'બંધારણનાં ઘડવૈયા' તરીકે ઓળખાતા ડૉ. ભીમરાવ આંબેડકરની આજે 131મી જન્મ જયંતિ
નેતા ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં આવેલા મહુમાં થયો હતો, જેનું નામ બદલીને આજે ડૉ.આંબેડકર નગર રાખવામાં આવ્યું છે. ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. ડો. ભીમરાવ આંબેડકર દલિત જાતિનાં હતા. તેમની જાતિને અસ્પૃશ્ય જાતિ માનવામાં આવતી હતી. તેથી જ તેમનું બાળપણ ખૂબ જ મુશ્કેલીમાં વીત્યું. બાબાસાહેબ આંબેડકર સહિત તમામ નીચલી જાતિના લોકોએ સામાજિક બહિષ્કાર, અપમાન અને ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.
ડૉ.બી. આર. આંબેડકરે ઘણી અસમાનતાઓનો સામનો કર્યા પછી સામાજિક સુધારણાનો મોરચો સંભાળ્યો. આંબેડકરે અખિલ ભારતીય વર્ગ સંઘનું આયોજન કર્યું. તેઓ સામાજિક સુધારણા માટે ખૂબ જ ઉત્સાહી હતા. બ્રાહ્મણો દ્વારા અસ્પૃશ્યતાની પ્રથા સ્વીકારવા, મંદિરોમાં પ્રવેશ ન આપવા, દલિતો સાથે ભેદભાવ, શિક્ષકો દ્વારા ભેદભાવ વગેરે સામાજિક સુધારા કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ વિદેશી શાસનને કારણે તે વધુ સફળ થઈ શક્યું નહીં. વિદેશી શાસકોને ડર હતો કે જો આ લોકો એકજૂથ થશે તો પરંપરાવાદી અને રૂઢિવાદી વર્ગ તેમના વિરોધી બની જશે.
આંબેડકરે અસ્પૃશ્યતા સામે લડત આપી અને તેના દ્વારા તેઓ નીચલી જાતિના લોકોને અસ્પૃશ્યતાની પ્રથામાંથી મુક્ત કરવા માંગતા હતા અને સમાજમાં સમાન દરજ્જો મેળવવા માંગતા હતા. ડૉ. ભીમરાવ આંબેડકરે 1920માં બોમ્બેમાં આપેલા ભાષણમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે “જ્યાં મારા અંગત હિત અને દેશના હિત વચ્ચે સંઘર્ષ હશે ત્યાં હું દેશના હિતને પ્રાધાન્ય આપીશ." તેઓ દલિત વર્ગ માટે મસીહા બનીને આવ્યા તેમજ દલિત વર્ગને સન્માન આપવા માટે તેઓ છેલ્લી ઘડી સુધી લડ્યા હતા. 1927 માં, તેમણે અસ્પૃશ્યોને લેવા માટે સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું. અને 1937માં મુંબઈની હાઈકોર્ટમાં કેસ જીત્યો.
1947 માં આંબેડકર ભારત સરકારના કાયદા પ્રધાન બન્યા. તેઓ બંધારણનાં ઘડવૈયા તરીકે ઓળખાયા. આમ આજે 'આંબેડકર જયંતિ'નાં દિવસે બંધારણનાં એક મહત્વપૂર્ણ ભાગ બની દેશને એક અલગ દિશા બતાવનાર ડૉ. ભીમરાવ આંબેડકરને શત શત નમન.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp