IND Vs ENG 2nd Test: જો ભારતીય ટીમે બીજી ટેસ્ટ જીતવી હોય તો આ 3 કામ કરવા પડશે, જાણો શું છે જીતન

IND Vs ENG 2nd Test: જો ભારતીય ટીમે બીજી ટેસ્ટ જીતવી હોય તો આ 3 કામ કરવા પડશે, જાણો શું છે જીતનો ફોર્મ્યૂલા

06/26/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

IND Vs ENG 2nd Test: જો ભારતીય ટીમે બીજી ટેસ્ટ જીતવી હોય તો આ 3 કામ કરવા પડશે, જાણો શું છે જીતન

IND Vs ENG Test Series: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત 20 જૂનથી થઈ હતી. લીડ્સ ટેસ્ટમાં લીડ લેવા છતા, ભારતીય ટીમ 5 વિકેટથી મેચ હારી ગઈ હતી, જેના પરિણામે ભારતીય ટીમ 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાં 0-1થી પાછળ છે. હવે બીજી ટેસ્ટ 2 જુલાઈથી બર્મિંઘમમાં રમાશે. પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમની ઘણી ખામીઓ છતી થઈ. એવામાં આપણે 3 બાબતો પર એક નજર નાખીએ, જેને ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચમાં જરૂર કરવી જોઈએ.


1. નીચલા ક્રમના બેટ્સમેનોનો સહયોગ જરૂરી

1. નીચલા ક્રમના બેટ્સમેનોનો સહયોગ જરૂરી

લીડ્સ ટેસ્ટમાં ભારતીય ટીમની હારનું એક મુખ્ય કારણ નીચલા ક્રમના બેટ્સમેનોનું ફ્લોપ રહેવું હતું. પ્રથમ ઇનિંગમાં ભારતની છેલ્લી 7 વિકેટો માત્ર 41 રનની અંદર પડી ગઈ, જ્યારે બીજી ઇનિંગમાં ભારતીય ટીમે છેલ્લી 6 વિકેટો માત્ર 31 રનના અંતરે ગુમાવી દીધી. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં સરળતાથી 550નો સ્કોર બનાવી શકી હોત, પરંતુ નીચલા ક્રમના બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે, આવું થઈ શક્યું નહીં. તેનાથી ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં મોટી લીડ મેળવી શકતી હતી. જ્યારે બીજી ઇનિંગનો વારો આવ્યો ત્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 450+ રનનો લક્ષ્યાંક રાખવા તરફ આગળ વધી રહી હતી, પરંતુ નીચલા ક્રમની નિષ્ફળતાને કારણે, ટારગેટ માત્ર 371 રનનો જ બની શક્યો.


2. બૂમરાહ સિવાય અન્ય બોલરોએ જવાબદારી ઉઠાવવી પડશે

2. બૂમરાહ સિવાય અન્ય બોલરોએ જવાબદારી ઉઠાવવી પડશે

જસપ્રીત બૂમરાહે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી, આ ઉપરાંત તેના બોલ પર ઘણા કેચ પણ છૂટી ગયા હતા. તે બીજી ઇનિંગમાં કોઈ વિકેટ ન લઈ શક્યો, પરંતુ અન્ય બોલરો ખૂબ મોડેથી જાગ્યા અને ત્યાં સુધીમાં મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ મેચમાં 5 વિકેટ લીધી હતી, પરંતુ તેની ઈકોનોમી 6થી વધુ રહી, જે ભારતીય ટીમને મોંઘી પડી. બીજી ટેસ્ટ મેચમાં, પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ આકાશદીપને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવો એ ખરાબ વિકલ્પ નહીં હોય.


3. કુલદીપ યાદવની પ્લેઇંગ ઇલેવનમાં એન્ટ્રી

3. કુલદીપ યાદવની પ્લેઇંગ ઇલેવનમાં એન્ટ્રી

પહેલી ટેસ્ટ મેચમાં હાર બાદ સુનિલ ગાવસ્કરે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બીજી ટેસ્ટ મેચમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં લાવવો જોઈએ. બર્મિંઘમની પીચ પર કાંડાનો સ્પિનર્સ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. કુલદીપને ઇંગ્લેન્ડમાં રમવાનો વધુ અનુભવ નથી, પરંતુ ત્રીજા દિવસ બાદ બર્મિંઘમની પીચ સ્પિનર્સ માટે મદદરૂપ થઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top