Shubhanshu Shukla Axiom-4 Launch:'મારા ખભે મારો તિરંગો..', સ્પેસક્રાફ્ટમાંથી શુભાંશુ શુક્લાનો

Shubhanshu Shukla Axiom-4 Launch:'મારા ખભે મારો તિરંગો..', સ્પેસક્રાફ્ટમાંથી શુભાંશુ શુક્લાનો પહેલો સંદેશ

06/25/2025 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

Shubhanshu Shukla Axiom-4 Launch:'મારા ખભે મારો તિરંગો..', સ્પેસક્રાફ્ટમાંથી શુભાંશુ  શુક્લાનો

Shubhanshu Shukla Axiom-4 Launch: ભારતના શુભાંશુ શુક્લા સાથે અન્ય 3 અવકાશયાત્રીઓને લઈને Axiom-4 મિશન, કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પ્લેક્સ 39Aથી ઉડાણ ભરી ચૂક્યું છે. અવકાશયાન બરાબર 12:01 વાગ્યે (ભારતીય સમય) ઉડાણ ભરી હતી. શુભાંશુ શુક્લાએ અવકાશયાનની અંદરથી પહેલો સંદેશ આપ્યો છે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


શુભાંશુ શુક્લાએ પહેલા સંદેશમાં શું લખ્યું?

શુભાંશુ શુક્લાએ પહેલા સંદેશમાં શું લખ્યું?

તેમણે કહ્યું કે, 'નમસ્તે, મારા પ્રિય દેશવાસીઓ, શું સવારી છે... 41 વર્ષ બાદ આપણે ફરી અવકાશમાં પહોંચી ગયા છીએ. અને અદ્ભુત સવારી હતી. આ સમયે અમે 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વીની આસપાસ ફરી રહ્યા છીએ. મારા ખભા પર મારો ત્રિરંગો છે, જે મને બતાવી રહ્યો રહ્યો છે કે હું એકલો નથી, હું તમારા બધા સાથે છું.

શુભાંશુ શુક્લાએ સ્પેસકરફ્ટની અંદરથી કહ્યું કે, આ મારી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધીની જર્નીની શરૂઆત નથી, આ ભારતના હ્યુમન સ્પેસ પ્રોગ્રામની શરૂઆત છે અને હું ઈચ્છું છું કે બધા દેશવાસીઓ આ યાત્રાનો હિસ્સો બને. તમારી છાતી પણ ગર્વથી પહોળી થવી જોઈએ. તમારે પણ એટલો જ ઉત્સાહ દર્શાવો. ચાલો આપણે બધા સાથે મળીને ભારતની આ હ્યુમન સ્પેસ જર્નીની શરૂઆત કરીયે. આભાર, જય હિંદ, જય ભારત.


વાયુ યોદ્ધાની અદમ્ય ભાવનાથી પ્રેરિત એક યાત્રા: ભારતીય વાયુસેના

વાયુ યોદ્ધાની અદમ્ય ભાવનાથી પ્રેરિત એક યાત્રા: ભારતીય વાયુસેના

શુભાંશુ શુક્લાના મિશન લોન્ચ થયા બાદ, ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ખુશી વ્યક્ત કરી છે. IAFએ X પર લખ્યું છે કે આકાશ જીતવાથી લઈને તારાઓને સ્પર્શ કરવા સુધી, ભારતીય વાયુસેનાના વાયુ યોદ્ધાની અદમ્ય ભાવનાથી પ્રેરિત એક યાત્રા. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક ઐતિહાસિક અંતરિક્ષ મિશન પર રવાના થયા, જે દેશના ગૌરવને પૃથ્વીની પેલે પાર લઈ જશે. IAFએ કહ્યું કે આ ભારત માટે એક એવી ક્ષણ છે, જે સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્માના મિશનના 41 વર્ષ બાદ આવી છે, જેમણે સૌપ્રથમ આપણા ત્રિરંગાને પૃથ્વીની પેલે પાર લઈ ગયા હતા. આ એક મિશન કરતા પણ વધારે છે.


સ્પેસ સ્ટેશન સુધી પહોંચવામાં 28 કલાક લાગશે

સ્પેસ સ્ટેશન સુધી પહોંચવામાં 28 કલાક લાગશે

ISS પૃથ્વીથી લગભગ 400 કિલોમીટરની ઊંચાઈએ 'લો અર્થ ઓર્બિટ'માં 28000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરિભ્રમણ કરી રહ્યું છે.તે એક ચાલતું ફરતું લક્ષ્ય છે, જેની સાથે અવકાશયાનને સચોટ રીતે ગોઠવવું પડશે. શુભાંશુ શુક્લાને લઈ જતું સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાનને આ યાત્રામાં 28 કલાક લાગશે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચ્યા બાદ, તેઓ રાકેશ શર્માના 1984ના મિશન બાદ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અને અવકાશમાં જનારા બીજા ભારતીય બની જશે. 28 કલાકની મુસાફરી બાદ, અવકાશયાન ગુરુવારે સાંજે લગભગ 04:30 વાગ્યે ISS સાથે ડોક થવાની ધારણા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top