IND Vs ENG 3rd Test: શું લોર્ડ્સમાં ભારતને જીતતા રોકી શકશે ઈંગ્લેન્ડ? અત્યાર સુધી અતકીયવખત ડિફેન્ડ થયો છે 200થી ઓછાની ટારગેટ
India Vs England Test Series: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી લોર્ડ્સ ટેસ્ટ મેચમાં રોમાંચ પોતાની ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્રીજી ટેસ્ટ મેચનો ચોથો દિવસ ઉત્સાહ અને ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો. ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે શાનદાર પ્રદર્શન કરીને 4 મહત્ત્વપૂર્ણ વિકેટો લીધી અને ભારતને મેચમાં મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. ઇંગ્લેન્ડનો બીજો દાવ સસ્તામાં સમેટીને જીત માટે ભારતે વિજય માટે 193 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો, પરંતુ તેના જવાબમાં, ભારતીય બેટ્સમેનોની શરૂઆત ખૂબ જ નબળી રહી.
193 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી. બીજી જ ઓવરમાં ઓપનર યશસ્વી જા યસ્વાલ ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યા. ત્યારબાદ કરુણ નાયરે 14 રન બનાવ્યા, પરંતુ તે પણ લાંબી ઇનિંગ રમી ન શક્યો. કેપ્ટન શુભમન ગિલ પાસેથી ખૂબ અપેક્ષાઓ હતી, પરંતુ તે પણ માત્ર 6 રન બનાવીને બ્રાઇડન કાર્સનો શિકાર બન્યો. નાઇટ વોચમેન તરીકે મોકલવામાં આવેલ આકાશ દીપ લાંબો સમય ટકી ન શક્યો અને બેન સ્ટોક્સે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.
દિવસની રમતના અંત સુધીમાં, ભારતે 4 વિકેટ ગુમાવીને 58 રન બનાવી લીધા હતા. ભારતને જીતવા માટે હજુ પણ 135 રનની જરૂર છે, જ્યારે ઇંગ્લેન્ડને શ્રેણીમાં વાપસી કરવા માટે 6 વિકેટ લેવાની રહેશે. ઇંગ્લેન્ડની ટીમ ઐતિહાસિક મેદાન પર ભારતને ઓછા સ્કોર સુધી મર્યાદિત રાખવા અને મેચ જીતવાનો પ્રયાસ કરશે. પરંતુ સવાલ એ છે કે, શું લોર્ડ્સ જેવી પીચ પર 200 થી ઓછા રનના લક્ષ્યનો બચાવ કરવો શક્ય છે? ટેસ્ટ ક્રિકેટના લાંબા ઇતિહાસમાં, લોર્ડ્સ ગ્રાઉન્ડ પર એવા થોડા જ પ્રસંગો બન્યા છે જ્યારે કોઈ ટીમે 200 કે તેથી ઓછા રનના લક્ષ્યનો સફળતાપૂર્વક બચાવ કર્યો હોય. ચાલો જાણીએ કે અત્યાર સુધી આવું ક્યારે બન્યું છે.
અત્યાર સુધી, લોર્ડ્સ પર 200 થી ઓછા રનના લક્ષ્યનો બચાવ માત્ર 3 વખત થયો છે અને ત્રણેય વખત યજમાન ઇંગ્લેન્ડે આ સિદ્ધિ મેળવી છે. વર્ષ 1888માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં આવું પહેલીવાર બન્યું હતું. ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે 124 રનનો બચાવ કર્યો હતો. ત્યારબાદ, 1955માં, ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા સામે 183 રનના લક્ષ્યનો બચાવ કર્યો હતો. છેલ્લે વર્ષ 2019માં અહીં 200 રનથી ઓછા રનના લક્ષ્યનો બચાવ થયો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડે આયર્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું ઇંગ્લેન્ડ ફરી એકવાર લોર્ડ્સમાં 200 રનથી ઓછાના લક્ષ્યનો બચાવ કરી શકશે કે પછી ભારતીય ટીમ આ મેચ જીતીને ઇતિહાસ રચશે.
લોર્ડ્સની પીચ પર સમય જતા બેટિંગ કરવી મુશ્કેલ બની જાય છે. બોલરોને અહીં બાઉન્સ અને સ્વિંગ બંનેનો લાભ મળે છે. એવામાં આ મેચ બંને ટીમો માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. જો ભારત જીતે છે, તો તે લોર્ડ્સમાં બીજી ઐતિહાસિક જીત નોંધાવશે, જ્યારે ઇંગ્લેન્ડ પાસે તેના હોમ ગ્રાઉન્ડ પર 200 રનથી ઓછાના લક્ષ્યનો બચાવ કરવાનો ચોથી તક હશે. ભારતે લોર્ડ્સમાં અત્યાર સુધી 19 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેણે 3 જીતી છે, 12 હારી છે અને 4 મેચ ડ્રો રહી છે. હવે બધાની નજર એ વાત પર ટકી છે કે શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ આ ઐતિહાસિક મેદાન પર બીજી યાદગાર જીત હાંસલ કરી શકશે કે નહીં.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp