હવે સમાજવાદી પાર્ટીમાં UPમાં ભત્રીજો નહીં, ખુદ અખિલેશ ઉતરશે ચૂંટણી મેદાનમાં!જાણો કઈ રીતે?
Lok Sabha Election 2024 : તાજેતરમાં, યાદી જાહેર કરતી વખતે, સમાજવાદી પાર્ટીએ કન્નૌજ અને બલિયા બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરી હતી. અખિલેશ યાદવે કન્નૌજથી તેમના પરિવારના સભ્ય અને લાલુ પ્રસાદ યાદવના જમાઈ તેજ પ્રતાપ યાદવને ટિકિટ આપી છે, જ્યારે તેમણે બલિયાથી સનાતન પાંડેને ટિકિટ આપી છે.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ કન્નૌજ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે અને તેજ પ્રતાપ યાદવની ટિકિટ કપાઈ શકે છે. આવી શક્યતા એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે પાર્ટીના સ્થાનિક એકમે તેમને તેમના ભત્રીજા તેજ પ્રતાપ યાદવને આ બેઠક પરથી ઉતારવાનો નિર્ણય બદલવાનો અનુરોધ કર્યો છે. આ અંગે અંતિમ અને સત્તાવાર નિર્ણય સમાજવાદી પાર્ટી દ્વારા લેવામાં આવશે. પાર્ટીના વડા અખિલેશ યાદવે કન્નૌજ સાથે જોડાયેલી શક્યતાઓ વિશે વાત કરતા કહ્યું કે હું કન્નૌજના લોકો જે કહેશે તે કરીશ.
કન્નૌજ સીટને લઈને સમાજવાદી પાર્ટીમાં ઘણા સમયથી અસમંજસ ચાલી રહી હતી અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે સપા પ્રમુખ અખિલેશ યાદવ પોતે આ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. જોકે, આ વાત ત્યારે સ્પષ્ટ થઈ જ્યારે અખિલેશે તેમના ભત્રીજાને તેમની જૂની બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા.
તેજ પ્રતાપ યાદવના પિતા રણવીર સિંહ યાદવ અખિલેશ યાદવના પિતરાઈ ભાઈ હતા. 36 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેઓ રાજકારણમાં સક્રિય હતા અને બ્લોક ચીફ પણ હતા. તે પછી તેમની પત્ની મૃદુલા યાદવ પણ સૈફઈના બ્લોક ચીફ રહી. તેજ પ્રતાપની પત્ની રાજલક્ષ્મી બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની પુત્રી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp