AAPમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડવાની વાતને નકારતા આ બંને પાટીદાર નેતા આખરે ભાજપમાં..., જાણો સમગ્ર વાત
લોકસભાની ચૂંટણી બીજા તબક્કા સુધી પહોંચી ગઈ છે ત્યારે પહેલેથી જ મુશ્કેલીઓથી ઘેરાયેલી આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો પડયો છે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બે મોટા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ હજી ગયા અઠવાડિયે જ રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે આ બે પાટીદાર નેતાઓ એકસાથે કેસરિયા કરવા જઈ રહ્યાં છે. આવતીકાલે વિધીવત રીતે બંને ભાજપમાં જોડાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ખુદ તેમને ખેસ પહેરાવશે.
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા પાટીદાર આંદોલનના ચહેરાઓની રાજકારણમાં એન્ટ્રી બાદ હવે નવાજૂની કરી રહ્યાં છે. હાર્દિક પટેલ તો ભાજપના ધારાસભ્ય બની ગયા છે. લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, સુરતમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. બન્નેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. એક તરફ પાર્ટીના મુખિયા જેલમાં છે, તો બીજી તરફ પાર્ટીના કાંગરા એક પછી એક ખરી રહ્યાં છે. જો કે, ત્યારે જ બંને ગમે ત્યારે ભાજપમાં જશે તેવી ચર્ચા વહેતી થઈ હતી. અને હવે આખરે આ વાત પર પૂર્ણવિરામ મૂકાયું છે.
બંને પાટીદાર નેતાઓએ સમાજ સેવા કરવાનું કારણ આપીને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ હતું. ત્યારે તો ભાજપમાં જોડવાની આફવાઓને બંને નેતાઓએ નકારી હતી. અને ત્યાર પછીના થોડા સમયમાં તેઓ ખોડલધામ ટ્રસ્ટ સાથે પણ જોડાયા હતા. અને હવે અચાનક બંને નેતાઓની ભાજપમાં જોડવાની જાહેરાત તહી છે. જો કે અલ્પેશ કથીરિયાના પત્ની ભાજપના નેતા છે અને કોર્પોરેટર પણ રહી ચુક્યા છે. જો કે અહીં બંનેએ ખરી ચૂંટણી ટાંણે એકસાથે પાર્ટીમાંથી વિદાય લેતા આમ આદમી પાર્ટીને ખુબ મોટો ફટકો પડ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp