શું તમારે પણ જોઈએ છે વાળ ખરવાની સમસ્યાનું સમાધાન? તો અપનાવો આ ઘરેલું ઉપાય, મળશે સો ટકા ફાયદો!
આજકાલ નાના-મોટા, સ્ત્રી-પુરુષ દરેક વાળ ખરવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જો કે તેની પાછળ ઘણાં બધા પરિબળો જવાબદાર છે. ઘાટ્ટા કાળા, લાંબા અને આકર્ષક વાળની ઈચ્છા સૌને હોય છે, પણ વાળની વૃદ્ધિ અને મજબૂતાઈ અનેક વસ્તુ પર આધારિત છે. તેમાં વ્યક્તિની જિનેટિક હિસ્ટ્રી, ખોરાક, પોષણની કમી, સ્ટ્રેસ અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલ જેવા પરિબળો સામેલ છે.
વાળને માત્ર બાહ્ય પરિબળો જ અસર કરે છે એવું નથી. વાળને જડમૂળથી મજબૂત બનાવા માટે આપણે સૌથી પહેલા આપણી અનહેલ્ધી લાઇફસ્ટાઇલ બદલવી પડશે. તેના માટે પ્રોપર ડાયટ ફોલો કરવાની જરૂર પડશે. ચાલો જાણીએ વાળ માટે જરૂરી એવી હેલ્ધી ડાયટ વિશે.
વાળ માટે વિવિધ પ્રકારના બીજ ડાયટમાં ઉમેરવા જોઈએ. ખાસ કરીને કોળુંના બીજનું સેવન અને તેના તેલથી મસાજ કરવાથી વાળના ગ્રોથમાં મદદ મળે છે. કારણ કે તેમાં પ્રોટીન તથા અનેક જરૂરી ખનિજો રહેલા છે. જો તમે યોગ્ય ડાયટ સાથે હેલ્ધી લાઇફસ્ટાઇલ અને થોડી કાળજી રાખશો તો તમારા સ્વાસ્થ્યની સાથે સાથે વાળ પણ મજબૂત, લાંબા અને ઘાટ્ટા બની શકે છે.
વાળને તંદુરસ્ત રાખવા માટે આયર્ન પણ એટલું જ જરૂરી છે. ખોરાકમાં આયર્નના કેટલાક સ્ત્રોત જેવા કે દાળ, કોળુંના બીજ, પાલક, સફેદ ચણા, લીન બીફ વગેરેનો સમાવેશ કરી શકાય છે. જે લોકો માંસ નથી ખાતા, તેમને માંસાહારી લોકો કરતાં લગભગ 1.8 ગણું વધુ આયર્નની જરૂર પડે છે. કારણ કે શરીર, વનસ્પતિજન્ય ખોરાકમાંથી મળતું આયર્ન એટલું અસરકારક રીતે શોષી શકતું નથી.
શરીર, ત્વચા અને વાળ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. નવા વાળ ઉગવા માટે પણ પ્રોટીનની જરૂર પડે છે. જો શરીરમાં પ્રોટીનની કમી રહે તો વાળ ખરવા લાગે છે. એટલે તમારી ડાયટમાં શક્ય એટલું પ્રોટીન ઉમેરો. પ્રોટીન માટે તમે બીન્સ, ઈંડા, માછલી, ડ્રાય ફ્રૂટ્સ, લીન મીટ અને વિવિધ પ્રકારના બીજ ખાઈ શકો છો. વ્યક્તિએ રોજ કેટલું પ્રોટીન લેવુ તે તેના દૈનિક શારીરિક પરિશ્રમ અને શરીરમાં રહેલા મસલ્સના વજન પર આધારિત હોય છે.
માથામાં તેલથી મસાજ કરવાથી સ્કાલ્પમાં લોહીનો પ્રવાહ વધે છે, જેના કારણે વાળનો ગ્રોથ થાય છે. જાપાનમાં કરાયેલા એક અભ્યાસ મુજબ, જે પુરુષોએ દરરોજ 4 મિનિટ સુધી સ્કાલ્પ મસાજ માટેના ઉપકરણથી મસાજ કરી, તેઓના વાળ 6 મહિનામાં વધુ જાડા થઈ ગયા. આ સિવાય પોતાની આંગળીઓના ટેરવાં વડે માથાની ત્વચા પર હળવા હાથે ગોળાકાર ગતિથી મસાજ કરી શકાય છે. માથામાં મસાજ માટેના ઉપકરણો પણ બજારમાં અને ઓનલાઈન સરળતાથી મળી રહે છે.
(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp