Morbi Bridge Collapse : બહાદુરીના જોરે બચાવ્યો 50થી વધુ જીવ, ઘાયલ હોવા છતાં લોકોને મોતના મુખમાંથી બહાર કાઢ્યા; જાણો કોણ છે આ યુવક?
ગુજરાતમાં મોરબી બ્રિજ અકસ્માત દરમિયાન એક વ્યક્તિએ પોતાની બહાદુરીના જોરે 60 જેટલા લોકોના જીવ બચાવ્યા હતા. આ યુવક પોતે પણ અકસ્માતનો ભોગ બન્યો હતો જેમાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. બીજાને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકનાર આ યુવકનું નામ નઇમ શેખ છે. નઈમ તરવું જાણે છે. તેણે તેના મિત્રો સાથે મળીને 50-60 લોકોને મોતના મુખમાંથી બહાર કાઢ્યા.
બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં નઈમ શેખને પણ ઈજા થઈ હતી. હાલ તેઓ મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. નઈમે જણાવ્યું કે અકસ્માત સમયે તે તેના 5 મિત્રો સાથે બ્રિજ પર હાજર હતો. આ ઘટનામાં તેના એક મિત્રનું પણ મોત થયું હતું. તેણે કહ્યું, 'હું તરી શકું છું. મેં મારા મિત્રો સાથે મળીને લગભગ 50-60 લોકોને નદીમાંથી બહાર કાઢ્યા. તે એક હૃદયદ્રાવક ઘટના હતી. જ્યારે હું લોકોને સલામત સ્થળે લઈ જઈ રહ્યો હતો ત્યારે મને ઈજા થઈ હતી. આમ છતાં અમે પ્રયત્ન ચાલુ રાખ્યા.
અકસ્માતમાં બચી ગયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે ઘટના સમયે 500 લોકો પુલ પર હતા. તેણે કહ્યું, 'બ્રિજ અચાનક તૂટી ગયો અને અમે બધા પાણીમાં પડી ગયા. હું લગભગ એક કલાક સુધી પાણીમાં રહ્યો, ત્યારબાદ હું બહાર આવી શક્યો. હું ખુશ છું કે હું બચી ગયો, પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુથી હું ખૂબ જ દુઃખી છું. આ ઘટના ભૂલી શકાય તેમ નથી.'
ગુજરાત સરકારે મોરબી બ્રિજ અકસ્માતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરી છે. દુર્ઘટના પછીની સ્થિતિની સમીક્ષા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું કે, 'ગુજરાત સરકારે 2જી નવેમ્બરે રાજ્યવ્યાપી શોક મનાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં (રાષ્ટ્રીય) ધ્વજ અડધી ઝુકાવવામાં આવશે અને કોઈ સત્તાવાર સમારોહ થશે નહીં.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp