‘સમય બદલાઈ રહ્યો છે. દોસ્ત દોસ્ત ના રહા...! વડાપ્રધાન મોદીના અંબાણી-અદાણી નિવેદન મુદ્દે ખડગેનો

‘સમય બદલાઈ રહ્યો છે. દોસ્ત દોસ્ત ના રહા...! વડાપ્રધાન મોદીના અંબાણી-અદાણી નિવેદન મુદ્દે ખડગેનો વળતો જવાબ

05/08/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

‘સમય બદલાઈ રહ્યો છે. દોસ્ત દોસ્ત ના રહા...! વડાપ્રધાન મોદીના અંબાણી-અદાણી નિવેદન મુદ્દે ખડગેનો

Mallikarjun Kharge Attack On PM Modi : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અદાણી-અંબાણીવાળા નિવેદન મામલે વળતો જવાબ આપ્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘સમય બદલાઈ રહ્યો છે. દોસ્ત દોસ્ત ના રહા...! ત્રણ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાને આજે પોતાના જ મિત્રો પર નિશાન તાક્યું છે. આ દર્શાવે છે કે મોદીજીની ખુરશી ડગમગી રહી છે. આ પરિણામોનું વાસ્તવિક વલણ છે.’ 



અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો : વડાપ્રધાન

અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો : વડાપ્રધાન

વાસ્તવમાં વડાપ્રધાન મોદીએ તેલંગાણાના કરીમ નગરમાં આયોજિત એક ચૂંટણી સભામાં કોંગ્રેસનેતા રાહુલ ગાંધી  પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘તમે જોયું હશે કે કોંગ્રેસના શહેજાદા છેલ્લાં પાંચ વર્ષથી ઉઠીને ‘પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ’ની માળા જપતા હતા. જો કે તેમનો રાફેલવાળો કેસ ગ્રાઉન્ડેડ થઈ ગયો ત્યારે તેમણે નવી માળા જપવાની શરૂઆત કરી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી. હવે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેમણે અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. હવે શહેજાદા જાહેર કરે કે, તેમણે અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે?’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top