CBSE 10th Board Exams: CBSEનો મોટો નિર્ણય, આગામી વર્ષે 2 વખત થશે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા, પહેલી વાર ફેબ્રુઆરીમાં તો બીજી...
CBSE approves norms to conduct Class 10 board exams twice a year from 2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વખત લેવાના નિયમોને મંજૂરી આપી દીધી છે. વર્ષ 2026થી CBSE તરફથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં 2 વખત લેવામાં આવશે. CBSE એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ‘CBSEએ 2 વખત પરીક્ષાઓ લેવાના મોડેલને મંજૂરી આપી દીધી છે. વર્ષમાં પહેલી પરીક્ષા ફેબ્રુઆરીમાં અને બીજી પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે.’
ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીએ પહેલી પરીક્ષામાં બેસવું ફરજિયાત રહેશે અને બીજી વખત બોર્ડની પરીક્ષામાં ઇચ્છાથી ભાગ લઈ શકશે. બીજી વખત વિદ્યાર્થીઓ પોતાના ગુણ સુધારવા માટે હિસ્સો લઈ શકશે. નવા નિયમો અનુસાર, ઇન્ટરનલ અસેસમેન્ટ વર્ષમાં માત્ર એક જ વખત કરવામાં આવશે.
CBSE તરફથી ફેબ્રુઆરીમાં જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, તેમાં કહેવામા આવ્યું હતું કે CBSE ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પહેલા ચરણની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ વચ્ચે આયોજિત થઈ શકે છે અને બીજા ચરણની પરીક્ષાઓ 5-20 મે દરમિયાન આયોજિત થશે.
પહેલા અને બીજા ચરણની પરીક્ષાઓમાં સિલેબસ પણ એક જ રહેશે અને પૂર્ણ પાઠ્યક્રમ સામેલ હશે. તેની સાથે જ જે પણ વિદ્યાર્થી બંને પરીક્ષાઓમાં હિસ્સો લેશે, તેમના પરીક્ષા કેન્દ્ર એક જ હશે.
CBSE approves norms to conduct Class-10 board exams twice a year from 2026: Examination Controller Sanyam Bhardwaj.Mandatory for Class-10 students to appear in first phase of board exams, second phase optional: CBSE.Twice-a-year CBSE Class-10 board exams: First phase results… pic.twitter.com/zwmxhoLMef — Press Trust of India (@PTI_News) June 25, 2025
CBSE approves norms to conduct Class-10 board exams twice a year from 2026: Examination Controller Sanyam Bhardwaj.Mandatory for Class-10 students to appear in first phase of board exams, second phase optional: CBSE.Twice-a-year CBSE Class-10 board exams: First phase results… pic.twitter.com/zwmxhoLMef
જો પરીક્ષા ફીસની વાત કરીએ તો રજીસ્ટ્રેશનના સમયે જ બંને પરીક્ષાઓની ફીસ જમા કરવી પડશે.
CBSE બીજી પરીક્ષાના માધ્યમથી એ વિદ્યાર્થીઓને અવસર આપવા માગે છે, જે એક વખત પરીક્ષા બાદ પોતાના પરિણામો સુધારવા માગે છે.
જો કોઈ વિદ્યાર્થી વર્ષની બંને પરીક્ષાઓમાં હિસ્સો લે છે તો તેમના એ માર્ક્સ ફાઇનલ ગણાશે, જે વધારે હશે. જો કોઈના પહેલી પરીક્ષામાં વધુ માર્ક્સ આવે છે અને બીજી પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે છે તો તના પહેલા ચરણની પરીક્ષાના માર્ક્સને ફાઇનલ માનવમાં આવશે.
વિદ્યાર્થીઓને 3 વિષયમાં પોતાના પ્રદર્શનને સારું કરવાની મંજૂરી આપવામાં આવશે, જો કોઈ વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં 3 કે 3 થી વધુ વિષયોમાં સામેલ થયો નથી તો તેને બીજી પરીક્ષામાં બેસવાનો ચાન્સ નહીં મળે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp