય છે શિવલિંગ, જાણો રહસ્ય

05/28/2025 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

કેમ બંધ થયું બિજલી મહાદેવનું મંદિર? દર 12 વર્ષે પડે છે વીજળી; ખંડિત થાય છે શિવલિંગ, જાણો રહસ્ય

આમ તો, દુનિયાભરમાં ભગવાન શિવના ઘણા ચમત્કારિક અને રહસ્યમય મંદિર છે. પરંતુ, ભગવાન શિવનું એક એવું મંદિર હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આવેલું છે જે બિજલી મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. બિજલી મહાદેવ મંદિર ભગવાન શિવના સૌથી પ્રાચીન મંદિરોમાંથી એક માનવામાં આવે છે.

તાજેતરમાં, બિજલી મહાદેવ મંદિર સંબંધિત એક સમાચાર સામે આવ્યા છે કે મંદિરના દરવાજા અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે. મંદિર સમિતિનું કહેવું છે કે અંગત કામને કારણે મંદિર અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યું છે. પરંતુ, સ્થાનિક લોકોમાં એવી વાતો ફેલાઈ રહી છે કે થોડા દિવસો અગાઉ વીજળી પડવાથી મંદિરનું શિવલિંગ તૂટી ગયું હતું. શું આ જ કારણ છે કે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ મંદિર સમિતિએ આ વાતોનો ઇનકાર કર્યો છે. હાલમાં, મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક લોકો પાસે પણ સંપૂર્ણ માહિતી ન હોવાથી, તેઓ આ બાબતે વાત કરવામાં પણ ખચકાટ અનુભવે છે.


આ મંદિરને લઈને માન્યતા

આ મંદિરને લઈને માન્યતા

વાસ્તવમાં, આ મંદિર બાબતે એવી માન્યતા છે કે દર 12 વર્ષે વીજળી પડે છે, જેના કારણે મંદિરની અંદર સ્થાપિત શિવલિંગના ટુકડા-ટુકડા થઈ જાય છે. પછી, આ મંદિરને માખણ અને કેટલીક અન્ય સામગ્રીઓ સાથે જોડવામાં આવે છે. પરંતુ, આ મંદિર પર વીજળી કેમ પડે છે? આ જાણવા માટે, તમારે તેની સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ જાણવી પડશે.

સિહોરના કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ પણ તેમના પ્રવચનોમાં આ મંદિરનો ઉલ્લેખ કર્યો છે. તેમણે બિજલી મહાદેવ મંદિર સાથે જોડાયેલા ચમત્કારો બાબતે જણાવ્યું છે કે, ‘આખી દુનિયામાં માત્ર એક જ જગ્યા છે, જ્યાં મહાદેવના શિવલિંગ પર વીજળી આવીને પડે છે. આ વીજળીને કારણે શિવલિંગના ટુકડા-ટુકડા થઈ જાય છે. ત્યારબાદ, ગામમાંથી માખણ અને અન્ય સામગ્રી એકત્રિત કરવામાં આવે છે અને ભગવાન શંકરના તૂટેલા શિવલિંગને જોડવામાં આવે છે. શિવલિંગ સાથે જોડાયા બાદ, તેના પર જળ ચઢાવવામાં આવે છે, ત્યારબાદ કોઈ કહી શકતું નથી કે શિવલિંગ તૂટી ગયું હતું કે નહીં. એવું ચમત્કારિક મંદિર છે બિજલી મહાદેવ મંદિર.


બિજલી મહાદેવ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કહાની શું છે?

બિજલી મહાદેવ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કહાની શું છે?

બિજલી મહાદેવ મંદિર સાથે જોડાયેલી ઘણી કહાનીઓ પણ પ્રખ્યાત છે. સ્થાનિક લોકોના મતે, બિજલી મહાદેવ કુલાંત નામના રાક્ષસ સાથે પણ સંબંધિત છે. એકવાર કુલાંત નામનો રાક્ષસ અજગરનું રૂપ ધારણ કરીને નાગધરથી થતા મથાણા ગામમાં આવ્યો અને અહીંથી વહેતી વ્યાસ નદીને રોકી દીધી. જેના કારણે અહીંના જીવ-જંતુ વ્યાસ નદીના પાણીમાં ડૂબીને મરવા લાગ્યા. જ્યારે ભગવાન શંકરને આ વાતની ખબર પડી, ત્યારે તેઓ કુલાંત પાસે આવ્યા અને તેને કહ્યું કે તારી પૂંછડીમાં આગ લાગી ગઈ છે. આ સાંભળીને, રાક્ષસ તેની પૂંછડી જોવા માટે ફર્યો કે તરત જ ભગવાન શંકરે તેને પોતાના ત્રિશૂળથી તેનો વધ કરી દીધો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top