હવે ચોક્કસ કર્ણાટકના રાજકારણમાં કંઈક નવા-જૂની થવાની, દિલ્હીથી પરત ફર્યા કોંગ્રેસના ધારાસભ્ય, હા

હવે ચોક્કસ કર્ણાટકના રાજકારણમાં કંઈક નવા-જૂની થવાની, દિલ્હીથી પરત ફર્યા કોંગ્રેસના ધારાસભ્ય, હાઇકમાન્ડ..

11/26/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

હવે ચોક્કસ કર્ણાટકના રાજકારણમાં કંઈક નવા-જૂની થવાની, દિલ્હીથી પરત ફર્યા કોંગ્રેસના ધારાસભ્ય, હા

કર્ણાટક કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ અંગે ચાલી રહેલ આંતરિક ખેંચતાણ એ સમયે વધુ તેજ થઈ ગઈ, જ્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો મંગળવારે દિલ્હીમાં પાર્ટીના ટોચના નેતાઓને મળ્યા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા માટેની હિમાયત કરી. જોકે, ધારાસભ્યોએ જણાવ્યું હતું કે આ બાબતે અંતિમ નિર્ણય હાઇકમાન્ડ લેશે.

રામનગરના ધારાસભ્ય ઇકબાલ હુસૈને કહ્યું કે, દરેક વ્યક્તિ હાઇકમાન્ડના નિર્ણયનું પાલન કરશે, પરંતુ શિવકુમારને મુખ્યમંત્રી બનવામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. ઇકબાલ હુસૈને કહ્યું કે, ‘હું હંમેશાં મારા નિવેદન પર અડગ છું... 200 ટકા, તેઓ (ડીકે શિવકુમાર) ટૂંક સમયમાં મુખ્યમંત્રી બનશે. હાઇકમાન્ડ નિર્ણય લેશે. જેમ અમારા નેતા (શિવકુમાર)એ કહ્યું હતું, સત્તાનું હસ્તાંતરણ પાર્ટીના 5-6 નેતાઓ વચ્ચેનો ગુપ્ત કરાર છે, અને ફક્ત તે 5-6 જ નિર્ણય લેશે.’


કેબિનેટ વિસ્તરણમાં નવા ચહેરાઓની માંગ

કેબિનેટ વિસ્તરણમાં નવા ચહેરાઓની માંગ

મદ્દુરના ધારાસભ્ય કે.એમ. ઉદયે જણાવ્યું હતું કે ધારાસભ્યોએ આગામી કેબિનેટ ફેરબદલ દરમિયાન નવા ચહેરાઓ અને યુવાનોને તક આપવા માટે હાઇકમાન્ડને પણ અનુરોધ કર્યો છે અને તેમને સંકેત મળ્યા છે કે આ અંગે વિચારણા કરવામાં આવશે. શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની માંગણી અંગે તેમણે કહ્યું કે પાર્ટી નેતૃત્વ નિર્ણય લેશે અને બધા તેનું પાલન કરશે.

કેટલાક ધારાસભ્યોએ હાઇકમાન્ડને મુખ્યમંત્રી પદ અંગેની મૂંઝવણનો વહેલી તકે અંત લાવવા વિનંતી કરી. માગડીના ધારાસભ્ય એચ.સી. બાલકૃષ્ણએ કહ્યું કે આગામી મુખ્યમંત્રી અંગેનો નિર્ણય હાઇકમાન્ડના હાથમાં છે, પરંતુ તેમણે આ અનિશ્ચિતતાનો અંત લાવવા અપીલ કરી.

એચ.સી. બાલકૃષ્ણએ કહ્યું કે, ‘અમે મૂંઝવણ દૂર કરવા માટે હાઇકમાન્ડ સાથે ચર્ચા કરવા ગયા હતા, કારણ કે અંતિમ નિર્ણયની જરૂર છે. મુખ્યમંત્રી કોણ બને છે તે મહત્ત્વનું નથી; વર્તમાન પરિસ્થિતિ કોંગ્રેસ પાર્ટી માટે હાનિકારક છે. હાઇકમાન્ડે હસ્તક્ષેપ કરીને આનો અંત લાવવો જોઈએ.’


અડધો કાર્યકાળ પૂરો થયા બાદ અટકળો વધી

અડધો કાર્યકાળ પૂરો થયા બાદ અટકળો વધી

કર્ણાટકમાં શાસક કોંગ્રેસ સરકારે 20 નવેમ્બરના રોજ તેના 5 વર્ષના કાર્યકાળનો અડધો ભાગ પૂર્ણ કર્યો, ત્યારથી આંતરિક સત્તા સંઘર્ષ વધુ તેજ થઈ ગયો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર વચ્ચે સત્તા-વહેંચણી કરાર અંગે અટકળો લગાવવામાં આવી રહી છે. શિવકુમાર 2023માં નેતૃત્વ પરિવર્તનની શક્યતા ઉભી કરે છે.

પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવકુમારને ટેકો આપતા 6 ધારાસભ્યોનું એક જૂથ રવિવારે રાત્રે હાઇકમાન્ડને મળવા માટે દિલ્હી ગયું હતું. ગયા અઠવાડિયે લગભગ 10 ધારાસભ્યો AICC અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ મળ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top