અનિલ અંબાણીની કંપની બનાવશે ખાસ પ્રકારનો ગોળો, 1000 કરોડની ડીલ, શેર ઉછળ્યા

અનિલ અંબાણીની કંપની બનાવશે ખાસ પ્રકારનો ગોળો, 1000 કરોડની ડીલ, શેર ઉછળ્યા

06/11/2025 Business

SidhiKhabar

SidhiKhabar

અનિલ અંબાણીની કંપની બનાવશે ખાસ પ્રકારનો ગોળો, 1000 કરોડની ડીલ, શેર ઉછળ્યા

Reliance Defence: ભારતના ડિફેન્સ ઉત્પાદનના દૃષ્ટિકોણને નવો આકાર આપનારા એક પગલામાં, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેટાકંપની, રિલાયન્સ ડિફેન્સે જર્મનીની Diehl Defence સાથે એક મોટી ડીલ કરી છે. આ ડીલ વલ્કાનો 155 મીમી પ્રોસીઝન-ગાઈડેડ મ્યૂનિશન સિસ્ટમના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત હશે. આ એક આધુનિક તોપ ગોળો છે, જેને લાંબા અંતરના, સચોટ પ્રહારો માટે ડિઝાઇન કરવામાં  આવ્યો છે.

10 જૂને જાહેર કરાયેલી આ ડીલ ભારતને ડિફેન્સમાં આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. વલ્કાનો 155 મિમી સિસ્ટમ કોઈ સામાન્ય ગોળો નથી. તે સચોટ નિશાન લગાવવા માટે અત્યાધુનિક લેસર અને GPS બેઝ્ડ ટારગેટનો ઉપયોગ કરે છે. આ ગોળો એકદમ સચોટ નિશાન લગાવવામાં સક્ષમ છે. ખાસ કરીને આધુનિક સમયમાં યુદ્ધના દૃષ્ટિકોણથી આ એક ખાસ ગોળો છે.


ભારતમાં બનશે આ ગોળો

ભારતમાં બનશે આ ગોળો

રિલાયન્સ ડિફેન્સ મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે તેને તૈયાર કરશે, જ્યારે Diehl Defence મુખ્ય ટેક્નોલોજી અને સિસ્ટમ-સ્તરની સુવિધાઓ પ્રદાન કરશે. ઉત્પાદન મહારાષ્ટ્રના રત્નાગિરીના ઔદ્યોગિક વિસ્તારમાં એક નવી ગ્રીનફિલ્ડ સુવિધામાં થશે, જે ધીરુભાઈ અંબાણી ડિફેન્સ સિટી (DADC)નો હિસ્સો છે.

રિલાયન્સ ડિફેન્સનો અંદાજ છે કે આ ડીલથી 10,000 કરોડ રૂપિયા સુધીની આવક પેદા થઈ શકે છે. આ અંદાજ અદ્યતન દારૂગોળો પ્રણાલીઓની વધતી માગ અને કંપનીની મહત્ત્વપૂર્ણ સંરક્ષણ ટેક્નોલોજીને સ્થાનિક બનાવવાની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. આ 2029 સુધીમાં ડિફેન્સ એક્સપોર્ટમાં 50 હજાર કરોડ રૂપિયા હાંસલ કરવાના સરકારના ટાર્ગેટને સપોર્ટ કરશે.


અંબાણીના શેર 400 રૂપિયાને પાર

અંબાણીના શેર 400 રૂપિયાને પાર

જર્મનીની Diehl Defence સંરક્ષણ પ્રણાલીઓમાં વૈશ્વિક સ્તરે અગ્રણી છે. તેના પોર્ટફોલિયોમાં ગાઇડેડ મિસાઇલો, વાયુ ડિફેન્સ સિસ્ટમ અને આધુનિક દારૂગોળાનો સમાવેશ થાય છે. કંપની લગભગ 4500 લોકોને રોજગારી આપે છે અને તેનું વાર્ષિક વેચાણ 2 અબજ યુરોથી વધુ છે.

આ જાહેરાત બાદ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર 3.5 ટકા વધ્યા, જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 404.40 રૂપિયા પર બંધ થયા હતા. બજારની પ્રતિક્રિયા આ વ્યૂહાત્મક પગલાના લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં રોકાણકારોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

(નોંધ- કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા, નાણાકીય સલાહકારની મદદ જરૂર લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top