શા માટે વધી રહ્યું છે યુવાનોમાં હાર્ટએટેકનું જોખમ? જાણીલો ક્યાંક આ છ ભૂલો તમે પણ તો નથી

શા માટે વધી રહ્યું છે યુવાનોમાં હાર્ટએટેકનું જોખમ? જાણીલો ક્યાંક આ છ ભૂલો તમે પણ તો નથી કરી રહ્યાને!

09/03/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શા માટે વધી રહ્યું છે યુવાનોમાં હાર્ટએટેકનું જોખમ? જાણીલો ક્યાંક આ છ ભૂલો તમે પણ તો નથી

આજકાલ હાર્ટ એટેક એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જે વૃદ્ધો કરતાં વધારે યુવાનોમાં જોવા મળી રહી છે. જો કે આ હાર્ટ એટેકનું જોખમ વધવાનું એક મુખ્ય કારણ આપણી દિનચર્યામાં થતી કેટલીક ભૂલો છે. ભાગદોડભરી જીવનશૈલીમાં, આપણે ઘણીવાર આપણા સ્વાસ્થ્યને અવગણીએ છીએ, જેનો સૌથી મોટો ભોગ આપણા હૃદયના સ્વાસ્થ્યને ભોગવવો પડે છે. આપણી દિનચર્યાની કેટલીક ખોટી આદતો ધીમે ધીમે હૃદયને નબળી પાડે છે અને આપણને આ ગંભીર ખતરા તરફ ધકેલી દે છે. અને અમુક વખત પરિસ્થિતિ એટલી બગડે છે કે, જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે ડોકટરો માટે પણ જીવ બચાવવો મુશ્કેલ બની જાય છે.


ખાવાની ખોટી આદતો

ખાવાની ખોટી આદતો

આપણા આહારની સીધી અસર કોલેસ્ટ્રોલ પર પડે છે. ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટથી ભરપૂર ખોરાક, જેમ કે તળેલા નાસ્તા, પેકેજ્ડ ફૂડ અને પ્રોસેસ્ડ મીટ, ખરાબ કોલેસ્ટ્રોલમાં ઝડપથી વધારો કરે છે. આ વસ્તુઓનું વધુ પડતું સેવન ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા કરે છે, જેનાથી લોહીનો પ્રવાહ મુશ્કેલ બને છે, અને હાર્ટ એટેકનું જોખમ વધે છે.


શારીરિક પ્રવૃત્તિનો અભાવ

શારીરિક પ્રવૃત્તિનો અભાવ

જે લોકો લાંબા સમય સુધી એક જગ્યાએ બેસે છે અને કસરત નથી કરતા, તેમને કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ વધારે હોય છે. જ્યારે આપણે શારીરિક રીતે સક્રિય નથી હોતા, ત્યારે શરીર સારું કોલેસ્ટ્રોલ (HDL) ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. કહેવાય છે કે દરરોજ 30 મિનિટ ચાલવાથી પણ હૃદય સ્વસ્થ રહે છે.


વધુ પડતું મીઠું ખાવું

વધુ પડતું મીઠું ખાવું

મીઠાનું વધુ પડતું સેવન હાઈ બ્લડ પ્રેશરનું મુખ્ય કારણ છે. હાઈ બ્લડ પ્રેશર હૃદય પર દબાણ વધારે છે અને સમય જતાં હૃદયના સ્નાયુઓ નબળા પડે છે. પેક્ડ ખોરાક અને બહારના ખોરાકમાં ઘણું મીઠું હોય છે, તેથી તેનું સેવન ઓછું કરો.


પૂરતી ઊંઘ ન લેવી

પૂરતી ઊંઘ ન લેવી

અપૂરતી ઊંઘ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જ્યારે આપણે પૂરતી ઊંઘ નથી લેતા, ત્યારે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર વધે છે. આ હોર્મોન હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગોનું કારણ બને છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે.


તણાવ

તણાવ

માનસિક તણાવએ આજના સમયમાં સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી હૃદયના ધબકારા વધે છે અને બ્લડ પ્રેશર પણ વધે છે. જો તણાવને નિયંત્રિત ન કરવામાં આવે તો તે હૃદયરોગનો હુમલો લાવી શકે છે. જો કે યોગ અને ધ્યાન દ્વારા માનસિક તણાવને  ઘટાડી શકાય છે.


ધુમ્રપાન અને દારૂ

ધુમ્રપાન અને દારૂ

ધુમ્રપાન અને દારૂનું સેવન લીવર અને હૃદયને સીધું નુકસાન પહોંચાડે છે. સિગારેટમાં હાજર નિકોટિન રક્તવાહિનીઓને સાંકડી કરે છે, જ્યારે દારૂ અનિયમિત ધબકારાનું કારણ બની શકે છે. આ બે આદતો એકસાથે હૃદયરોગના હુમલાનું જોખમ અનેકગણું વધારે છે. આ આદતોને તાત્કાલિક છોડી દેવામાં જ  સમજદારી છે.


આ સાવધાનીઓ વર્તો

આ સાવધાનીઓ વર્તો

હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે દિનચર્યામાં સુધારો કરવો ખૂબ જ જરૂરી છે. સૌ પ્રથમ,  આહારમાં સુધારો કરો. ફાઇબરથી ભરપૂર ફળો, શાકભાજી અને આખા અનાજ ખાઓ. નિયમિતપણે કસરત કરો અને તણાવ ઘટાડવા માટે દિનચર્યામાં યોગ અથવા ધ્યાનનો સમાવેશ કરો. આ ઉપરાંત, સમયાંતરે કોલેસ્ટ્રોલની તપાસ કરાવો જેથી સમસ્યાને શરૂઆતના તબક્કામાં જ ઓળખી શકાય. ઉપરાંત, જો હૃદય સંબંધિત કોઈ પણ સમસ્યા અનુભવાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top