નવા પોપની પસંદગીમાં આ 4 ભારતીય કાર્ડિનલ્સની રહેશે મહત્ત્વપૂર્ણ ભૂમિકા, સમજી લો આખી ચૂંટણી પ્રક્

નવા પોપની પસંદગીમાં આ 4 ભારતીય કાર્ડિનલ્સની રહેશે મહત્ત્વપૂર્ણ ભૂમિકા, સમજી લો આખી ચૂંટણી પ્રક્રિયા

04/22/2025 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

નવા પોપની પસંદગીમાં આ 4 ભારતીય કાર્ડિનલ્સની રહેશે મહત્ત્વપૂર્ણ ભૂમિકા, સમજી લો આખી ચૂંટણી પ્રક્

ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મ ગુરુ પોપ ફ્રાન્સિસનું 21 એપ્રિલના રોજ 88 વર્ષની વયે નિધન થઈ ગયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ન્યૂમોનિયાને કારણે તેમના બંને ફેફસાંને નુકસાન થયું હતું. હવે આગામી થોડા દિવસો સુધી વેટિકનમાં શોક મનાવવામાં આવશે અને આ સમય દરમિયાન આગામી પોપની પસંદગીની તૈયારીઓ પણ શરૂ થઈ જશે. શોક સમાપ્ત થયા બાદ, કૉલેજ ઓફ કાર્ડિનલ્સ નવા પોપની પસંદગી કરવા માટે એક કૉન્ક્લેવમાં ભેગા થશે. તેમાં લગભગ 135 કાર્ડિનલ્સનો સમાવેશ થશે, જેમાંથી 4 ભારતીય છે. આવો જાણીએ કે નવા પોપની પસંદગી કરનારાઓમાં આ 4 ભારતીય કાર્ડિનલ્સ કોણ છે.


ફિલિપ નેરી ફેરાઓ

ફિલિપ નેરી ફેરાઓ

ગોવા અને દમણના આર્કબિશપ કાર્ડિનલ ફેરાઓ 'કોન્ફરન્સ ઓફ બિશપ ઓફ ઈન્ડિયા’ અને અને 'ધ ફેડરેશન ઓફ એશિયન બિશપ્સ'ના પણ અધ્યક્ષ છે. 72 વર્ષીય ફેરાઓને પૂર્વ ઈન્ડીઝના સાતમા પેટ્રિઆર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ લાંબા સમયથી સામાજિક ન્યાય અને પ્રવાસીઓને સહયોગ આપવાના ક્ષેત્રમાં કાર્યરત છે.


બેસિલિયોસ ક્લેમિસ

બેસિલિયોસ ક્લેમિસ

કાર્ડિનલ બેસેલિયોસ કેરળના તિરુવનંતપુરમમાં સિરો-મલંકારા કેથોલિક ચર્ચના મુખ્ય આર્કબિશપ છે. 64 વર્ષીય કાર્ડિનલ લાંબા સમયથી પોતાની ચર્ચના ધર્મસભાઓના અધ્યક્ષ પણ રહ્યા છે. તેઓ વર્ષ 2001માં બિશપ બન્યા અને વર્ષ 2012માં કૉલેજ ઓફ કાર્ડિનલ્સમાં જોડાયા. સિરો-મલંકારા સમુદાયની અનોખી પરંપરાઓ અને શિક્ષણને જાળવવામાં તેમનું નેતૃત્વ મહત્વપૂર્ણ રહ્યું છે.


એન્થોની પૂલા

એન્થોની પૂલા

હૈદરાબાદના આર્કબિશપ કાર્ડિનલ પૂલાએ ભારતના પ્રથમ દલિત કાર્ડિનલ બનવાનો ઇતિહાસ રચ્યો છે. 63 વર્ષીય કાર્ડિનલની નિમણૂકને ચર્ચમાં સમાનતા તરફના એક મજબૂત પગલા તરીકે જોવામાં આવે છે. વેટિકનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેમનું આર્કબિશપ હોવું જાતિ આધારિત ભેદભાવનો સામનો કરી રહેલા લોકો માટે આશા અને પ્રગતિનું કિરણ બની શકે છે.


જ્યોર્જ જેકબ કુવાકડ

જ્યોર્જ જેકબ કુવાકડ

જ્યોર્જ જેકબ કૂવાકડનું નામ સૌથી યુવા ઈલેક્ટર્સમાં સામેલ છે, જેમની ઉંમર 51 વર્ષ છે. તેઓ આંતર્ધાર્મિક સંવાદ માટે વેટિકનના ડાયકેસ્ટ્રીના પ્રિફેક્ટનું પદ પણ સંભાળે છે. તેઓ હાલમાં રોમમાં સેન્ટ એન્ટોનિયો ડી પાડોવા એ સર્કોનવાલાઝિઓન અપ્પિયામાં કાર્ડિનલ-ડીકન તરીકે સેવા આપે છે.


કેવી રીતે પસંદ કરવામાં આવે છે પોપ?

કેવી રીતે પસંદ કરવામાં આવે છે પોપ?
  1. પોપની પસંદગી સદીઓ જૂની વેટિકન પરંપરાઓ અનુસાર થાય છે. 80 વર્ષથી ઓછી ઉંમરના કાર્ડિનલ્સ કૉલેજ સિસ્ટિન ચેપલની અંદર ગુપ્ત રીતે મતદાન કરશે. નવા પોપને ચૂંટવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂરીયાત હોય છે.
  2. જો કોઈ સર્વસહમતિ ન બને, તો મતદાનના વધારાના રાઉન્ડ ચાલુ રહેશે, જ્યાં સુધી જરૂરી સમર્થનવાળો ઉમેદવાર સામે આવી જતો નથી.
  3. આ સિવાય જ્યારે મતદાનના રાઉન્ડમાં સર્વસહમતિ ન બને, ત્યારે મતપત્રો બાળી નાખવામાં આવે છે અને સિસ્ટિન ચેપલની ચીમનીમાંથી નીકળતો કાળો ધુમાડો ટેલિવિઝન અને સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં રહેલા લોકોને સંકેત આપે છે કે સંમેલન ચાલુ છે.
  4. જ્યારે સફેદ ધુમાડો દેખાય, ત્યારે સમજી લેવું કે નવા પોપને ચૂંટી લેવામાં આવ્યા છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top