પાકિસ્તાને આદમપુર એરબેઝ પર સુખોઈ વિમાન નષ્ટ કર્યું? ફેક્ટ ચેકમાં થઈ ગયો ખુલાસો
પાકિસ્તાને એ સમયે ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે, જ્યારે જીઓ ઇન્ટેલિજન્સ એક્સપર્ટ ડેમિયન સિમોને ભારતને લઈને કરવામાં આવેલા એક દાવાનું ફેક્ટ ચેક કર્યું. કેટલાક પાકિસ્તાની અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગયા મહિને 4 દિવસના લશ્કરી સંઘર્ષ દરમિયાન તેની સેનાએ ભારતના આદમપુર એરબેઝ પર હુમલો કર્યો હતો. ડેમિયન સિમોનના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે પંજાબના આદમપુર એરબેઝ પરના હુમલામાં તેમની વાયુસેનાએ ભારતીય વાયુસેનાના સુખોઈ Su-30 MKI વિમાનને ક્ષતિગ્રસ્ત કરી દીધું.
અગાઉ, પાકિસ્તાને દાવો કર્યો હતો કે ચીનમાં બનેલા JF-17 ફાઇટર એરક્રાફ્ટથી છોડવામાં આવેલી તેની મિસાઇલોએ આદમપુરમાં રશિયન બનાવટની S-400 એર ડિફેન્સ સિસ્ટમ, જેને સુદર્શન ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને નષ્ટ કરી દીધી છે. 13 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આદમપુર એરબેઝની મુલાકાતથી પાકિસ્તાનના આ દાવાનો પર્દાફાશ થયો હતો. વડાપ્રધાન મોદીએ એરબેઝ પર વાયુસેનાના યોદ્ધાઓને સંબોધિત કર્યા હતા અને તેની પૃષ્ઠભૂમિમાં S-400 એર ડિફેન્સ સિસ્ટમ સુરક્ષિત ઊભી હતી.
S-400એ ભારતના હવાઈ ઠેકાણા પર પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોના હુમલાને નિષ્ફળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અગાઉ, પાકિસ્તાની સેનાએ એક સેટેલાઇટ છબી જાહેર કરી હતી જેમાં આદમપુર એરબેઝના S-400ને નુકસાન પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ તસવીરમાં વિનાશના કોઈ ચિહ્નો નહોતા, જેમ કે ખાડા (બોમ્બ વિસ્ફોટ બાદ થનારા ખાડા), કાટમાળ અથવા કોઈપણ ક્ષતિગ્રસ્ત ઉપકરણો. જોકે, સોશિયલ મીડિયાએ પાકિસ્તાનના આ જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવામાં લાંબો સમય લીધો નહોતો.
ડેમિયન સિમોને ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા લશ્કરી સંઘર્ષના બે મહિના અગાઉ માર્ચ 2025માં લેવામાં આવેલી એક સેટેલાઇટ તસવીર શેર કરી, જેમાં MiG-29 મેન્ટેનેન્સ હેઠળ હતું અને એન્જિન ટેસ્ટિંગ પેડ પાસે દેખાતો કાળો ભાગ એક સામાન્ય વાત છે. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોતનો બદલો લેવા માટે શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું ત્યારથી, ઇસ્લામાબાદ તેની હારને વિજય તરીકે દર્શાવવા માટે પ્રચાર અભિયાન ચલાવી રહ્યું છે. પરંતુ, તેમના બધા દાવા ખોટા સાબિત થયા છે.
ઐતિહાસિક રીતે આદમપુર એરબેઝે પાકિસ્તાન સાથેના અગાઉના સંઘર્ષોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 1965ના યુદ્ધ દરમિયાન આ એરબેઝની સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. સરહદથી માત્ર 100 કિલોમીટર દૂર સ્થિત તેનું વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન ભારતના ઉત્તરીય ભાગના એર ડિફેન્સ માટે તેને મહત્ત્વપૂર્ણ બનાવે છે. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પણ આદમપુર દુશ્મનના ટારગેટ પર હતું, પરંતુ ઘણા પ્રયાસો છતા પાકિસ્તાન આ એરબેઝને ભેદી શક્યું નહોતું.
આ એરબેઝમાં Su-7 અને MiG-21 જેવા મુખ્ય વિમાનો રાખવામાં આવ્યા હતા. તેમાં એક મહત્ત્વપૂર્ણ મિસાઇલ અને રડાર યુનિટ પણ હતું. પહેલા S-400 એર ડિફેન્સ યુનિટને 2022માં આદમપુર એરબેઝ પર તૈનાત કર્યું હતું. વર્તમાનમાં, આ એરબેઝ પર ભારતીય વાયુસેનાના કેટલાક મુખ્ય ફાઇટર સ્ક્વોડ્રન છે, જેમાં MiG-29 અને સુખોઈ-30 MKIનો સમાવેશ થાય છે. આદમપુર એરબેઝ પોતાની મોડર્ન સર્વિલન્સ અને રડાર સિસ્ટમ સાથે પંજાબ, જમ્મુ અને કાશ્મીર અને રાજસ્થાન જેવા રાજ્યોની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp