તુર્કી તો પાકિસ્તાનથી પણ ઘાતક નીકળ્યું, સીધું આપણું ગળા પર તરાપ મારવાનો કરી રહ્યું છે પ્રયાસ, ઇન્ટેલિજેન્સ રિપોર્ટમાં મોટો ખુલાસો
ઓપરેશન સિંદૂર દરમિયાન, તુર્કીએ પાકિસ્તાનને દરેક રીતે મદદ કરી. પરંતુ વાત માત્ર આટલી જ નથી. તુર્કીનો ઈરાદો આપણું ગળું ન કાપવાનો છે. તાજેતરના ગુપ્તચર અહેવાલમાં ખુલાસો થયો છે કે તુર્કી બાંગ્લાદેશના ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન જમાત-એ-ઇસ્લામીને પૈસા આપી રહ્યું છે, તેના આતંકવાદીઓને હથિયાર આપી રહ્યું છે. રાજકીય મદદ આપી રહ્યું છે જેથી તે ભારતના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં આતંક ફેલાવી શકે. અલગાંવવાદી ગતિવિધિઓને અંજામ આપી શકે. અહેવાલ મુજબ, તુર્કી ગુપ્તચર એજન્સીઓ અને કટ્ટરવાદી સંસ્થાઓ જમાતને નાણાકીય, વૈચારિક અને લશ્કરી સહાય આપી રહ્યું છે. આ ન માત્ર બાંગ્લાદેશના રાજકારણ સુધી મર્યાદિત છે, પરંતુ ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો, પશ્ચિમ બંગાળ, કેરળ અને કાશ્મીરને અસર કરી રહ્યું છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તુર્કી ગુપ્તચર એજન્સીઓએ ઢાકાના મોગબજારમાં સ્થિત જમાત-એ-ઇસ્લામીના કાર્યાલયના પુનર્નિર્માણ માટે પૈસા મોકલ્યા છે. આ ભંડોળનો ઉપયોગ માત્ર ઇમારત માટે જ નહીં, પરંતુ સંગઠનાત્મક માળખા અને પ્રચાર તંત્રને મજબૂત કરવા માટે પણ થઈ રહ્યો છે. આ સાથે, જમાત સાથે જોડાયેલા વિદ્યાર્થી નેતા સાદિક કય્યામ જેવા કાર્યકરોને તુર્કીમાં હથિયાર ફેક્ટરીઓનો પ્રવાસ કરાવવામાં આવી રહ્યો છે. જેનો સીધો અર્થ એ છે કે લશ્કરી ટેક્નોલોજી અને નેટવર્કિંગ બાબતે માહિતી આપવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના નેતૃત્વમાં, તુર્કી દક્ષિણ એશિયામાં પેન-ઇસ્લામિક એજન્ડા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ધાર્મિક વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શિષ્યવૃત્તિઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઇસ્લામિક સંસ્થાઓ પર ઘણા પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે. આ સોફ્ટ ટેરરિઝ્મનો એક ભાગ છે, જે ગોળી ચલાવ્યા વિના જેહાદી વિચારસરણીને ઉછેરવા દે છે. ભારત વિરુદ્ધ ‘હિન્દુત્વ વિરોધી’ વિચારોને પ્રોત્સાહન આપવા, કાશ્મીર અને કેરળમાં મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી તરફ ધકેલવાની વ્યૂહરચના છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે બાંગ્લાદેશ ઇન્વેસ્ટમેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (BIDA)ના વડા, મોહમ્મદ આશિક ચૌધરીએ તાજેતરમાં તુર્કીની MKE હથિયાર ઉત્પાદન કંપનીની મુલાકાત લીધી હતી. આ ખાસ છે કારણ કે તેની સાથે સંરક્ષણ મંત્રાલય કે સેનાનો કોઈ અધિકારી નહોતા. આવું સામાન્ય રીતે થતું નથી. સૂત્રોનું કહેવું છે કે આ એક સિવિલિયન કવર પાછળ છુપાયેલ લશ્કરી કરાર હોઈ શકે છે. એટલું જ નહીં, જમાત સાથે સંકળાયેલા કેટલાક લોકો અરાકાન આર્મી (મ્યાંમારની આતંકવાદી સેના)ને હાથિયાર સપ્લાય કરવાના પ્રયાસમાં પણ સામેલ રહ્યા છે. જો આ સાચું હોય, તો આ માર બાંગ્લાદેશની વાત નથી, પરંતુ ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો માટે એક ખુલ્લુ જોખમ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp