રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનના ચેરમેન આજે 67 વર્ષના થયા..! શરમાળ સ્વભાવ, તમામ વ્યસનોથી દુર, ની

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનના ચેરમેન આજે 67 વર્ષના થયા..! શરમાળ સ્વભાવ, તમામ વ્યસનોથી દુર, નીતા સાથે લગ્ન, પિતાનો વારસો....! જાણો રસપ્રદ વિગતો

04/19/2024 Business

SidhiKhabar

SidhiKhabar

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનના ચેરમેન આજે 67 વર્ષના થયા..! શરમાળ સ્વભાવ, તમામ વ્યસનોથી દુર, ની

આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીનો આજે ૬૮મો જન્મદિવસ છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 115.6 બિલિયન ડોલર છે. મુકેશ અંબાણીનું નામ દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં 11મા નંબર પર છે. મુકેશનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ કોકિલાબેન અને ધીરુભાઈ અંબાણીને ત્યાં થયો હતો. તેમનો એક નાનો ભાઈ અનિલ અંબાણી અને બે બહેનો, નીના ભદ્રશ્યામ કોઠારી અને દિપ્તી દત્તરાજ સલગાંવકર છે.


મુકેશ અંબાણીનો સ્વભાવ એકદમ શરમાળ છે, પરંતુ તેઓ એકદમ સરળ અને સામાન્ય રહે છે. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં અંબાણીએ એક વખત કહ્યું હતું કે, આજે પણ તેઓ જાહેરમાં બોલતા ડરે છે. આ સિવાય તેમણે આજ સુધી ક્યારેય દારૂને હાથ અડાડ્યો નથી. તેઓ આ પ્રકારના તમામ વ્યસનોથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. મુકેશ અંબાણી ભાગ્યે જ મીડિયામાં જોવા મળે છે. એટલું જ નહીં તે સોશિયલ મીડિયા પર પણ ખાસ એક્ટિવ નથી.


પિતાનો વ્યવસાય સંભાળવા અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો

પિતાનો વ્યવસાય સંભાળવા અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો

જો મુકેશ અંબાણીના શિક્ષણની વાત કરીએ તો તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. બાદમાં, તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો, પરંતુ તેમના પિતાનો વ્યવસાય સંભાળવા માટે, તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને તેના પિતા સાથે વ્યવસાય વહેંચવાનું શરૂ કર્યું.વર્ષ 1981માં મુકેશ અંબાણીએ પિતા સાથે રિલાયન્સ ગ્રુપમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં, વર્ષ 1985માં, આ કંપનીનું નામ રિલાયન્સ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝથી બદલીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કરવામાં આવ્યું હતું. આ સાથે, તેમણે ટેલિકોમ ક્ષેત્રમાં વિકાસ કર્યો અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડની સ્થાપના પણ કરી.


રિલાયન્સ માર્કેટ કેપ રૂ. 19.79 લાખ કરોડ છે

રિલાયન્સ માર્કેટ કેપ રૂ. 19.79 લાખ કરોડ છે

રિલાયન્સનો બિઝનેસ હાલમાં ઘણા સેક્ટરમાં ફેલાયેલો છે. કંપનીનો બિઝનેસ રિટેલ, ફાઇનાન્સ, ટેલિકોમ અને ઓઇલ સહિતના ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે. આજે રિલાયન્સ માર્કેટ કેપ રૂ. 19.79 લાખ કરોડ છે. કંપનીએ તાજેતરમાં રૂ. 20 લાખ કરોડનો આંકડો પણ પાર કર્યો છે. મુકેશ અંબાણીએ વર્ષ 2016માં રિલાયન્સ જિયોની શરૂઆત કરી હતી. રિલાયન્સ લોન્ચ કર્યા પછી, કંપની સંપૂર્ણપણે દેવા મુક્ત થઈ ગઈ. માત્ર 58 દિવસમાં જિયોના પ્લેટફોર્મે 52,124.20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 31 માર્ચ, 2020 ના રોજ, રિલાયન્સ પર લગભગ 1,61,035 કરોડ રૂપિયાનું દેવું હતું, પરંતુ મુકેશ અંબાણીએ તેમના આયોજન દ્વારા 9 મહિનાથી ઓછા સમયમાં આ દેવું દૂર કર્યું. Jio એ આમાં સૌથી ખાસ ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં જ જિયો ફાઇનાન્શિયલના શેર માર્કેટમાં લિસ્ટ થયા છે.


મુકેશ અંબાણીએ નીતા અંબાણી સાથે મોંઘી કારો છોડી બસમાં સફર કરી હતી

મુકેશ અંબાણીએ નીતા અંબાણી સાથે મોંઘી કારો છોડી બસમાં સફર કરી હતી

મુકેશ અંબાણીના લવ મેરેજ નહિ પરંતુ અરેન્જ મેરેજ છે. કોલેજમાં ડાન્સ પ્રોગ્રામ દરમિયાન મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ નીતા અંબાણીને પહેલી વખત જોઈ હતી. ધીરુભાઈએ અહિથી મન મક્કમ કર્યો કહ્યું આને હું મારા ઘરની વહુ બનાવીશ. ત્યારબાદ ધીરુભાઈએ નીતા અંબાણીના પિતાને ફોન કર્યું અને ત્યારબાદ બંન્નેના લગ્ન નક્કી થયા હતા. નીતા ગુજરાતના એવા પરિવાર સાથે સંબંધ ધરાવે છે જ્યાં સંગીત અને નૃત્યને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમની માતા પૂર્ણિમા દલાલ શાસ્ત્રીય નૃત્યમાં પારંગત હતા. બંન્ને એક ઈન્ટરવ્યુમાં પોતાની લવ સ્ટોરી વિશે વાત કરી ચુક્યા છે. લગ્ન નક્કી થયા બાદ નીતા અંબાણી અને મુકેશ અંબાણી હંમેશા એકબીજાને મળતા હતા. મુકેશ અંબાણી એક વખત નીતા અંબાણી સાથે મોંઘી કારો છોડી બસમાં સફર કરી હતી.


પિતાના વારસાને સતત આગળ વધારી રહ્યા છે

પિતાના વારસાને સતત આગળ વધારી રહ્યા છે

તેમણે 1985માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો, આકાશ અને અનંત અને એક પુત્રી ઈશા છે,  થોડા દિવસો બાદ અનંત અંબાણીના લગ્ન થશે. જ્યારે બે બાળકોના લગ્ન થઈ ચુક્યા છે અને તેમના ઘરે પણ બાળકો છે. પરિવારમાં સૌથી મોટો પુત્ર હોવાથી મુકેશ તેના પિતાના વારસાને સતત આગળ વધારી રહ્યા છે. અંબાણી ફેમિલી ફંક્શન્સ, શાહી લગ્નો, લગ્ઝરી કાર, એન્ટિલિયા, 27 માળની ગગનચુંબી ઈમારત સુધી, બધું જ એકદમ વૈભવી છે.

એક વર્ષ પહેલા એજીએમમાં ​​મુકેશ અંબાણીએ પોતાના બિઝનેસનના અલગ અલગ સેક્ટરની પોતાના બાળકો વચ્ચે વહેચણી કરી હતી. જેમાં મોટા પુત્ર આકાશ અંબાણીને રિલાયન્સ જિયોની કમાન સંભાળવા માટે કહેવામાં આવ્યું છે. એ સાથે જ દિકરી ઈશા અંબાણીને રિલાયન્સ રિટેલની જવાબદારી સોંપી દીધી છે. અનંત અંબાણી ગ્રુપના નવા એનર્જી બિઝનેસને સંભાળી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top