શું તમે પણ MDHનો આ મસાલો વાપરી રહ્યા છો તો સાવધાન..!? આ દેશે તાત્કાલિક નોટીસ જાહેર કરી આ મસાલાને પરત લેવા કહ્યું, કારણ ખુબ ગંભીર
ભારતની સાથે વિદેશોમાં પણ જાણીતી મસાલાની કંપની એવરેસ્ટ મુશ્કેલીમાં મુકાઈ છે. વાત જાણે એમ છે કે, સિંગાપોર સરકારે એવરેસ્ટને તેને ફિશ કરી મસાલાને બજારમાંથી તાત્કાલિક પરત લેવા આદેશ જાહેર કર્યો છે. ત્યાની સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, એવરેસ્ટના ફિશ કરી મસાલામાં ઇથિલિન ઓક્સાઈડ મળી આવ્યું છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સિંગાપોરની ફૂડ સેફ્ટી એજન્સી (FSA)ની તપાસ બાદ મસાલામાં ઈથિલિન ઓક્સાઈડની માત્રા મળી આવતા આ વાત સામે આવી હતી.
સિંગાપોરની ફૂડ સેફ્ટી એજન્સી (FSA) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે ‘હોંગકોંગના ફૂડ સેફ્ટી સેન્ટરે ભારતમાંથી આયાત કરાયેલ એવરેસ્ટ ફિશ કરી મસાલાને પરત મંગાવવા માટે નોટિસ જાહેર કરી છે. તેમાં ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું છે. SFA વતી, આયાતકાર Sp Muthiah & Sons Pte Ltd ને આ મસાલાને બજારમાંથી પાછા મંગાવવાની સમગ્ર પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી. ફૂડ સેફ્ટી એજન્સી (FSA)નું કહેવું છે કે, ઈથિલિન ઓક્સાઈડનો ઉપયોગ ખોરાકમાં કરી શકાતો નથી. તેનો ઉપયોગ ચોક્કસપણે જંતુનાશક તરીકે ખેતરોમાં થાય છે, સિંગાપોરમાં તેને ફૂડમાં ઉમેરવાની પરવાનગી નથી. આ કારણથી એવરેસ્ટના ફિશ કરી મસાલાને બજારમાંથી પરત મંગાવવાની વાત ચાલી રહી છે.
અત્યારે તો સિંગાપોર સરકાર ચોક્કસપણે કહી રહી છે કે, તેના સેવનથી સ્વાસ્થ્યને કોઈ સીધું નુકસાન થતું નથી, પરંતુ જો લાંબા સમય સુધી તેનું સેવન કરવામાં આવે તો નુકસાન થઈ શકે છે. સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, જેણે પણ આ મસાલાનું સેવન કર્યું છે તેણે તેનું સેવન બંધ કરવું જોઈએ. જો કોઈને કોઈ સમસ્યા થવા લાગે છે, તો તેણે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
જો કે એવરેસ્ટ કંપનીએ અત્યાર સુધી આ વિવાદ પર કંઈ કહ્યું નથી. અને ભારત સરકાર તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી. એવરેસ્ટ એક ભારતીય MNC છે, જેની વાર્ષિક આવક આશરે રૂ. 500 કરોડ છે. એવરેસ્ટ મસાલા કંપનીનો પાયો વાડીલાલ શાહે નાખ્યો હતો, જેનું 4 વર્ષ પહેલા મુંબઈમાં અવસાન થયું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp