અરવિંદ કેજરીવાલ પર EDના ફરી આ ગંભીર આરોપ! કહ્યું કેજરીવાલે 170 ફોન બદલ્યા અને...'જાણો શું કહ્યું?
Delhi Liquor Scam Case: સંજય સિંહ જ્યારથી જેલમાંથી છૂટીને બહાર આવ્યા છે, અરવિંદ કેજરીવાલને ચર્ચામાં રાખવાનો પ્રયત્ન કરે છે અને ઘણીવખત સફળ પણ રહે છે. અરવિંદ કેજરીવાલને લઈને સંજય સિંહના રાજકીય નિવેદન ઘણાં આક્રમક હોય છે અને સંબંધિત પક્ષને સ્પષ્ટતા પણ આપવી પડે છે.
સંજય સિંહે તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલની સાથે ગુનેગારો અને આતંકવાદીઓ જેવું વર્તન થતુ હોવાના આરોપ લગાવ્યા છે અને ઘણી વખત તેમના નિશાને વડાપ્રધાન મોદી અને દિલ્હીના ડેપ્યુટી ગવર્નર વી. કે. સક્સેના હોય છે.તિહાર જેલમાં કેદીઓના બે જૂથ વચ્ચે થયેલા હિંસક સંઘર્ષ બાદ સંજય સિંહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હત્યાની આશંકા વ્યક્ત કરી છે અને દિલ્હી સરકારની મંત્રી આતિશીને મુખ્યમંત્રી કેજરીવાલ સાથે મુલાકાતની મંજૂરી ન આપવાનો પણ આરોપ લગાવ્યો છે જેને તિહાર જેલ તંત્રએ ફગાવી દીધો છે.
અરવિંદ કેજરીવાલ તરફથી પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલા પડકારને કાઉન્ટર કરતા ઈડીએ જે સોગંદનામું દાખલ કર્યું છે તેમાં દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ ડિજિટલ પુરાવાનો નાશ કરવા જેવા મોટા ગંભીર આરોપ લગાવ્યા છે. જો તપાસ એજન્સીએ આરોપોને સાબિત કરી દીધા તો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું રાજકારણ ખતમ થઈ જવાનું પણ જોખમ લાગે છે. ઈડીએ દારૂ કૌભાંડના કેસમાં આમ આદમી પાર્ટીને પણ પક્ષકાર બનાવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp