Ahmedabad Plane Crash: આ ગુજરાતી કપલ પહેલા બાળકનો ચહેરો પણ ન જોઈ શક્યું, બેબી શાવર બાદ લંડન જતા હતા અને..’
Air India Plane Crash: 12 જૂન ગુજરાત જ નહીં આખા દેશા માટે કાળમુખો રહ્યો. અમદાવાદમા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાણ ભર્યાની થોડી જ મિનિટોમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થઈ ગયું અને તેમાં સવાર 242 યાત્રીઓમાંથી 241 લોકોના મોત થઈ ગયા અને જમીન પર લોકો પણ તેમાં સપડાઈ ગયા. આ દુર્ઘટનામાં એવી ઘણી કહાનીઓ છે જે લોકોની આંખો ભીની કરી દે છે. આવી એજ કહાની છે એક ગુજરાતી કપલની, જે બેબી શાવર માટે ગુજરાત આવેલું. પહેલા બાળકના સ્વાગત માટે આ કપલ તૈયાર હતું, પરંતુ જિંદગી અને વિધાતાને કદાચ એ મંજૂર નહોતું. આ દુર્ઘટનાને કારણે કપલ પોતાના પહેલા બાળકનું મોઢું પણ જોઈ ન શક્યું.
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં થયેલા દરેક એક મોતે એક હૃદયદ્રાવક કહાની છોડી દીધી છે. આવી જ એક કહાની વૈભવ પટેલ (29) અને તેની પત્ની જીનલ ગોસ્વામી (27)ની છે. તેઓ લંડનથી અમદાવાદ પોતાના પહેલા બાળકના બેબી શાવરમાં સામેલ થવા માટે આવ્યા હતા. જીનલ 7 મહિનાની ગર્ભવતી હતી અને પરિવાર સાથે આ ખુશીની ક્ષણનો ઉજવ્યા કર્યા બાદ, બંને 12 જૂને લંડન પરત ફરી રહ્યા હતા, પરંતુ વિમાન દુર્ઘટનાએ તેમનો અને તેમના આવનાર બાળકની જિંદગી પણ છીનવી લીધી. 12 જૂને, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાણ ભરનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ કર્યા બાદ તરત જ ક્રેશ થઈ ગઈ. આ અકસ્માતમાં વિમાનના 2 પાઇલટ, 10 ક્રૂ સભ્યો અને 229 મુસાફરોના મોત થયા હતા. આ અકસ્માતમાં એકમાત્ર વિશ્વાસ કુમાર રમેશ નામનો મુસાફર બચી ગયો, જે લંડનનો નાગરિક છે.
તો, DNA ટેસ્ટ દ્વારા પુષ્ટિ થયા બાદ 241 મૃતકોમાં વૈભવ અને જીનલના નામ સામે આવ્યા છે. વૈભવ મૂળ ગુજરાતના ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામનો રહેવાસી હતો. તેના કાકા બળવંત પટેલે જણાવ્યું હતું કે બંનેના લગ્ન અઢી વર્ષ અગાઉ થયા હતા અને વૈભવ 2 વર્ષ અગાઉ લંડન ગયો હતો. આ વખતે તે માત્ર પોતાના પહેલા બાળકના સ્વાગતની તૈયારી માટે અમદાવાદ આવ્યો હતો.
રવિવારે જીનલ માટે એક ભવ્ય બેબી શાવર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આખા પરિવારે ભાગ લીધો હતો. ખુશીઓથી ભરેલો તે દિવસ હવે પરિવાર માટે એવી ક્ષણ બની ગઈ છે, જેને યાદ કરીને દરેક આંખો ભીની થઈ જાય છે. 2 દિવસ બાદ એટલે કે 12 જૂને, જ્યારે બંને લંડન જવા રવાના થયા, ત્યારે કોઈને ખ્યાલ પણ નહોતો કે આ તેમની છેલ્લી યાત્રા હશે. કાકાએ વધુમાં કહ્યું કે આ અકસ્માત માત્ર એક દંપતીનું મૃત્યુ નથી, પરંતુ આખા પરિવારનું સપનું, એક અજાત બાળક અને ભાવિ પેઢીનો અંત છે. વિમાન દુર્ઘટના બાદ, બધી ખુશીઓ હવે જીવનભરના અફસોસમાં ફેરવાઈ ગઈ છે. અમે ન માત્ર અમારા પુત્ર અને પુત્રવધૂને ગુમાવ્યા, પરંતુ અમારું ભવિષ્ય પણ ગુમાવ્યું છે જે બે મહિના બાદ જન્મ લેવાનું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp