OMG! કંપનીએ કર્મચારીના એકાઉન્ટમાં 330 ગણી સેલેરી નાખી દીધી, લાલચમાં આવીને શખ્સે કર્યો આવો ખેલ

OMG! કંપનીએ કર્મચારીના એકાઉન્ટમાં 330 ગણી સેલેરી નાખી દીધી, લાલચમાં આવીને શખ્સે કર્યો આવો ખેલ

10/08/2025 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

OMG! કંપનીએ કર્મચારીના એકાઉન્ટમાં 330 ગણી સેલેરી નાખી દીધી, લાલચમાં આવીને શખ્સે કર્યો આવો ખેલ

દરેક કર્મચારી એ દિવસની આતુરતાથી રાહ જુએ છે, જ્યારે તેનો પગાર ખાતામાં જમા થાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમને મળતી રકમ આપણને હાથમાં મળે છે તે ઘણીવાર આપની અપેક્ષા કરતાં ઓછી હોય છે. કારણ સ્પષ્ટ છે અમારા CTCમાં જો મોટી-મોટી રકમ જોવા મળે છે તેમાં કર, PF, વીમો અને અન્ય વિવિધ કપાતનો સમાવેશ થાય છે. પરિણામ એ આવે છે કે મહિનાની શરૂઆતમાં આપણે જેટલી ખુશીથી પગારની રાહ જોઇએ છીએ, તેટલી જ જલદી એ રકમ ખર્ચા ઊડી જાય છે. કલ્પના કરો જો એક દિવસ, ભૂલથી, તમારા ખાતામાં તમારા પગાર કરતા અનેક ગણી વધુ રકમ જમા થઈ જાય તો તમે શું કરશો? થોડીક સેકન્ડો માટે તમને લાગશે કે તે એક સપનું છે, પરંતુ આવું હકીકતમાં બન્યું છે અને તે પણ ચિલીના એક માણસ સાથે.


બેન્કિંગ ભૂલને કારણે બન્યું:

બેન્કિંગ ભૂલને કારણે બન્યું:

ચિલીના એક શખ્સના ખાતામાં આકસ્મિક રીતે તેના અસલી પગાર કરતા 330 ગણી રકમ ટ્રાન્સફર થઈ ગઇ હતી. આ કોઈ નાની ભૂલ નહોતી. અહેવાલો અનુસાર, આ ઘટના એટલી અજીબ હતી કે કંપની પોતે પણ સમજી શકતી નહોતી કે તે કેવી રીતે થયું. શરૂઆતમાં, કર્મચારીએ કંપનીને કહ્યું કે તેને ભૂલની જાણ થઈ છે અને તે પૈસા પરત કરશે. પરંતુ કહાની ત્યાં સમાપ્ત ન થઈ. તે થોડા દિવસો સુધી સંપર્કમાં રહ્યો, પરંતુ પછી અચાનક રાજીનામું આપી દીધું અને કંપની સાથેનો તમામ સંપર્ક તોડી નાખ્યો.

જ્યારે કંપનીને ખબર પડી કે કર્મચારીએ પૈસા પાછા તો ન જ આપ્યા, પરંતુ નોકરી પણ છોડી દીધી છે, ત્યારે તેણે તેની સામે ચોરીનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો. આ કેસ કોર્ટમાં પહોંચ્યો અને કાનૂની લડાઈ લગભગ ત્રણ વર્ષ સુધી ચાલુ રહી. કંપનીએ દલીલ કરી કે કર્મચારીએ જાણી જોઈને પૈસા પરત કર્યા નથી અને એટલે તે ચોરી સમાન છે. બીજી બાજુ, બચાવ પક્ષે દલીલ કરી કે તે બેંકિંગ ભૂલ હતી અને તેમના ક્લાયન્ટે કોઈ ગુનો કર્યો નથી.

લાંબી સુનાવણી બાદ સેન્ટિયાગો કોર્ટે ચુકાદો આપ્યો કે આ કેસ ચોરીનો નથી, પરંતુ ભંડોળનો અનધિકૃત સંગ્રહ છે. કોર્ટે જણાવ્યું હતું કે પૈસા મેળવતી વખતે વ્યક્તિએ કોઈ હિંસા, છેતરપિંડી અથવા ઇરાદાપૂર્વક ગેરકાયદેસરતા કરી ન હોવાથી તેને ગુના તરીકે વર્ગીકૃત ન કરી શકાય. આ નિર્ણયથી કંપનીને મોટો ઝટકો લાગ્યો, જ્યારે તે કર્મચારી માટે લોટરી જીતવા જેવું હતું. કોર્ટના આદેશ મુજબ, તે હવે પૈસા રાખી શકે છે અને તેને કોઈ ફોજદારી દંડનો સામનો કરવો નહીં પડે.


લોકોએ આવી પ્રતિક્રિયા આપી

લોકોએ આવી પ્રતિક્રિયા આપી

જોકે, કોર્ટના નિર્ણય બાદ પણ કંપની હાર માનવાના મૂડમાં નથી. તેણે કહ્યું છે કે તેઓ નિર્ણયની સમીક્ષા કરવા અને પૈસા પાછા મેળવવા માટે ઉચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરશે. આ ઘટના બાદ, સોશિયલ મીડિયા પર લોકોએ વિવિધ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી. કેટલાક લોકોએ કહ્યું કે જો તેમની સાથે આવું બન્યું હોત, તો તેઓ કદાચ તે માણસ જેવું જ કર્યું હોત, જ્યારે અન્ય લોકોએ તેને અનૈતિક ગણાવ્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top