IND Vs ENG First Test: ‘આ 3 કારણે ભારતની જીત લગભગ નક્કી મનાઈ રહી છે, ઇંગ્લેન્ડને જીત માટે 350 રન અને ગિલને 10 વિકેટની જરૂર
IND Vs ENG Test Series: પહેલી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે આજે જ્યારે ઈંગ્લેન્ડ બેટિંગ કરવા ઉતરશે, તો તેની સામે 371 રનનો વિશાળ લક્ષ્યાંક હશે. જેના જવાબમાં તેણે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવી લીધા છે. બીજી તરફ, ભારતીય ટીમ વિશ્વાસ રાખી શકે છે કે 90 ઓવરમાં તેણે માત્ર 10 એવા બૉલ ફેંકવાના છે જેના પર તેને વિકેટ મળી જાય. આ ‘બ્લોકબસ્ટર’ મેચમાં ત્રણેય પરિણામો શક્ય છે, પરંતુ ભારતનું પલડુ ભારે. કેવી રીતે? ચાલો આગળ સમજીએ.
લીડ્સના હેડિંગ્લે મેદાન પર છેલ્લા 77 વર્ષમાં કોઈ પણ ટીમે આટલો મોટો લક્ષ્યાંક હાંસલ કર્યો નથી. વર્ષ 1948માં ડોન બ્રેડમેનના નેતૃત્વવાળી ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે 404/3 રન બનાવીને મેચ પોતાના નામે કરી હતી. એટલે કે, 126 વર્ષમાં માત્ર એક જ વખત આટલો મોટો ટારગેટ ચેઝ થઈ શક્યો છે.
ક્રિકેટની રેકોર્ડ બુકના પાનાં ફેરવીએ તો ખબર પડશે કે આ મેદાન પર ઇંગ્લેન્ડનો સૌથી સફળ રન ચેઝ 362 રન છે. એવામાં, જો બેજબોલ બ્રાન્ડ ઓફક્રિકેટ રમી રહેલી ઇંગ્લેન્ડની ટીમ જો આ લક્ષ્ય હાંસલ કરે છે, તો તે એક નવો રેકોર્ડ હશે. બેન સ્ટોક્સે પોતાની કેપ્ટનશીપ હેઠળ જીતનો એક નવો અધ્યાય લખવો પડશે.
વર્તમાન ક્રિકેટને જો જસપ્રીત બૂમરાહનો દૌર કહેવામાં આવે તો તે અતિશયોક્તિ નહીં હોય. પોતાની અપરંપરાગત એક્શનથી, બૂમરાહ બોલિંગ નહીં, પરંતુ જાદુ કરે છે. એવો જાદુ જેનો જવાબ વર્તમાનમાં કોઈપણ બેટ્સમેન પાસે નથી. એક જ ટપ્પાથી બૉલને આઉટસ્વિંગ અને ઇનસ્વિંગ કરવાની કળા. ઑન ડિમાન્ડ સચોટ સચોટ પંજા તોડ યોર્કર. 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બાઉન્સર. બૂમરાહ ભારત માટે વરદાન છે. વિરાટ કોહલીથી લઈને રોહિત શર્મા સુધી બધા માટે એક અચૂક હથિયાર તરીકે ઉપયોગમાં લેવાતો જસપ્રીત બૂમરાહ હવે શુભમન ગિલની કેપ્ટનશીપનું બ્રહ્માસ્ત્ર સાબિત થવા જઈ રહ્યો છે. પહેલી ઇનિંગમાં 5 વિકેટ લેનાર આ જમણા હાથનો ફાસ્ટ બોલર બીજી ઇનિંગમાં પણ મેચવિનિંગ સ્પેલ ફેંકવા માટે ઉત્સુક છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp