રસોડાની આ 2 ચીજ તમને અપાવશે ભયંકર માથાના દર્દથી છૂટકારો..! બસ એટલું જ કરો..?!
Home Remedies For Migraine: માઈગ્રેનનો દુખાવો ખૂબ જ ભયંકર હોય છે. માઈગ્રેન શરીરના બ્લડ સર્કુલેશનને પ્રભાવિત કરે છે જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધે છે. તેના કારણે વ્યક્તિ સ્ટ્રેસ અને ડિપ્રેશનનો પણ શિકાર થઈ શકે છે. માઈગ્રેનની સારવાર સંપૂર્ણ રીતે પોસિબલ નથી. પરંતુ ડોક્ટર અમુક દવાઓના દ્વારા તેને ઓછુ કરી શકે છે. જોકે અમુક આયુર્વેદિક ઉપાય પણ તેમાં અસરકારક સાબિત થઈ શકે છે. માઈગ્રેન તમારી આંખોને પણ નુકસાન પહોંચાડી શકે છે માટે તેને હલકામાં લેવાની ભૂલ ન કરો. જાણો માઈગ્રેન પેનથી છુટકારો મેળવવાના ઉપાય.
માઈગ્રેન એક પ્રકારનો માથાનો દુખાવો છે જેમાં માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. આ દુખાવો ક્યારેક ક્યારેક નોર્મલ હોય છે અને ક્યારેક ક્યારેક ખૂબ જ ભયંકર, જેને સહન કરવો મુશ્કેલ હોય છે. ઊંઘની કમી, મોડા સુધી ભુખ્યા રહેવું, દિવસનો વધારે પડતો સમય મોબાઈલ, લેપટોપ અને ટીવી પર પસાર કરવો જેવા ઘણા કારણોના કારણે માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે.
આ હર્બલ ટીને આમ તો તમારે લંચ કે ડિનર બાદ પીવાની છે. પરંતુ માઈગ્રેન પેન થવા પર પણ આ ચાને બનાવીને પી શકો છો. આ રીતે બનાવો હર્બલ ટી
સામગ્રી : 1 ગ્લાસ પાણી, 1/2 ટીસ્યૂન અજમો, 1 વાટેલી ઈલાયચી, 1 ટીસ્યૂન જીરૂ, 1 ટેબલસ્પૂન આખા ધાણા, 5 ફૂદીનાના પાન
બનાવવાની રીતે : બધી વસ્તુઓને ત્રણ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર ઉકાળો અને થોડુ ઠંડુ કરી પીવો.
સવારે ઉઠ્યાના તરત બાદ સૌથી પહેલા તમારે દ્રાક્ષ ખાવીની છે. તેના માટે 10થી 15 દ્રાક્ષને આખી રાત પાણીમાં પલાળી લો. સવારે પાણીથી કાઢીને તેને સારી રીતે ચાવીને ખાઓ. સતત 12 અઠવાડિયા સુધી તેને ખાધા બાદ તમને તેનો ફાયદો જોવા મળશે. આ શરીરના પિત્તને ઓછુ કરે છે. જેનાથી માઈગ્રેનનો દુખાવો દૂર થાય છે સાથે જ એસિડિટી પણ દૂર થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp