ગુજરાત કોંગ્રેસમાંથી ગઢનો વધુ એક કાંગરો ખરી પડ્યો, રાજીનામાનો દોર યથાવત,! જાણો વિગતે

ગુજરાત કોંગ્રેસમાંથી ગઢનો વધુ એક કાંગરો ખરી પડ્યો, રાજીનામાનો દોર યથાવત,! જાણો વિગતે

03/22/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત કોંગ્રેસમાંથી ગઢનો વધુ એક કાંગરો ખરી પડ્યો, રાજીનામાનો દોર યથાવત,! જાણો વિગતે

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં 26 બેઠકો માટે સાતમી મેએ મતદાન થવાનું છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવાત છે. કોંગ્રેસમાંથી ઉમેદવારી જાહેર થયા બાદ અચાનક ચૂંટણી લડવાનો ઈન્કાર કરનાર રોહન ગુપ્તાએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. પિતાની  બીમારીનું કારણ આપીને અમદાવાદ બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે રોહન ગુપ્તા પણ અન્ય નેતાઓની જેમ પક્ષપલટો કરીને ભાજપમાં જશે કે શું તે હજી ચર્ચાનો વિષય છે. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના ગઢનો વધુ એક કાંગરો ખરી પડ્યો છે.


સ્વમાનને ધ્યાને રાખીને રાજીનામું

રોહન ગુપ્તાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેને સંબોધીને પક્ષના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. આ સાથે તેઓએ પક્ષના એક નેતાએ સતત તેમનું અપમાન કર્યાનો દાવો પત્રમાં કર્યો છે. સાથે જ રોહન ગુપ્તાએ પત્રમાં લખ્યું છે કે, તેમના સતત ચારિત્ર્ય પર આંગળી ઉઠાવવામાં આવી છે. મે 13 વર્ષ પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યુ. મારા પિતા માટે મે મારી આકાંક્ષાને બાજુએ મુકી. હું મારા પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છું અને લડાઈ લડી રહ્યો છું. ત્યારે એ જ કોંગ્રેસના નેતા ફરીથી મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમના વર્તનથી મને રોષ છે અને મારા સ્વમાનને ધ્યાને રાખીને હુ રાજીનામું આપી રહ્યો છું.


પક્ષમાંથી રાજીનામું આપી દેતા અનેક અટકળો વહેતી થઈ

પક્ષમાંથી રાજીનામું આપી દેતા અનેક અટકળો વહેતી થઈ

રાજ્યસભાના સભ્ય નારણ રાઠવા, પૂર્વ ધારાસભ્ય મોહન રાઠવા, અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર, સીજે ચાવડા જેવા દિગ્ગજ નેતાઓએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારે અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની બીમારીનું કારણ આપીને ચૂંટણીનું મેદાન છોડ્યું હતું. ત્યારે રોહન ગુપ્તાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેમના પિતા તેમની ચૂંટણી લડવાના નિર્ણયથી રાજી નથી. અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રોહન ગુપ્તાના ચૂંટણી લડવાથી તેમના પિતાના આરોગ્ય ઉપર કોઈ જોખમ આવે તો તેઓ પોતાને ક્યારેય માફ કરી નહીં શકે. તેથી તેમને ચૂંટણી લડવાનો નિર્ણય હાલ ટાળ્યો છે. ત્યારે આ વચ્ચે રોહન ગુપ્તાએ પક્ષમાંથી જ રાજીનામું આપી દેતા અનેક અટકળો વહેતી થઈ છે.


અગાઉ તેમના પિતાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું આપ્યુ હતુ

અગાઉ તેમના પિતાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું આપ્યુ હતુ

અગાઉ રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહી ચૂક્યા હતા. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી તરીકેની જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા. તેમણે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે, અગાઉ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના રોહન ગુપ્તા અને ભાજપના હસમુખ પટેલ વચ્ચે ટક્કર થવાની હતી. પરંતુ રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચતા હવે કોંગ્રેસ નવા ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top