ટીટોડીના ચાર ઉભા ઈંડાએ વરસાદને લઈને શું સંકેત આપ્યા?શું સારા ચોમાસાની આગાહી છે કે પછી..' જાણો શું અનુમાન થયું?
ઉનાળાની ઋતુનો સમય ચાલી રહ્યો છે. ત્યારે ગરમી પણ સતત વધી રહી છે. ઉનાળાની ઋતુ બાદ લોકો સારા ચોમાસાની રાહ જોવે છે. પરંતું જે જૂનું શાસ્ત્ર છે. જેનો દોષી પુરાણ કહે છે. એવી રીતે જોવા જઈએ તો ટીટોડી ક્યાં ઈંડા મુકે છે કેવી રીતે ઈંડા મુકે છે. એની ઉપર વરસાદનો વરતારો થતો હોય છે. લોકવાયકા મુજબ ચોમાસા અગાઉ ટીટોડી જ્યાં ઈંડા મૂકે એનાં આધારે ચોમાસુ કેવું રહેશે. તેનો વરતારો કરી શકાય છે.
હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે લોકો વરસાદ કેવો આવશે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સારો વરસાદ આવે તેવી અપેક્ષાઓ છે. તેવી આગાહીઓ થઈ છે. ટીટોડીએ જમીન પર ઈંડા મુકતા ચાર મહિના સુધી વરસાદ આવે તેવી લોકવાયકાત્યારે જાણકારોનું કહેવું છે કે જો ટીટોડી ઉભા ઈંડા મુકવામાં આવે તો સારો વરસાદ થાય છે અને ચાર મહિના સુધી વરસાદ આવશે. ત્યારે આ સમગ્ર બાબતે જાણકારો કહે છે કે, ટીટોડીએ જમીન પર ઈંડા મૂક્યા છે તો વરસાદ મોડો આવશે.
સુરતનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડની વચ્ચો વચ ટીટોડીએ ઈંડા મુક્યા છે. ટીટોડીએ ચાર ઉભા ઈંડા મુક્યા છે. ટીટોડીએ જમીન પર પોતાનો માળો બનાવ્યો છે જાણકારો એવું કહે છે કે જો જમીન પર ઈંડા મુકવામાં આવે તો વરસાદ ઓછો આવે છે. પરંતું જો ચાર ઈંડા મુકાયા હોય તો અને ઈંડા ઉભા મુકાયા હોય તો વરસાદ વધુ આવે છે અને ચાર મહિના સુધી વરસાદ આવે છે. ત્યારે આ એક પ્રશ્નએ સુરતવાસીઓમાં કૂતુહલ સર્જ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp