10/31/2023
વડાપ્રધાન બનવા અગાઉ નરેન્દ્ર મોદીએ ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બનાવવાનું સપનું જોયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી રહેતા નરેન્દ્ર મોદીએ વર્ષ 2013માં તેનો શિલાન્યાસ કર્યો હતો અને વડાપ્રધાન બન્યા બાદ વર્ષ 2018માં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના રૂપમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશને સમર્પિત કરી હતી. લગભગ 2989 કરોડમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનીને તૈયાર થઈ, જ્યાં અત્યાર સુધી 1.53 કરોડ પર્યટક આવી ચૂક્યા છે. આ પ્રતિમા બન્યા બાદ સ્થાનિક લોકોને રોજગારના અવસર પ્રાપ્ત થયા, સાથે જ ગુજરાત અને દેશના પર્યટકોને એક નવું પર્યટન સ્થળ પણ મળ્યું.