અલ્હાબાદ હાઇકોર્ટે યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004ને અમાન્ય ગણાવ્યો, જેની હજારો મદરેસાને થશે અસર, જાણો સમગ્ર વાત
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004ને ગેરબંધારણીય જાહેર કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે, આ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. કોર્ટે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને બેઝિક એજ્યુકેશન સિસ્ટમમાં એડજસ્ટ કરવાની વાત પણ કરી છે. અરજદાર અંશુમાનસિંહ રાઠોડે પિટિશન દાખલ કરીને એક્ટને પડકાર્યો હતો. જસ્ટિસ વિવેક ચૌધરી અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો હતો.
અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય અંશુમાન સિંહ રાઠોડ દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશન પર આવ્યો છે. જેમાં યુપી મદરેસા બોર્ડની સત્તાઓને પડકારવામાં આવી હતી. ભારત સરકાર અને રાજ્ય સરકાર અને અન્ય સંબંધિત લઘુમતી કલ્યાણ વિભાગો દ્વારા મદરેસાના સંચાલન સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ નિર્ણય રાજ્ય સરકારે રાજ્યમાં ઇસ્લામિક શિક્ષણ સંસ્થાઓનો સર્વે કરવાનો નિર્ણય લીધાના મહિનાઓ બાદ આવ્યો છે. તેમણે ઓક્ટોબર 2023માં વિદેશમાંથી મદરેસા ફંડિંગની તપાસ કરવા માટે SITની પણ રચના કરી હતી. તપાસ રિપોર્ટમાં 13 હજારથી વધુ મદરેસાઓ સામે કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. તેમજ નેપાળ બોર્ડર પર મદરેસાઓ પર કડકાઈ વધારી દેવામાં આવી હતી.
રજિસ્ટ્રાર મદરેસા એજ્યુકેશન બોર્ડ પ્રિયંકા અવસ્થીએ કહ્યું હતું કે, વિગતવાર આદેશની રાહ જોવાઈ રહી છે. આદેશ આવ્યા બાદ સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ થયા પછી આગળનો નિર્ણય લેવામાં આવશે. જ્યારે યુપી મદરેસા બોર્ડના અધ્યક્ષ ડૉ. ઇફ્તિખાર અહેમદ જાવેદે આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. તે હવે વિગતવાર ઓર્ડર જોશે. ઓર્ડરનો અભ્યાસ કરવા વકીલોની ટીમ બનાવવામાં આવશે. બે લાખ બાળકોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ છે સાથે રોજગાર પણ છીનવાઈ જશે. તેથી આ ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવી શકે છે.
મદરેસાઓનું અસ્તિત્વ ખતરામાં
અલ્હાબાદના આ નિર્ણયને કારણે રાજ્યભરમાં મદરેસાઓનું અસ્તિત્વ ખતરામાં છે. યુપી મદરેસા બોર્ડની લગભગ 15200 મદરેસાઓને અસર થશે. અહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સંકટ મોટું બની શકે છે. જો કે મદરેસા બોર્ડ આ નિર્ણય અંગે સુપ્રીમ કોર્ટનો સંપર્ક પણ કરી શકે છે. હાઈકોર્ટે ઓક્ટોબર 2019માં મદરેસા બોર્ડની કામગીરી અને માળખાને લગતા કેટલાક પ્રશ્નોને મોટી બેંચને મોકલ્યા હતા. જે પ્રશ્નો લાર્જર બેન્ચને મોકલવામાં આવ્યા હતા. શું બોર્ડનો હેતુ માત્ર ધાર્મિક શિક્ષણ આપવાનો છે?
ભારતમાં બિનસાંપ્રદાયિક બંધારણ હેઠળ, કોઈ ચોક્કસ ધર્મના વ્યક્તિઓને તે ધર્મના કોઈપણ શિક્ષણ બોર્ડમાં નિમણૂક/નોમિનેટ કરી શકાય છે. આ કાયદો રાજ્યના લઘુમતી કલ્યાણ મંત્રાલય હેઠળ બોર્ડને કાર્ય કરવાની જોગવાઈ કરે છે. તેથી એક પ્રશ્ન ઊભો થાય છે કે, શું લઘુમતી કલ્યાણ વિભાગ હેઠળ મદરેસા શિક્ષણ આપવાનું મનસ્વી છે, જ્યારે જૈન, શીખ, ખ્રિસ્તી વગેરે અન્ય લઘુમતી સમુદાયોની અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ મંત્રાલય હેઠળ ચલાવવામાં આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp