એક વ્યક્તિના કાળા જાદુને કારણે આ જગ્યા બની શ્રાપિત

કહેવાય છે કે આ કિલ્લામાં સૂર્યાસ્ત પછી કોઈ જઈ શકતું નથી.જાણો ભારતના આ મોસ્ટ હોન્ટેડ કિલ્લા વિશે..

01/27/2022 Magazine

SidhiKhabar

SidhiKhabar

એક વ્યક્તિના કાળા જાદુને કારણે આ જગ્યા બની શ્રાપિત

રાજસ્થાનના જયપુર જિલ્લાથી લગભગ 80 કિલોમીટર દૂર અલવર જિલ્લામાં સ્થિત ભાણગઢ કિલ્લો દર વર્ષે હજારો પ્રવાસીઓને આકર્ષે છે. તે ભારતના સૌથી ભૂતિયા સ્થળોમાંનું એક સ્થળ છે. આ નિર્જન ભૂમિ વિશે ઘણી દંતકથાઓ અને વાર્તાઓ છે, જે તમને મુલાકાત માટે ચોક્કસપણે ઉત્સાહિત કરશે. કિલ્લામાં ઘણા મંદિરો છે જેમાં ભગવાન સોમેશ્વર, ગોપીનાથ, મંગળા દેવી અને કેશવ રાયના મંદિરો મુખ્ય છે. આ મંદિરોની દિવાલો અને સ્તંભો પર કરાયેલી કોતરણી પરથી અંદાજ લગાવી શકાય છે કે આ આખો કિલ્લો કેટલો સુંદર અને ભવ્ય હશે. ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા કરાયેલા ખોદકામથી મજબૂત પુરાવા મળ્યા છે કે આ કિલ્લો એક પ્રાચીન ઐતિહાસિક સ્થળ છે.  હાલમાં, આ કિલ્લાની દેખરેખ ભારત સરકાર કરે છે.

ભાણગઢની વાર્તા રહસ્યમય અને ખૂબ જ રસપ્રદ છે. ભાણગઢ કિલ્લો 1573 માં આમેરના રાજા ભગવંત દાસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. 16મી સદીમાં, રાજા સવાઈ માન સિંહના નાના ભાઈ રાજા માધો સિંહે આ કિલ્લાને તેમનું નિવાસસ્થાન બનાવ્યું હતું.


એક શ્રાપને કારણે 'ભૂતોનું ભાણગઢ' બન્યું

એક શ્રાપને કારણે 'ભૂતોનું ભાણગઢ' બન્યું

કહેવાય છે કે ભાણગઢની રાજકુમારી રત્નાવતી ખૂબ જ સુંદર હતી. તે સમયે રાજકુમારીની સુંદરતાની ચર્ચા આખા રાજ્યમાં હતી. ઘણા રાજ્યોમાંથી રત્નાવતી માટે લગ્નના પ્રસ્તાવ આવી રહ્યા હતા. તે દરમિયાન તે એકવાર તેના મિત્રો સાથે કિલ્લામાંથી બહાર રાજ્યના બજારમાં આવી હતી. તે બજારમાં એક પરફ્યુમની દુકાને પહોંચી અને શીશીમાંથી હાથમાં પરફ્યુમ લઈને તેની સુગંધ સૂંઘી રહી હતી. તે જ સમયે સિંધુ સેવાદા નામની વ્યક્તિ તે દુકાનથી થોડે દૂર ઊભી રહીને રાજકુમારીને જોઈ રહી હતી. સિંધુ સેવાદાએ જ રાજ્યનો રહેવાસી હતો જે તાંત્રિક શક્તિ અને કાળા જાદુમાં માહેર હતો. તાંત્રિક રાજકુમારીના કથિત સ્વરૂપથી મોહિત થઈ ગયો અને રાજકુમારીના પ્રેમમાં પડ્યો અને રાજકુમારીને મેળવવાનું વિચાર્યું, પણ રત્નાવતીએ ક્યારેય તેની તરફ વળીને જોયું નહોતું.

તે પછીથી એ દુકાન પર ગયો અને જે અત્તરની શીશીમાંથી રાજકુમારી એ પરફ્યુમ સૂઘ્યું હતું એ જ અત્તરની શીશી લઈ તેના પર વશીકરણ મંત્રનો કાળો જાદુ કરીને રાજકુમારી રત્નાવતીને મોકલવામાં આવી. જ્યારે રાજકુમારીને સત્યની જાણ થઈ, ત્યારે તેણે પરફ્યુમની બોટલ પર પથ્થર ફેંક્યો. આનાથી શીશી તૂટી અને અત્તર ઢોળાઈ ગયું. કાળા જાદુના કારણે પથ્થર સિંધુ સેવાડાની પાછળ ગયો અને તેને કચડી નાખ્યો. સિંધુ સેવાદાનું અવસાન થયું પરંતુ મરતા પહેલા  તે તાંત્રિકે શ્રાપ આપ્યો કે આ કિલ્લામાં રહેતા તમામ લોકો જલ્દી મૃત્યુ પામશે અને ફરીથી જન્મ લેશે નહીં. તેનો આત્મા આ કિલ્લામાં જ ભટકતો રહેશે. 21મી સદીમાં પણ લોકોમાં ડર છે કે ભાણગઢમાં ભૂતોનો વસવાટ છે.


સૂર્યાસ્ત પછી પ્રવેશ પ્રતિબંધિત છે

સૂર્યાસ્ત પછી પ્રવેશ પ્રતિબંધિત છે

આ કિલ્લો ભારત સરકારની દેખરેખ હેઠળ આવે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમે અહીં આવતા પ્રવાસીઓને કડક સૂચના આપી છે કે સૂર્યાસ્ત પછી કોઈ પણ વ્યક્તિ કિલ્લાની આસપાસ કે આ વિસ્તારમાં ન રોકાય. સૂર્યાસ્ત પછી અહીં કોઈને પણ રોકાવાની સખત મનાઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top