મુખ્તાર અંસારી : ઉજ્જવળ રાજનીતિ મળી હતી વારસામાં છતાં રાજનીતિનો ઝભ્ભો પહેરીને ગુનાખોરીની દુનિયા

મુખ્તાર અંસારી : ઉજ્જવળ રાજનીતિ મળી હતી વારસામાં છતાં રાજનીતિનો ઝભ્ભો પહેરીને ગુનાખોરીની દુનિયાનો સૌથી ક્રૂર ચહેરો, જાણો કેવી રીતે!?

03/29/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

મુખ્તાર અંસારી : ઉજ્જવળ રાજનીતિ મળી હતી વારસામાં છતાં રાજનીતિનો ઝભ્ભો પહેરીને ગુનાખોરીની દુનિયા

ગાઝીપુરના મોહમ્મદબાદ યુસુફપુરમાં 1963માં જન્મેલ આ વ્યક્તિ રાજનીતિનો ઝભ્ભો પહેરીને ગુનાખોરીની દુનિયાનો સૌથી ક્રૂર ચહેરો હતો. મુખ્તાર અન્સારી દ્વારા ભાગ્યે જ કોઈ ગંભીર ગુનાઓની કલમ અસ્પૃશ્ય રહી છે. અન્સારી પાસે દરેક ગુનાની ડિગ્રી હતી, જેણે તેને ગુનાની દુનિયામાં સૌથી મોટો વિલન બનાવ્યો હતો. તેને ના સાંભળવું ગમતું જ ન હતુ, તેનો આતંક એટલો મોટો હતો કે કોઈ તેની સાથે આંખ પણ મિલાવવાની હિંમત કરતું ન હતું. તેને રાજનીતિ વારસામાં મળી હતી, પરંતુ તે વારસાને તેણે ગુનાની અંધકારમય દુનિયામાં ફેરવી નાખ્યો હતો. તેના માર્ગમાં જે કોઈ આવ્યું તેણે હંમેશા માટે હટાવી દીધા. પ્રભાવશાળી પરિવારમાં આવા ઘાતક ખૂની અને માફિયાનો જન્મ કેવી રીતે થયો તે રાજકીય અંડરવર્લ્ડની કાળી વાસ્તવિકતાનો એક કદરૂપો ચહેરો છે.


મજબૂત અને પ્રખ્યાત રાજકીય વારસામાં ઉછરેલ યુવાન

મજબૂત અને પ્રખ્યાત રાજકીય વારસામાં ઉછરેલ યુવાન

માનવું મુશ્કેલ હશે કે, એક એવી વ્યક્તિ કે જેના દાદા, ડૉ. મુખ્તાર અહેમદ અંસારી, બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા, જેમના પિતા ગાઝીપુરમાં કમ્યુનિસ્ટ પાર્ટીના આદરણીય નેતા હતા, જેમના નાના મહાવીર ચક્ર વિજેતા બ્રિગેડિયર ઉસ્માન, જેમના મોટા ભાઈ અફઝલ અંસારી એક સમયે કમ્યુનિસ્ટ પાર્ટીના મોટા નેતાઓમાંના એક હતા, તે મજબૂત અને પ્રખ્યાત રાજકીય વારસામાં ઉછરેલા યુવાન કેવી રીતે અને શા માટે ગુનાની દુનિયા પસંદ કરી શૂટરમાંથી ગેંગસ્ટર અને પછી માફિયા ડોનમાં પરિવર્તિત થયો.


મુખ્તાર ગુનાની દુનિયામાં પ્રવેશ્યો

મુખ્તાર ગુનાની દુનિયામાં પ્રવેશ્યો

તે નાનપણથી જ દબંગ હતો. હકીકતમાં ઊંચાઈમાં પુખ્ત એવા મુખ્તાર અંસારીને કોલેજમાં પુસ્તકોને બદલે રમતગમત અને શસ્ત્રોનો શોખ વધારે હતો. એવું કહેવાય છે કે, આ સમયગાળા દરમિયાન મુખ્તારની સાધુ સિંહ સાથે મિત્રતા થઈ અને તે મકનુ સિંહ ગેંગમાં સામેલ થઈ ગયો. દરમિયાન, 1980 માં સૈયદપુરમાં એક પ્લોટને લઈને મકનુ સિંહ અને સાહિબ સિંહ ગેંગ વચ્ચે લોહિયાળ સંઘર્ષ શરૂ થયો. ત્યાં સુધીમાં મુખ્તાર અંસારી ગુનાની દુનિયામાં પ્રવેશી ચૂક્યો હતો.

તેના કોલેજના દિવસો દરમિયાન, તેની સચોટ શૂટિંગની વાર્તાઓએ તેમને ગેંગ ફેવરિટ બનાવી દીધો હતો. ઉપરથી તેનું અસાધારણ રીતે ઉંચુ કદ તેને એક અલગ ઓળખ અપાવતું હતું, અહીંથી જ મુખ્તારની રાજકીયથી એક દુષ્ટ શૂટર બનવાની ગુનાહિત સફર શરૂ થઈ હતી.


મુખ્તારનું નામ ગંભીર ગુનામાં સામે આવ્યું

મુખ્તારનું નામ ગંભીર ગુનામાં સામે આવ્યું

1988માં મુખ્તાર ઝડપથી ગુનાની દુનિયામાં પોતાની હાજરી વધારી રહ્યો હતો. દરમિયાન, મોહમ્મદાબાદમાં મંડી પરિષદના કોન્ટ્રાક્ટર સચ્ચિદાનંદ રાયની હત્યા કરવામાં આવી હતી. અને ત્યારે પહેલીવાર મુખ્તારનું નામ ગંભીર ગુનામાં સામે આવ્યું હતું. અને ત્યાર બાદ શરૂ થયેલો સિલસિલો અટક્યો નહીં. આ સમયગાળા દરમિયાન મુખ્તાર પર તેના હરીફ ત્રિભુવન સિંહના ભાઈ કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિંહની હત્યાનો પણ આરોપ હતો. તે સમયે ત્રિભુવન સિંહ અને બ્રિજેશ સિંહ ગુનાની દુનિયામાં મિત્રતાનું ઉદાહરણ માનવામાં આવતા હતા. અહીંથી જ મુખ્તાર અંસારી અને બ્રિજેશ સિંહ વચ્ચે દુશ્મની શરૂ થઈ.

મુખ્તાર અંસારી હવે સામાન્ય શૂટર ન હતો. મુખ્તાર મકનુ સિંહ અને સાધુ સિંહ ગેંગના આશ્રય હેઠળ ગેંગ ચલાવવાની યુક્તિઓ પણ શીખી ગયો હતો. 1985થી તેમના મોટા ભાઈ અફઝલ અંસારી મોહમ્મદબાદ વિધાનસભા સીટથી ધારાસભ્ય બનવા જઈ રહ્યા હતા, જેના કારણે તેમને રાજકીય રક્ષણ મળી રહ્યું હતું. મુખ્તારની ધમકી હવે ગાઝીપુર બોર્ડરથી વારાણસી, જૌનપુર અને આઝમગઢ સુધી વિસ્તરી ગઈ હતી. કોંગ્રેસ નેતા અવધેશ રાયની 1991માં જ હત્યા કરવામાં આવી હતી. જેમાં પણ તેનું નામ સામેલ હતું.  


બે પોલીસકર્મીઓને ગોળી મારીને મુખ્તાર ફરાર

બે પોલીસકર્મીઓને ગોળી મારીને મુખ્તાર ફરાર

સરકાર કોઈની પણ હોય, મુખ્તાર અન્સારીનો ડર અકબંધ રહ્યો હતો. 1991માં જ્યારે ભાજપની કલ્યાણ સિંહની સરકાર હતી, ત્યારે બે પોલીસકર્મીઓને ગોળી મારીને મુખ્તાર ફરાર થઈ ગયાના સમાચાર હતા. ત્યારબાદ પોલીસ પ્રશાસને ગાઝીપુર અને મોહમ્મદબાદમાં મુખ્તારના ઘરો પર પણ દરોડા પાડ્યા હતા. તે  એન્કાઉન્ટરથી ડરતો હતો, તેથી લાંબા સમય સુધી ભૂગર્ભમાં રહ્યો હતો.

પછી સરકાર બદલાતા જ મુખ્તાર રાજકારણમાં આવવાની તૈયારી કરવા લાગ્યો, કારણ કે તેને લાગતું હતું કે જો તે રાજકીય પોશાક નહીં પહેરશે તો તેનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે. અને તેનું કાળા ધંધાનું સામ્રાજ્ય પણ ખતમ થઈ જશે. અહીંથી જ તેમના જીવનમાં વળાંક આવ્યો અને લોકશાહીની સૌથી ક્રૂર મજાક જુઓ કે, 1996માં મુખ્તાર મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારની વિધાનસભા બેઠક પરથી જેલમાંથી ધારાસભ્ય બન્યો. અને ત્યાર પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.


મુખ્તારે 2004ની લોકસભા ચૂંટણીમાં ભાઈ અફઝલ વિરુદ્ધ ભાજપના નેતા મનોજ સિન્હાને મત આપનારા લોકો સાથે જે કર્યું તે ચોંકાવનારું હતું. ભાજપને કોણે મત આપ્યો તે જાણવા માટે બધાના હાથ ઉચા કરાવી હાથની વચ્ચેવચ રાખી નિશાન સાંધી ગોળી મારી દીધી હતી. આટલું જ નહીં યુપીના વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ્યારે સાંસદ હતા ત્યારે મુખ્તારે તેમને પણ રડવા મજબૂર કરી દીધા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top