તુર્કી તો પાકિસ્તાનથી પણ ઘાતક નીકળ્યું, સીધું આપણું ગળા પર તરાપ મારવાનો કરી રહ્યું છે પ્રયાસ, ઇ

તુર્કી તો પાકિસ્તાનથી પણ ઘાતક નીકળ્યું, સીધું આપણું ગળા પર તરાપ મારવાનો કરી રહ્યું છે પ્રયાસ, ઇન્ટેલિજેન્સ રિપોર્ટમાં મોટો ખુલાસો

06/10/2025 World

SidhiKhabar

SidhiKhabar

તુર્કી તો પાકિસ્તાનથી પણ ઘાતક નીકળ્યું, સીધું આપણું ગળા પર તરાપ મારવાનો કરી રહ્યું છે પ્રયાસ, ઇ

ઓપરેશન સિંદૂર દરમિયાન, તુર્કીએ પાકિસ્તાનને દરેક રીતે મદદ કરી. પરંતુ વાત માત્ર આટલી જ નથી. તુર્કીનો ઈરાદો આપણું ગળું ન કાપવાનો છે. તાજેતરના ગુપ્તચર અહેવાલમાં ખુલાસો થયો છે કે તુર્કી બાંગ્લાદેશના ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન જમાત-એ-ઇસ્લામીને પૈસા આપી રહ્યું છે, તેના આતંકવાદીઓને હથિયાર આપી રહ્યું છે. રાજકીય મદદ આપી રહ્યું છે જેથી તે ભારતના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં આતંક ફેલાવી શકે. અલગાંવવાદી ગતિવિધિઓને અંજામ આપી શકે. અહેવાલ મુજબ, તુર્કી ગુપ્તચર એજન્સીઓ અને કટ્ટરવાદી સંસ્થાઓ જમાતને નાણાકીય, વૈચારિક અને લશ્કરી સહાય આપી રહ્યું છે. આ ન માત્ર બાંગ્લાદેશના રાજકારણ સુધી મર્યાદિત છે, પરંતુ ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો, પશ્ચિમ બંગાળ, કેરળ અને કાશ્મીરને અસર કરી રહ્યું છે.


ઇસ્લામિક કટ્ટરપંથીનો પ્રસાર

ઇસ્લામિક કટ્ટરપંથીનો પ્રસાર

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તુર્કી ગુપ્તચર એજન્સીઓએ ઢાકાના મોગબજારમાં સ્થિત જમાત-એ-ઇસ્લામીના કાર્યાલયના પુનર્નિર્માણ માટે પૈસા મોકલ્યા છે. આ ભંડોળનો ઉપયોગ માત્ર ઇમારત માટે જ નહીં, પરંતુ સંગઠનાત્મક માળખા અને પ્રચાર તંત્રને મજબૂત કરવા માટે પણ થઈ રહ્યો છે. આ સાથે, જમાત સાથે જોડાયેલા વિદ્યાર્થી નેતા સાદિક કય્યામ જેવા કાર્યકરોને તુર્કીમાં હથિયાર ફેક્ટરીઓનો પ્રવાસ કરાવવામાં આવી રહ્યો છે. જેનો સીધો અર્થ એ છે કે લશ્કરી ટેક્નોલોજી અને નેટવર્કિંગ બાબતે માહિતી આપવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના નેતૃત્વમાં, તુર્કી દક્ષિણ એશિયામાં પેન-ઇસ્લામિક એજન્ડા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ધાર્મિક વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શિષ્યવૃત્તિઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઇસ્લામિક સંસ્થાઓ પર ઘણા પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે. આ સોફ્ટ ટેરરિઝ્મનો એક ભાગ છે, જે ગોળી ચલાવ્યા વિના જેહાદી વિચારસરણીને ઉછેરવા દે છે. ભારત વિરુદ્ધ ‘હિન્દુત્વ વિરોધી’ વિચારોને પ્રોત્સાહન આપવા, કાશ્મીર અને કેરળમાં મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી તરફ ધકેલવાની વ્યૂહરચના છે.


બિન-લશ્કરી અધિકારીઓને શસ્ત્રો બતાવ્યા

બિન-લશ્કરી અધિકારીઓને શસ્ત્રો બતાવ્યા

સૌથી ચોંકાવનારી વાત એ છે કે બાંગ્લાદેશ ઇન્વેસ્ટમેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (BIDA)ના વડા, મોહમ્મદ આશિક ચૌધરીએ તાજેતરમાં તુર્કીની MKE હથિયાર ઉત્પાદન કંપનીની મુલાકાત લીધી હતી. આ ખાસ છે કારણ કે તેની સાથે સંરક્ષણ મંત્રાલય કે સેનાનો કોઈ અધિકારી નહોતા. આવું સામાન્ય રીતે થતું નથી. સૂત્રોનું કહેવું છે કે આ એક સિવિલિયન કવર પાછળ છુપાયેલ લશ્કરી કરાર હોઈ શકે છે. એટલું જ નહીં, જમાત સાથે સંકળાયેલા કેટલાક લોકો અરાકાન આર્મી (મ્યાંમારની આતંકવાદી સેના)ને હાથિયાર સપ્લાય કરવાના પ્રયાસમાં પણ સામેલ રહ્યા છે. જો આ સાચું હોય, તો આ માર બાંગ્લાદેશની વાત નથી, પરંતુ ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો માટે એક ખુલ્લુ જોખમ છે.


ભારત માટે કેટલી મોટી ચેતવણી છે આ નેક્સસ?

ભારત માટે કેટલી મોટી ચેતવણી છે આ નેક્સસ?
  1. ભારતની સરહદ બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે, ખાસ કરીને આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ જેવા રાજ્યો સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. જો જમાત-એ-ઇસ્લામીને તુર્કી પાસેથી હથિયાર, પૈસા અને વૈચારિક સમર્થન મળી રહ્યું છે અને જો તે અરાકાન આર્મી જેવા સંગઠનોમાં જોડાઈને ઉત્તરપૂર્વમાં પોતાની લિન્ક બનાવી રહ્યું છે, તો તે ભારત માટે સીધું જોખમ છે.
  2. જમાત સાથે સંકળાયેલી NGO અને સંસ્થાઓ કેરળમાં પહેલાથી જ સક્રિય છે, જે શિક્ષણ અને દાનના નામે યુવા મુસ્લિમોને ઉશ્કેરે છે. જમ્મુ-કાશ્મીરમાં, પાકિસ્તાન તરફી સંગઠનો અને સોશિયલ મીડિયા ઝુંબેશ સાથે વૈચારિક મિશ્રણ પણ ચાલી રહ્યું છે. હવે તુર્કીની મદદથી, જમાતને આંતરરાષ્ટ્રીય કાયદેસરતા અને વૈચારિક શક્તિ મળી રહી છે, જે ભારતના સામાજિક માળખા અને ધર્મનિરપેક્ષ લોકશાહીને અસર કરી શકે છે.
  3. ગુપ્તચર માહિતી અનુસાર, આ સમગ્ર યોજનાનો ત્રીજો છેડો પાકિસ્તાનની ISI સાથે જોડાયેલો છે. તુર્કી પૈસા આપી રહ્યું છે. ISI નેટવર્ક બનાવી રહ્યું છે. જમાત-એ-ઇસ્લામી તેને જમીન પર અમલમાં મૂકી રહ્યું છે. આ ત્રિપુટી સાથે, બાંગ્લાદેશ ભારત માટે એક નવું 'ફ્રન્ટલાઇન' બની શકે છે, જ્યાંથી કટ્ટરવાદ, હથિયાર અને ફેક નેરેટિવ ભારતમાં મોકલવામાં આવે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top