ગુજરાતના આ ઐતિહાસિક શહેરમાંથી હજારો વર્ષ જૂની માનવ વસાહત સાથે મળી આવ્યા માનવ કંકાલ, સાથે ખુલ્યા

ગુજરાતના આ ઐતિહાસિક શહેરમાંથી હજારો વર્ષ જૂની માનવ વસાહત સાથે મળી આવ્યા માનવ કંકાલ, સાથે ખુલ્યા આ રહસ્યો! જાણો વિગતે

03/21/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના આ ઐતિહાસિક શહેરમાંથી હજારો વર્ષ જૂની માનવ વસાહત સાથે મળી આવ્યા માનવ કંકાલ, સાથે ખુલ્યા

ગુજરાતનું વડનગરએ એક ઐતિહાસિક નગરી તરીકે જાણીતું છે. વડનગરનો ઇતિહાસ 2800 વર્ષ જુનો છે જેના પુરાવા પણ મળ્યા છે. અહીં ખોદકામ દરમિયાન પુરાતન કાળના અવશેષો સતત મળતા રહે છે. આજ કારણે અહીંના વારસાને ઉજાગર કરવા માટે વડનગરમાં વિશ્વનું બીજા નંબરનું મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. આ મ્યુઝિયમમાં ખોદકામ દરમિયાન મળેલ પ્રાચીન અવશેષોને મૂકવામાં આવશે. હમણા તાજેતરમાં જ વડનગરમાંથી 2800 વર્ષ જૂના નગરના અવશેષો મળ્યા હતા.


અવશેષોમાં 11 માનવ કંકાલ મળી આવ્યા

અવશેષોમાં 11 માનવ કંકાલ મળી આવ્યા

આ વર્ષની શરૂઆતમાં 17 જાન્યુઆરીના રોજ વડનગરમાં હજારો વર્ષ જુની દટાયેલી માનવ વસાહતો મળી આવી હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), ખડગપુર, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ), ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ), જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) અને ડેક્કન કોલેજના સંશોધકોએ અહીં મોટાપાયે ખોદકામ કર્યુ હતું. જેમાં અહીં 2800 વર્ષ જુની માનવ વસાહતના પુરાવા મળ્યા છે. તેમાં 11 માનવ કંકાલ પણ સામેલ હતા.

વડનગરમાં દબાયેલા હજારો વર્ષો જૂનો ઈતિહાસ માટીમાંથી બહાર આવી રહ્યો છે. હાલ આ વસાહત અંગે શોધ ચાલી રહી છે. આ અવશેષોમાં 11 માનવ કંકાલ મળી આવ્યા હતા. જેના પર હાલ આર્કિયોલોજિકલ વિભાગ સરવે કરી રહ્યો છે. ત્યારે આ કંકાલમાંથી એક કંકાલનો સ્ટડી કરતાં એક અનેક ચોકાવનારા રહસ્યો સામે આવ્યા છે. આ તમામ કંકાલો 150 થી 600 વર્ષ જુના છે, તે વડનગરના શર્મિષ્ઠા તળાવના ખોદકામમાં મળી આવ્યાં હતા.


એક કંકાલ તઝાકિસ્તાનના નાગરિકનું

એક કંકાલ તઝાકિસ્તાનના નાગરિકનું

એએસઆઈના એક સિનિયર અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર, તેમાંથી એક કંકાલ તઝાકિસ્તાનના નાગરિકનું છે. તઝાકિસ્તાન ગુજરાતથી હજારો કિલોમીટર દૂર આવેલો દેશ છે. ત્યારે 2800 વર્ષ પહેલા તઝાકિસ્તાનનો નાગરિક અહી કેમ આવ્યો હશે અને તેનું આ સાથળ સાથે શું કનેક્શન હશે? પરંતું તઝાકિસ્તાનનો આ નાગરિક વડનગરમાં મોતને ભેટ્યો હશે તે વાત આ કંકાલ સાબિત કરે છે.

.


ASIના પુરાતત્ત્વવિદ અભિજિત અંબેકરે જણાવ્યું હતું કે, "ઊંડા ખોદકામથી સાત સાંસ્કૃતિક સમયગાળા - મૌયા, ઈન્ડો-ગ્રીક, શક-ક્ષત્રપા, હિન્દુ-સોલંકી, સલ્તનત-મોગલ (ઇસ્લામિક) થી ગાયકવાડ-બ્રિટીશ વસાહતી શાસનની હાજરી હોવાનું બહાર આવ્યું છે, અને શહેર હજી પણ વિકસી રહ્યું છે." અમારા ખોદકામ દરમિયાન સૌથી જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. "અમને વિશિષ્ટ પુરાતત્વીય કલાકૃતિઓ, માટીકામ, તાંબુ, સોનું, ચાંદી અને લોખંડની વસ્તુઓ અને જટિલ ડિઝાઇનવાળી બંગડીઓ મળી આવી છે. વડનગરમાં ઇન્ડો-ગ્રીક શાસન દરમિયાન ગ્રીક રાજા એપોલોડેટસના સિક્કાના મોલ્ડ પણ મળી આવ્યા છે


એશિયાનું પ્રથમ એક્સપિરિયન્સ મ્યુઝિયમ હવે વડનગર ખાતે

એશિયાનું પ્રથમ એક્સપિરિયન્સ મ્યુઝિયમ હવે વડનગર ખાતે

વડનગર ખાતે હવે દુનિયાની સૌથી મોટું બીજા નંબરનું મ્યુઝિયમ આકાર લઇ રહ્યું છે. જે એશિયાનું પ્રથમ એક્સપિરિયન્સ મ્યુઝિયમ હશે. અહીંયા આવીને પર્યટકો 2800 વર્ષ પેહલા માનવી કેવુ જીવન જીવતા તેનો જીવંત અહેસાસ કરી શકશે. આ મ્યુઝિયમની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે. સાત કાળ વાઇસ સાત વિશેષ ફ્લોર તૈયાર કરવામાં આવશે. આ મ્યૂઝિયમમાં સાત કાળના જુદા જુદા પૌરાણિક અવશેષોને અલગ અલગ ફ્લોર પર અલગ રાખવામાં આવશે. કહેવાય છે કે, સાત વાર વડનગર તૂટ્યું છે અને ફરી ઊભું થયું છે, ત્યારે આ મ્યુઝિયમ બનતા પર્યટકો વડનગરના પૌરાણિક વારસાને નિહાળી શકશે. દેશ-વિદેશથી લોકો વડનગરની મુલાકાતે આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top