શું તમે પણ છો ઠંડું પાણી પીવાના શોખીન..!? તો આ બાબતો જાણી આજથી જ કહેશો ના ....!?

શું તમે પણ છો ઠંડું પાણી પીવાના શોખીન..!? તો આ બાબતો જાણી આજથી જ કહેશો ના ....!?

04/10/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું તમે પણ છો ઠંડું પાણી પીવાના શોખીન..!? તો આ બાબતો જાણી આજથી જ કહેશો ના ....!?

ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે લોકો ઠંડી વસ્તુઓ ખાવા-પીવાનું ખુબ પસંદ કરે છે. આ સિઝનમાં લોકો ખાસ કરીને વધારે પડતું ઠંડુ પાણી પીવે છે. ઘણાને આદત હોય છે કે આકરી ગરમીમાંથી ઘરે આવીને તરત જ ફ્રિજમાંથી બોટલ કાઢીને પાણી પીવે છે. ઠંડુ પાણી પીવાથી ત્વરિત થોડીક રાહત મળે છે, પરંતુ થોડી ક્ષણોની રાહત આપતું આ ઠંડુ પાણી આપના પેટને ખુબ નબળું બનાવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે બરફનું પાણી અથવા ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઇ શકે  છે. તેનાથી વજન તો વધી જ શકે છે સાથે સાથે હૃદયને પણ નુકસાન થાય છે.


હૃદયના ધબકારા ધીમા થઈ જાય છે

હૃદયના ધબકારા ધીમા થઈ જાય છે

આપણા શરીરમાં એક વેગસ નર્વ હોય છે, જે ગરદન દ્વારા હૃદય, ફેફસાં અને પાચનતંત્રને નિયંત્રિત કરે છે. જો વધુ પડતું ઠંડું પાણી પીવામાં આવે, તો તે જ્ઞાનતંતુઓને ઝડપથી ઠંડા કરી દે છે અને હૃદયના ધબકારા અને પલ્સ રેટને ધીમા પાડી દે છે, જેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.


વજન વધવું

વજન વધવું

જો વજન વધતું હોય તો ભૂલથી પણ ઠંડુ પાણી ન પીવું જોઈએ. વાસ્તવમાં, ઠંડુ પાણી પીવાથી શરીરમાં સંગ્રહિત ચરબી સખત થઈ જાય છે, જેના કારણે ચરબી બર્ન કરવી મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં,  વજન ઘટાડવા માટે ઠંડા પાણીથી દૂર રહેવું જોઈએ.


પાચનની સમસ્યાઓ

પાચનની સમસ્યાઓ

ઠંડુ પાણી પાચનતંત્રને ખુબ ઝડપથી અસર કરે છે. ઠંડુ પાણી નિયમિત પીવાથી ખોરાક પચવામાં મુશ્કેલી પડે છે અને પેટમાં દુખાવો, ઉબકા, કબજિયાત અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે ઠંડુ પાણી પીવામાં આવે છે ત્યારે તે શરીરના તાપમાન સાથે મેળ ખાતું નથી અને શરીરમાં પહોંચ્યા પછી પેટમાં રહેલા ખોરાકને પચાવવામાં મુશ્કેલી પડે છે.


ગળામાં ઈંફેક્શન થાય છે

ગળામાં ઈંફેક્શન થાય છે

વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ગળામાં દુખાવો અને કંજેશન થવાની શક્યતા વધી જાય છે. ઠંડુ પાણી પીવાથી, ખાસ કરીને ખાધા પછી, વધારાની લાળ ઉત્પન્ન થાય છે, જે શ્વસન માર્ગમાં જમા થઈ જાય છે અને તેનાથી સોજો આવે છે અને ઈંફેક્શનનું કારણ બને છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ.


માથાનો દુખાવો અને સાઇનસ

માથાનો દુખાવો અને સાઇનસ

જો વારંવાર જરૂર કરતાં વધુ ઠંડા પીણાં પીવામાં આવે તો તેનાથી 'બ્રેઈન ફ્રીઝ'ની સમસ્યા પણ થઈ શકે છે. એટલું જ નહીં, આ બરફનું પાણી પીવાથી અથવા વધુ પડતો આઈસ્ક્રીમ ખાવાથી પણ થાય છે. વાસ્તવમાં, ઠંડુ પાણી કરોડરજ્જુની સંવેદનશીલ ચેતાને ઠંડુ કરે છે, જે મગજને અસર કરે છે. તેનાથી માથાનો દુખાવો અને સાઇનસની સમસ્યા થઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top