1700ની ચપ્પલ તૂટી તો ગ્રાહકે કર્યું કંઈક એવું કે શૉરૂમના મેનેજર સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરન્ટ

1700ની ચપ્પલ તૂટી તો ગ્રાહકે કર્યું કંઈક એવું કે શૉરૂમના મેનેજર સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરન્ટ જાહેર કરાયું

12/26/2025 National

SidhiKhabar

SidhiKhabar

1700ની ચપ્પલ તૂટી તો ગ્રાહકે કર્યું કંઈક એવું કે શૉરૂમના મેનેજર સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરન્ટ

આપણે આપણી રોજિંદી જરૂરિયાતો માટે ઘણી વસ્તુઓ ખરીદીએ છીએ. સારી ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે આપણે બ્રાન્ડેડ સામાનો પર પૈસા પણ ખર્ચીએ છીએ, પરંતુ ઘણીવાર, શૉરૂમમાંથી ખરીદેલી બ્રાન્ડેડ વસ્તુઓ અથવા ઉત્પાદનો પણ નબળી ગુણવત્તાવાળા નીકળે છે. દુકાનદારો ઘણીવાર આપણને ખામીયુક્ત સામાન આપે છે. જ્યારે આપણે તેને પરત કરીએ છીએ, ત્યારે તેઓ નો-રીટર્ન પોલિસીનો ઉલ્લેખ કરે છે. આનાથી આપણને છેતરાયાનો અનુભવ થાય છે. જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત અથવા ભેળસેળયુક્ત હોવાનું બહાર આવે છે, તો વ્યક્તિઓને ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરવાનો અને વળતર મેળવવાનો અધિકાર છે.


દેશમાં ગ્રાહક સુરક્ષા કાયદો અમલમાં

દેશમાં ગ્રાહક સુરક્ષા કાયદો અમલમાં

વજનમાં ગરબડી, સેવામાં ખામી અથવા ખરાબ ક્વાલિટીના સામાન  વગેરેથી છૂટકારો મેળવવા ગ્રાહક સુરક્ષા કાયદો અમલમાં છે. દેશભરમાં 630 થી વધુ ગ્રાહક અધિકાર અદાલતો અથવા ગ્રાહક મુકદ્દમા અદાલતો છે. દરેક જિલ્લા ફોરમમાં અધ્યક્ષ સહિત 3 સભ્યો હોય છે.

ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં એક માણસે પોતાના હકો માટે લડાઈ લડી છે. તેણે શૉરૂમમાંથી ચંપલ ખરીદ્યા હતા. ચંપલની કિંમત 1,700 રૂપિયા હતી. જોકે, આ જ ચંપલ હવે શૉરૂમ મેનેજર માટે મુશ્કેલી બની ગઇ છે. શખ્સની ફરિયાદ મુજબ, ઉપયોગ કરવાના એક મહિનાની અંદર ચંપલ તૂટી ગઇ હતી. તેણે શૉરૂમમાં રીટર્નની વિનંતી કરી હતી, પરંતુ શૉરૂમે નો-રીટર્ન પોલિસીનો હવાલો આપીને તેને કાઢી મૂક્યો હતો. ત્યારબાદ તે શખ્સ જિલ્લા ગ્રાહક અદાલતમાં ગયો અને કેસ દાખલ કર્યો. ત્યારબાદ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે ગ્રાહક ફોરમના આદેશોનો સતત અનાદર કરવા બદલ શૉરૂમના મેનેજર મોહમ્મદ ઉસ્માન વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જાહેર કરી દીધું.


કેસ ક્યારેનો છે?

કેસ ક્યારેનો છે?

પીડિતનું વ્યક્તિ કહેવું છે કે જ્યારે તે પોતાની ફરિયાદ લઈને શૉરૂમ ગયો ત્યારે શરૂઆતમાં તેને ગોળમટોળ જવાબ નો સામનો કરવો પડ્યો. બાદમાં શૉરૂમના મેનેજરે ચંપલ પોતાની પાસે રાખી લીધી, પરંતુ ન તો નવી ચપ્પલ આપી કે, ન તો પૈસા પરત કર્યા. સતત હેરાનગતિ બાદ, તેણે 17 ઓક્ટોબર 2022ના રોજ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ નોંધાવી.

ગ્રાહક ફોરમે શૉરૂમના મેનેજરને ઘણી નોટિસ ફટકારી હતી. એવો આરોપ છે કે મેનેજર ફોરમ સમક્ષ હાજર થયો નહોતા કે કોઈ દ્વારા પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ત્યારબાદ, 8 જાન્યુઆરી 2024ના રોજ, ફોરમે શૉરૂમના મેનેજરને ચંપલની કિંમત પરત કરવા, માનસિક હેરાનગતિ માટે 2,500 રૂપિયા અને કેસના ખર્ચ તરીકે 5,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો એટલે કે કુલ 9,200 રૂપિયા આપવાના નિર્દેશ આપ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે ફોરમના આ આદેશનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું. જિલ્લા ગ્રાહક ફોરમે સીતાપુરના પોલીસ અધિક્ષકને એક પત્ર મોકલીને નિર્દેશ આપ્યો હતો કે 2 જાન્યુઆરી, 2026 સુધીમાં બિનજામીનપાત્ર વોરન્ટનો અમલ કરવામાં આવે અને શૉરૂમના મેનેજર મોહમ્મદ ઉસ્માનની ધરપકડ કરીને ફોરમ સમક્ષ રજૂ કરવામાં આવે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top