સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસને ૬૦૦થી વધુ વકીલોએ લખ્યો પત્ર, કહ્યું કે- અદાલતોને બચાવવા માટે નક્કર

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસને ૬૦૦થી વધુ વકીલોએ લખ્યો પત્ર, કહ્યું કે- અદાલતોને બચાવવા માટે નક્કર પગલા ભરે, શા માટે આવું કહ્યું?

03/28/2024 National

SidhiKhabar

SidhiKhabar

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસને ૬૦૦થી વધુ વકીલોએ લખ્યો પત્ર, કહ્યું કે- અદાલતોને બચાવવા માટે નક્કર

દેશનાં દિગ્ગજ વકીલ હરીશ સાલ્વે સહિત ૬00 થી વધુ જાણીતા વકીલોએ ભેગા મળી ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડને પત્ર લખ્યો છે. પત્રમાં ન્યાયપાલિકા પર સવાલ ઉઠાવવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ન્યાયતંત્રની અખંડિતતાને ઓછી દેખાડવાના પ્રયાસો થઇ રહ્યા છે. જે વકીલોએ CJIને પત્ર લખ્યો છે તેમાં હરીશ સાલ્વે, મનન કુમાર મિશ્રા, આદિશ અગ્રવાલ, ચેતન મિત્તલ, પિંકી આનંદ, હિતેશ જૈન, ઉજ્જવલા પવાર, ઉદય હોલ્લા, સ્વરૂપમા ચતુર્વેદી અને દેશભરના બીજા અન્ય વકીલો સામેલ છે.



ન્યાયપાલિકાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ

ન્યાયપાલિકાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ

વકીલોએ આ પત્રમાં લખ્યું છે કે, એક ગ્રુપ ન્યાયિક ચુકાદાઓને પ્રભાવિત કરવા માટે દબાણની રણનીતિ અપનાવી રહ્યું છે. તે ખાસ કરીને રાજનીતિક હસ્તીઓ અને ભ્રષ્ટાચારો સાથે સબંધિત મામલે વધુ જોવા મળી રહ્યું છે. આ ચોક્કસ ગ્રુપ અલગ-અલગ રીતે પ્રપંચ કરી રહ્યું છે. તેનાથી ન્યાયપાલિકાની ગરિમાને ઠેસ પહોંચે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ ગ્રુપ એવા નિવેદનો આપે છે જે યોગ્ય નથી હોતા અને તેઓ રાજકીય લાભ લેવા માટે આવું કરે છે. તે લોકતાંત્રિક માળખા અને ન્યાયિક પ્રક્રિયામાં રાખવામાં આવેલા ભરોસા માટે ખતરો ઊભો કરી રહ્યું છે.


ન્યાયપાલિકાના કહેવાતા સુવર્ણ યુગ વિશે ખોટું વર્ણન

વકીલોનું કહેવું છે કે,  ન્યાયપાલિકાના કહેવાતા સુવર્ણ યુગ વિશે ખોટું વર્ણન રજૂ કરવાથી લઈને અદાલતોની વર્તમાન કાર્યવાહી પર સવાલો ઉઠાવવા અને અદાલતોમાં જનતાના વિશ્વાસને ઘટાડવો વગેરે સામેલ છે. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ ગ્રુપ પોતાના રાજકીય એજન્ડાના આધારે કોર્ટના નિર્ણયોની પ્રશંસા અથવા ટીકા કરે છે. આ ગ્રુપ 'માય વે અથવા હાઈવે' વાળી થિયરીમાં વિશ્વાસ કરે છે. આ સાથે આ જ લોકો દ્વારા બેન્ચ ફિક્સિંગની થિયરી પણ બનાવવામાં આવી છે.



અદાલતોને બચાવવા માટે નક્કર પગલા ભરે

વકીલોએ પત્રમાં કહ્યું છે કે, નેતા કોઈ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે અને પછી બાદમાં કોર્ટમાં તે તેમનો બચાવ કરે છે. જો કોર્ટ તેમની ઈચ્છા મુજબ નિર્ણય ન આપે તો તેઓ કોર્ટની અંદર અથવા તો મીડિયા દ્વારા કોર્ટ વિશે ખરાબ બોલવાનું શરૂ કરી દે છે. તો કેટલાક તત્વ જજોને પ્રભાવિત કરવા અને કેટલાક કેસોમાં પોતાના પક્ષમાં ચુકાદો આપવા માટે પણ જજો પર દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને આવું કામ સોશિયલ મીડિયા પર જૂઠાણું ફેલાવીને કરવામાં આવી રહ્યું છે. અમે CJI અને સુપ્રીમ કોર્ટને આગ્રહ કરીએ છીએ કે, તેઓ આ પ્રકારના હુમલાથી આપણી અદાલતોને બચાવવા માટે નક્કર પગલા ભરે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top