પાછું ટળ્યું ભારતના શુભાંશુ શુક્લાનું અંતરિક્ષ મિશન! સામે આવ્યું આ મોટું કારણ

પાછું ટળ્યું ભારતના શુભાંશુ શુક્લાનું અંતરિક્ષ મિશન! સામે આવ્યું આ મોટું કારણ

06/11/2025 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

પાછું ટળ્યું ભારતના શુભાંશુ શુક્લાનું અંતરિક્ષ મિશન! સામે આવ્યું આ મોટું કારણ

Axiom 4 Mission Launch Postponed: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય 3 અવકાશયાત્રીઓની અંતરિક્ષ સ્ટેશન સુધીની ઐતિહાસિક યાત્રા Axiom-4 ફરી એક વખત ટળી ગઈ છે. આ મિશન હેઠળ, તેમને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) મોકલવાના હતા. સ્પેસએક્સ કંપનીએ તેની જાણકારી આપી છે.


કંપનીએ ટ્વીટ કરીને આપી આ જાણકારી

કંપનીએ ટ્વીટ કરીને આપી આ જાણકારી

સ્પેસએક્સ કંપનીએ કહ્યું કે, રોકેટના એક ભાગમાં લિક્વિડ ઓક્સિજન (LOx) લીકેજ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું છે. રોકેટના નિરીક્ષણ દરમિયાન આ લીકેજ સામે આવ્યું હતું. હવે ટેક્નિકલ ટીમ આ સમસ્યાને ઠીક કરી રહી છે. જ્યાં સુધી સમારકામ પૂર્ણ ન થાય અને લોન્ચિંગ માટે મંજૂરી ન મળે ત્યાં સુધી કોઈ નવી તારીખ આપવામાં નહીં આવે.

આ સિવાય સાથે, હવામાન પણ ચિંતાનું કારણ બની શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 અને 12 જૂને વરસાદ અને ભારે પવનને કારણે લોન્ચિંગમાં અવરોધ આવી શકે છે.


શુભાંશુ ISS પર જનારા પ્રથમ ભારતીય હશે

શુભાંશુ ISS પર જનારા પ્રથમ ભારતીય હશે

શુભાંશુ શુક્લા આ મિશનના પાયલટ છે. તેઓ ISS પર જનારા પ્રથમ ભારતીય અને રાકેશ શર્મા બાદ અવકાશમાં જનારા બીજા ભારતીય હશે. તેમની સાથે અમેરિકા, પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રી પણ આ મિશનમાં સામેલ છે. આ મિશન લગભગ 2-3 અઠવાડિયા સુધી ચાલશે અને સ્પેસ સ્ટેશન પર વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવશે. હવે બધાની નજર SpaceXની સમારકામ પ્રક્રિયા અને હવામાન પરિસ્થિતિઓ પર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top