ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. જાખોરા પોલીસ સ્ટેશન વિસ્તારના શંકરવાર કાલા ગામમાં, 4 વહુઓની સાસુ તેના 30 વર્ષીય પ્રેમી સાથે ઘરેથી ફરાર થઈ ગઈ. એવો પણ આરોપ છે કે જતા-જતા તે વહુઓના કિંમતી ઘરેણાં પણ પોતાની સાથે લઈ ગઈ.
જ્યારે પીડિત વૃદ્ધ પતિ હરિરામ પાલને જ્યારે તેની પત્ની ભગવતીની આ હરકતની ખબર પડી તો તેમના હોશ ઊડી ગયા. પહેલા તેણે સ્થાનિક જાખોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પરંતુ જ્યારે તેને ત્યાંથી કોઈ મદદ ન મળી, તો તેણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને ન્યાય માટે અપીલ કરી. હરિરામ પાલનો આરોપ છે કે તેની પત્નીને તે જ ગામમાં રહેનાર 30 વર્ષીય યુવક કૃષ્ણપાલ ઝાએ લલચાવીને પોતાની સાથે ભાગાવી લઈ ગયો. હરિરામ પાલનું કહેવું છે કે ભગવતી લગભગ 2 મહિના અગાઉ અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પહેલા તો તેમને લાગ્યું કે તે કોઈ સંબંધીના ઘરે ગઈ હશે, પરંતુ જ્યારે ઘણા દિવસો સુધી તે ન મળી નને ઘરમાં રાખેલા વહુઓના ઘરેણા પણ ગાયબ થઈ ગયા, ત્યારે તેમને વાસ્તવિક મામલો સમજાયો.