Israel-Iran Conflict: ઈરાનનું 400KG યુરેનિયમ ગાયબ! હુમલો કરીને પણ અમેરિકાને 10 પરમાણુ બોમ્બનો ડર કેમ સતાવી રહ્યો છે?
Irans Missing 400kg Of Uranium: અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે ABC ન્યૂઝને જણાવ્યું હતું કે ઈરાનના પરમાણુ સ્થળો પર 'બંકર બસ્ટર' બોમ્બ ફેંકાયા બાદથી 400 કિલો યુરેનિયમ ભંડારનો હિસાબ મળી રહ્યો નથી. અમેરિકાને ખબર નથી કે 10 પરમાણુ હથિયાર બનાવવા માટે પૂરતું આ યુરેનિયમ ક્યાં ગયું. આ ગુમ થયેલું યુરેનિયમ 60 ટકા સુધી શુદ્ધ છે. પરમાણુ હથિયાર તરીકે ઉપયોગ કરવા માટે, તેને લગભગ 90 ટકા સુધી શુદ્ધ કરવાની જરૂરિયાત હશે.
નિષ્ણાતોનું માનવું છે કે આ 400 કિલો યુરેનિયમનો ઈરાન એક શક્તિશાળી દાવના રૂપમાં એ સમયે ઉપયોગ કરી શકે છે, જ્યારે તે નવા પરમાણુ કરાર પર અમેરિકા સાથે વાતચીત ફરી શરૂ કરશે. એવા અહેવાલો છે કે ઈરાને હુમલાના થોડા દિવસો અગાઉ જ યુરેનિયમ ભંડાર તેમજ કેટલાક સાધનો ગુપ્ત સ્થળે ટ્રાન્સફર કરી દીધા હશે. આ દાવો ઇઝરાયલી અધિકારીઓ દ્વારા ધ ન્યૂયોર્ક ટાઇમ્સ સાથે વાત કરતા કરવામાં આવ્યો છે.
અમેરિકાના હુમલા અગાઉ સેટેલાઇટ ઈમેજમાં ફોર્ડો પરમાણુ પ્લાન્ટની બહાર 16 ટ્રકની લાઇન દેખાઈ રહી હતી. આ પરમાણુ પ્લાન્ટ પર્વતની અંદર બનેલો છે અને મોટાભાગના મિસાઇલ હુમલાઓ માટે અભેદ્ય માનવામાં આવે છે. ત્યારબાદ, ઇઝરાયલે અમેરિકાને તેના B-2 ફાઇટર જેટથી GBU-37 બોમ્બ, જેને બંકર-બસ્ટિંગ બોમ્બ કહેવાય છે, તેને છોડવા કહ્યું અને અમેરિકાએ રવિવારે એવું જ કર્યું.
અમેરિકાએ ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પરમાણુ ઠેકાણાઓ પર આ બોમ્બ ફેંક્યા. ખાસ વાત એ હતી કે હુમલા બાદની તસવીરોમાં ત્રણેય પ્લાન્ટને ખૂબ નુકસાન થયું હતું, પરંતુ ફોર્ડો પ્લાન્ટના બગારમાંથી ટ્રક ગાયબ હતા.
તે ટ્રકોમાં શું લઈ જવામાં આવ્યું હતું અને ક્યાં લઈ જવામાં આવ્યું હતું તે સ્પષ્ટ નથી. આમ અમેરિકા અને ઇઝરાયલ દ્રઢપણે માને છે કે ટ્રકોની મદદથી યુરેનિયમ ભંડાર અને સાધનોને ઈરાનની પ્રાચીન રાજધાની ઇસ્ફહાન નજીક અન્ય ભૂગર્ભ સંગ્રહિત સ્થળે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.
ન્યૂક્લિયર વોચડોગ કહેવાતી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના વડા રાફેલ ગ્રોસીના જણાવ્યા અનુસાર, ઇઝરાયલના ઈરાન પરના પ્રથમ હુમલાના એક અઠવાડિયા અગાઉ તેનું છેલ્લું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે ગ્રોસીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે તે આવશ્યક છે કે તેમની એજન્સી વહેલી તકે નિરીક્ષણ ફરીથી શરૂ કરે. તેમણે વિશ્વને ચેતવણી પણ આપી હતી કે સતત લશ્કરી વૃદ્ધિથી આ ‘આવશ્યક કાર્યમાં વિલંબિત થાય છે અને ઈરાનને પરમાણુ હથિયાર પ્રાપ્ત કરતું અટકાવવા માટે રાજદ્વારી ઉકેલની શક્યતાઓ ઘટી જાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp