ગુજરાતમાં જન્મેલ બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન, 50 દેશોમાં ફેલાયેલો છે

ગુજરાતમાં જન્મેલ બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન, 50 દેશોમાં ફેલાયેલો છે કારોબાર

06/28/2022 World

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં જન્મેલ બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન, 50 દેશોમાં ફેલાયેલો છે

શાપૂરજી પાલોનજી ગ્રુપના (Shapoorji Palonji Group) ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું (Palonji Mistry) 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. શાપૂરજી પાલોનજી ગ્રુપનો બિઝનેસ એન્જીનિયરીંગ, કંસ્ટ્રક્શન, (Engineering, Construction,) ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર એનર્જી એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં ફેલાયેલો છે. આ ગ્રુપમાં લગભગ 50 હજાર લોકો કામ કરે છે. કંપનીનો બિઝનેસ લગભગ 50 જેટલા દેશોમાં ફેલાયેલો છે. તેમના દિકરા સાઈરસ મિસ્ત્રી (Cyrus Mistry) એક સમયે ટાટા સંસના ચેરમેન હતા, જો કે, વિવાદ બાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું.


શાપૂરજી પાલોનજી ગ્રુપ દેશની ઐતિહાસિક કંપની છે. આ ગ્રુપ છેલ્લા 150 વર્ષોથી કામ કરી રહી છે. પાલોનજી મિસ્ત્રીને વર્ષ 2016માં પદ્મ ભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ દેશનો ત્રીજા નંબરનો સૌથી મોટા સિવિલિયન એવોર્ડ છે.


ગુજરાતમાં જન્મ બોમ્બેમાં નિધન :

પાલોનજી મિસ્ત્રીના બે દિકરા છે, જેમનું નામ શાપૂરજી મિસ્ત્રી અને સાઈરસ મિસ્ત્રી છે. શાપૂરજી મિસ્ત્રી હાલના સમયમાં એસપી ગ્રુપના ચેરમેન છે. તેમના નાના દિકરા સાઈરસ મિસ્ત્રી વર્ષ 2012-2016ની વચ્ચે ટાટા સંસના ચેરમેન હતા. વિવાદ થતાં તેમને બોર્ડમાં કાઢી નાખવામાં આવ્યા હતા. પાલોનજી મિસ્ત્રીને વર્ષ 2016માં પદ્મ ભૂષણ સન્માન મળ્યું હતું. તેમનો જન્મ ગુજરાતમાં પારસી ફેમિલીમાં થયો હતો. અને તેમનું નિધન મુંબઈમાં થયું છે. 


આયરલેંડના સૌથી અમીર વ્યક્તિ :

પાલોનજી મિસ્ત્રીનો જન્મ વર્ષ 1929માં થયો હતો. તે સૌથી અમીર આયરિશ હતા. એક રિપોર્ટ અનુસાર જેમની કુલ સંપત્તિ 28.9 બિલિયન ડોલર છે અને તે દુનિયાના 41માં સૌથી અમીર વ્યક્તિ છે. તે આયરલેન્ડના સૌથી અમીર વ્યક્તિ હતા.


ટાટા સન્સની 18.37 ટકા ભાગીદારી :

શાપૂરજી પાલોનજી ગ્રુપ પાસે ટાટા સન્સની મોટી જવાબદારી છે. SP ગ્રુપ પાસે ટાટા સંસમાં 108.37 ટકા ભાગીદારી છે. તેમણે સાઈરસ મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન પણ બનાવ્યા હતા, પણ બાદમાં તેમને હટાવી દેવામાં આવ્યા હતા. આ મામલો કોર્ટમાં જઈને સેટલ થયો હતો. ત્યાર બાદ પોતાની ભાગીદારી વેચવા માગતા હતા. આ મામલે બે કોર્પોરેટ ગ્રુપ આમને સામને આવી ગયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top