ભારતના આ 3 રાજ્યોને મળશે સિંધુ નદીનું પાણી, 113 કિમી લાંબી બનશે નહેર; પાકિસ્તાનને ટીપે ટીપાં મા

ભારતના આ 3 રાજ્યોને મળશે સિંધુ નદીનું પાણી, 113 કિમી લાંબી બનશે નહેર; પાકિસ્તાનને ટીપે ટીપાં માટે વલખાં મારશે

06/17/2025 National

SidhiKhabar

SidhiKhabar

ભારતના આ 3 રાજ્યોને મળશે સિંધુ નદીનું પાણી, 113 કિમી લાંબી બનશે નહેર; પાકિસ્તાનને ટીપે ટીપાં મા

ભારતે પાકિસ્તાનને પહેલાથી જ ખૂબ મોટો ઝટકો આપ્યો છે. સિંધુ જળ સંધિ સ્થગિત થવાને કારણે પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. આ દરમિયાન, ભારત એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે એક મોટી યોજના પર કામ શરૂ કરી દીધું છે. આ અંતર્ગત, જમ્મુ અને કાશ્મીરના વધારાના પાણીને પંજાબ, હરિયાણા અને રાજસ્થાન લઈ જવા માટે 113 કિલોમીટર લાંબી નહેર બનાવવામાં આવશે. આ નહેરની મદદથી, પાકિસ્તાન તરફ વહેતું પાણી બંધ કરી દેવામાં આવશે. આ નવી નહેરના નિર્માણથી ભારતને સીધો ફાયદો થશે. તો, પાકિસ્તાનને પાણીના ટીપાં ટીપાં માટે તડપવું પડશે.


ભારતનું પાણી ભારતમાં વહેશે

ભારતનું પાણી ભારતમાં વહેશે

NDTVના અહેવાલ મુજબ, આ યોજના હેઠળ સિંધુ નદી પ્રણાલીની પશ્ચિમી નદીઓ (સિંધુ, ઝેલમ અને ચિનાબ)માં ભારતના હિસ્સાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાય છે. તો, રાવી, બિયાસ અને સતલુજ નદીઓના પાણીનો પણ ભરપૂર ઉપયોગ કરી શકાય છે. આ પરિયોજના પૂર્ણ થયા બાદ, બધા વધારાના પાણીના પ્રવાહને રોકી શકાશે, જે અત્યાર સુધી પાકિસ્તાન તરફ જઇ રહ્યું હતું.


ગૃહમંત્રી શાહે આ યોજના અંગે આપ્યા હતા સંકેત

ગૃહમંત્રી શાહે આ યોજના અંગે આપ્યા હતા સંકેત

ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આ યોજના અંગે સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે આગામી 3 વર્ષમાં સિંધુ નદીનું પાણી રાજસ્થાનના શ્રી ગંગાનગર સુધી પહોંચાડવામાં આવશે. શાહે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ યોજના બાદ, 'પાકિસ્તાનને ટીપાં ટીપાં માટે વલખાં મારવા પડશે', જ્યારે ભારતના ખેડૂતોને પુષ્કળ સિંચાઈની સુવિધાઓ મળશે.

સૂત્રોના સંદર્ભે કહેવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રોજેક્ટને યમુના સાથે જોડવાનો પણ પ્રસ્તાવ છે. જો આવું થાય છે, તો તેની લંબાઈ 200 કિલોમીટરથી વધુ હશે. ત્યારાબાદ, યમુના દ્વારા ગંગાસાગર સુધી પણ પાણી પહોંચાડી શકાય છે.


ભારતે સિંધુ જળ સંધિ રદ કરી

ભારતે સિંધુ જળ સંધિ રદ કરી

22 એપ્રિલના રોજ પહેલગામ હુમલા બાદ, ભારતે પાકિસ્તાન સામે ઘણી કડક કાર્યવાહી કરી હતી. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. ત્યારથી, પાકિસ્તાનની સ્થિતિ ખરાબ છે. તો, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા બાદ, વડાપ્રધાન મોદીએ વારંવાર પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે કે પાણી અને લોહી એક સાથે નહીં વહી શકે. આ ઉપરાંત, આતંકવાદ અને વાતચીત એકસાથે નહીં થઈ શકે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top