આ નેતા નહીં લડે લોકસભાની ચૂંટણી, પાછું ખેચ્યું નામાંકન
ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના પ્રમુખ ગુલામ નબી આઝાદ લોકસભાની ચૂંટણી નહીં લડે. જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે આ અગાઉ અનંતનાગ રાજૌરી સંસદીય ક્ષેત્રથી નામાંકન દાખલ કર્યું હતું. ગુલામ નબી આઝાદે બુધવારે અનંતનાગમાં એક બેઠકમાં ચૂંટણી ન લડવાની જાહેરાત કરી. ઉલ્લેખનીય છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદે 2 એપ્રિલના રોજ અનંતનાગ-રજૌરી સીટથી નામાંકન દાખલ કર્યું હતું.
DPAPએ કહ્યું કે, આઝાદ પાસે ચૂંટણી ન લડવાના કેટલાક કારણ છે. જો કે, પાર્ટીએ કારણોનો ખુલાસો કરવામાં આવ્યો નથી. DPAPના પ્રાંતિય અધ્યક્ષ મોહમ્મદ અમીન ભટે કહ્યું કે, તેણે એક બેઠકમાં કેટલાક કારણ બતાવ્યા. ત્યારબાદ પાર્ટીએ મોહમ્મદ સલીમ પારેને આ સીટથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.
પાર્ટીના મુખ્ય પ્રવક્તા સલમાન નિજામીએ ટ્વીટ કર્યું હતું કે, DPAP અધ્યક્ષ ગુલામ નબી આઝાદ સાહેબ અનંતનાગ-રાજૌરી લોકસભા સીટથી લડશે. આ નિર્ણય DPAP કાર્ય સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો છે. DPAP ઉમેદવારના રૂપમાં ગુલામ નબી આઝાદનો સામનો PDPના અધ્યક્ષ મેહબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના અનુભવી નેતા મિયાં અલ્તાફ અહમદ સાથે થવાનું હતું, જે ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp